માંડલ મોતિયા ઓપરેશન કેસમાં હાઈકોર્ટની હેલ્થ સેક્રેટરીને નોટિસ

હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરીને અમદાવાદ ગ્રામ્ય એસપીને પણ નોટિસ પાઠવી અમદાવાદઅમદાવાદના માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. સમાચારોના અહેવાલને આધારે ન્યાયાધિશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધિશ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લઈને આ મામલે સરકારને પ્રાથમિક તપાસ…

સુરેન્દ્રનગરમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ત્રણનાં મોત

સુરેન્દ્રનગરના મુળી-સરા રોડ પર સરલા નજીક કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ભયાનક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ અમદાવાદ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરમાં બની છે જેમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. સૂત્રોમાંથી મળતા અહેવાલ મુજબ આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત…

ઈલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં નહીં આવે

કોઈ પણ કંપનીએ ક્યાં રોકાણ કરવું તે નક્કી કરવાનો વિશેષાધિકાર છે. ગુજરાત સરકાર તેમને સુવિધાઓ આપવા માટે તૈયાર છેઃ રાહુલ ગુપ્તા ગાંધીનગરઈલોન મસ્ક ભારતમાં રોકાણ કરવા માગે છે પરંતુ હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, ઈલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવી રહ્યા નથી. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું…

ગ્લોબલ ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મ નિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ

બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા, ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે ગાંધીનગરપીએમ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવ્યો છે. તેમની સાથે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેડ શોમાં ‘મેક ઈન ગુજરાત’, “આત્મ નિર્ભર ભારત” સહિતની…

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે જોધપુર પોલીસે ગુનો દાખલ કર્યો

આ કેસમાં ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ સામે આક્ષેપ થયા હોવાથી નિયમ મુજબ આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે અમદાવાદપ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે નોંધાયેલા પોક્સો કેસમાં તેમની ધરપકડની માંગણી સાથે પિડીત સગીરાના માતાએ જોધપુર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ, ઘણા સમયથી સતત મુદ્તો પડતા મહિલાએ કંટાળીને હાઇકોર્ટ પરિસરમાં જ દવા પીને આત્મહત્યોનો પ્રયાસ કર્યો…

પરિણિતાની અંગત પળોની ક્લિપ બનાવી સાસુ-સસરાએ વેચી

પતિ સાથે મળીને સાસુ-સસરાએ બેડરૂમમાં સીસીટીવી  કેમેરા લગાવી તેની ક્લિપ વાયરલ કરી દીધી, આરોપીઓના જામી હાઈકોર્ટે ફગાવ્યા અમદાવાદ અમદાવાદમાં પતિ અને સાસરીપક્ષે પરિણિતાના અંગત વીડિયો ઉતારીને તેની સાથે ન કરવાનું કર્યું હતું. એટલું જ નહીં તેની સાથે બધી જ હદો વટાવી નાખી હતી. તેના રૂમમાં સીસીટીવી કેમેરા અને તેના મોબાઈલની પ્રાઈવેટ ક્લિપ્સ પણ વાઈરલ કરવામાં…

રાજ્યમાં હવે પોલીસ સામે ફરિયાદ માટે નવો નંબર જાહેર થશે

એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપીને કહ્યું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે ગાંધીનગરગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા…

સુરત એરપોર્ટને હોંગકોંગની પણ એર કનેક્ટિવિટી મળી

સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટના સ્લોટ શરૂ થઈ રહ્યા છે સુરત ગુજરાતના લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ એર ક્નેક્ટિવીટીમાં વધારો થયો છે. પહેલા દુબઈની એર ક્નેક્ટિવીટી મળ્યા બાદ હવે સુરત એરપોર્ટને હોંગકોંગની પણ એર ક્નેક્ટિવીટી મળી છે. સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટના સ્લોટ શરૂ…

ઊંઝા એપીએમસીના વાઈસ ચેરમેનની પેઢી પર જીએસટીના દરોડા

મહેસાણામાં જીએસટી વિભાગે આ કાર્યવાહી બાલચંદ સોમા નામની પેઢી પર કરી છે, જેના માલિક અરવિંદ પટેલ છે ઊંઝા ઊંઝાની જાણીતી એપીએમસીના વાઇસ ચેરમેનની એક પેઢી પર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં જીએસટી ટીમને મોટી પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળી આવવાની શક્યતા છે. આ દરોડાની કાર્યવાહી થતાં જ સમગ્ર શહેરમાં સન્નાયો ફેલાઇ ગયો…

માલિયાસણ નજીક ટ્રક- બે કાર ટકરાતાં ત્રણનાં મોત

અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા અમદાવાદરાજ્યમાં હાઈવે પર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. માલિયાસણ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક…

ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું

ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. તેઓ વનકર્મીને માર માર્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા ત્યારે હવે તણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને…

પાટણના સાંતલપુર નજીક કારને અકસ્માતમાં ચારનાં મોત

સ્વિફ્ટ કાર અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા દુર્ઘટના બની પાટણ રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે આજે ફરી એકવાર પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર…

દબાણના મુદ્દે કચ્છ કલેક્ટર, એસપી અને અંજાર ડીવાયએસપીને હાઈકોર્ટનું તેડું

હાઇકોર્ટના હુકમ છતાં શા માટે તંત્ર દ્વારા સરકારી જમીનનો કબ્જો લેવાયો નથી અને હાઇકોર્ટના હુકમનું કેમ પાલન નથી થયું તે મુદ્દે ખુલાસો કરવા નિર્દેશ અમદાવાદકચ્છમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરી જમીનનો કબ્જો લેવા અંગેના હુકમનું પાલન નહી થતાં જસ્ટિસ જે.સી.દોશીએ આજે ગંભીર નોંધ લઇ કચ્છ કલેકટર, એસપી અને અંજારના ડીવાયએસપીને આગામી મુદતે હાઇકોર્ટ…

પ્રદેશ કોંગ્રેસે અમદાવાદ સહિત 10 જિલ્લાના પ્રમુખની નિમણૂક કરી

અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાતની વરણી કરાઈ અમદાવાદઆગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારી શરુ કરી દીધી છે અને આજે રાજ્યમાં અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે.હજુ ત્રણ ડિસેમ્બરે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે…

કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

કચ્છ પહેલા દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા કચ્છ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે લગભગ 9:00 વાગ્યે અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરની માહિતી અનુસાર,…

વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો, હર્ષ સંઘવી ટ્રેનમાં હતા

પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું,જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી રાજકોટ વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.  માહિતી…

સુરેન્દ્રનગર-ધાંગધ્રા નજીક ટ્રક સાથે કાર ટકરાતાં ચારનાં મોત

આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અમદાવાદ રાજ્યમાં હાઈવે પર થતાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના આજે અમદાવાદ કચ્છ હાઇવે પર બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા…