કેમિકલ યુક્ત દારૂ કરતા મહુડાનો દારૂ સારો, મનસુખ વસાવાનું નિવેદન ચર્ચામાં
આદિવાસી યુવાનોને શિક્ષણ તરફ વળવા અપીલ; ગ્રામ પંચાયત ભવનના બાંધકામથી લઈને વિપક્ષ પરના પ્રહારો સુધી અનેક મુદ્દાઓએ ખેંચ્યું ધ્યાન નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં યોજાયેલી ‘આદર્શ ગ્રામવિકાસ સમિતિ’ની પ્રથમ બેઠક દરમિયાન તેમણે સ્થાનિક પ્રશ્નો, વિકાસકાર્યો, શિક્ષણ અને દારૂની સમસ્યા સહિતના મુદ્દાઓ…
