ઓગણવિડ ખાતે 600 અબોલ જીવો રહી શકે તેવા સ્વાવલંબી આશ્રય સ્થાનનું ઉદઘાટન

અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જએનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી અમદાવાદ શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુન દેસાઈ, શ્રી સધીમાં…

પર્યાવરણ પખવાડિયું: અમદાવાદ જિલ્લો બીબીપુર રમત સંકુલ ખાતે સ્વચ્છતા અભિયાન

ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા બીબીપુર રમત સંકુલ ખાતે ખેલાડીઓ, એડમીન સ્ટાફ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો…

આર્ટથી એક્શન સુધી: એપેક્સોન ઇગ્નાઈટ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સર્જનાત્મક અભિવ્યક્તિ અને સ્થાયી જીવનશૈલીની ઉજવણી

વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે, અપેક્સોન ઇગ્નાઈટએ પર્યાવરણ જાગૃતિ અને સાતત્યપૂર્ણ વિકાસના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં સર્જનાત્મકતા, સામુદાયિક ભાવ અને પ્રકૃતિલક્ષી અભિગમને ઉજાગર કરવામાં આવ્યા. ત્રણ રાજ્યોમાં આવેલા 15 “આહાન લર્નિંગ સેન્ટર્સ” પર ૫૦૦ થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક પર્યાવરણ જાગૃતિ માટે ચિત્રો તથા નાટક ભજવ્યા. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પર્યાવરણ સંરક્ષણ…

હીરામણી સ્કૂલના વ્યાયામ શિક્ષક રજનીકાંત વિલ્યમભાઈ ગણાવા PH.D થયા

હીરામણિ સ્કૂલ, સરખેજ-ગાંધીનગર હાઈવે, અમદાવાદમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા રજનીકાંત વિલ્યમભાઈ ગણાવાએ ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા-અમદાવાદમાં શારીરિક શિક્ષણ વિભાગમાં ડૉ.પી.સી.ચાવડાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાના શારીરિક શિક્ષણના શિક્ષકો અને અન્ય વિષયના શિક્ષકોનો વિવિધ ઉંમર જૂથ પ્રમાણે શરીર દળઆંક અને શારીરિક સ્વાસ્થ્યની યોગ્યતાનો તુલનાત્મક અભ્યાસ વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરેલ છે. તે બદલ ગુજરાત…

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ગુજરાતને  ભારતનું  નાણાકીય  પાટનગર  બનાવવાના  સપનાને  સાકાર  કરવાના  મુખ્ય  શિલ્પકાર બનશેઃ ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટ યોજાઈ અમદાવાદ  ગુજરાતને ભારતનું નાણાકીય પાટનગર બનાવવાની દ્રષ્ટિ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ  સપનાને સાકાર કરવાના મુખ્ય શિલ્પકાર બનશે, એમ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટમાં  સંબોધન કરતાં જણાવ્યું હતું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની  અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે CA મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CA મેમ્બર્સ મીટમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ ICAI પ્રમુખ  ચરણજોતસિંહ નંદા, ઉપપ્રમુખ  પ્રસન્ના કુમાર ડી, ICAI ભૂતપૂર્વ પ્રમુખ અનિકેત તલાટી, ICAIના CCM  પુરુષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાંચના ચેરમેન  નીરવ અગ્રવાલ, સેક્રેટરી સમીર ચૌધરી તથા રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓ, ટીમ અમદાવાદ બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશમાં સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે દેશમાં અમલી જે જટિલ ટેક્સ માળખું હતું, તેને બદલવાનું ભગીરથ કામ પાર પાડ્યું અને એક સમયે જટિલ અને શિથિલ પ્રક્રિયાને  કારણે  લોકો  ટેક્સ ભરવા માટે નીરસ રહેતા અને ટેક્સ ન ભરવાના અન્ય વિકલ્પો શોધતા હતા. પણ આજે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના  નેતૃત્વમાં દેશમાં સૌથી મોટો ટેક્સ રિફોર્મ આવ્યો છે. વડાપ્રધાન મોદીની…

રિલાયન્સ ફાઉન્ડેશન-યુએન ઈન્ડિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગુજરાત ખાતે આયોજિત પરિષદમાં હોનારતોના નવતર, પહોંચપાત્ર, પગલાં ભરી શકાય તેવા અર્લી વોર્નિંગ ઉપાયો પર ભાર મૂકાયો

ભૂજ  રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ યુનાઈટેડ નેશન્સ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મંગળવારે અહીં આયોજિત એક પરિષદમાં ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાં ભવિષ્યલક્ષી તૈયારીઓ માટે સાહસિક તેમજ પરિવર્તનકારી પગલાંની માગ કરાઈ હતી. ‘અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન- એ મલ્ટિ-હેઝાર્ડ, મલ્ટિ-સ્ટેકહોલ્ડર્સ એપ્રોચઃ એક્સપિરિયન્સીસ, લર્નિંગ્સ એન્ડ શેરિંગ’ નામની આ ઈવેન્ટમાં ભારતની અંદર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું સ્તર ઊંચુ લાવવા જ્ઞાનની વહેંચણી અને અગત્યની ચર્ચા યોજાઈ હતી. રિલાયન્સ ફાઉન્ડેશન…

હીરામણિ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિશ્વ ચકલી દિનની ઉજવણી નિમિત્તે ધો.5 થી 7ના વિદ્યાર્થીઓ દ્વારા થર્મોકોલ, પૂંઠું, લાકડું, કાગળ, નાળિયેરનાં અને મકાઈના છોતરાં આઈસક્રીમની સ્ટીક વગેરે વેસ્ટ વસ્તુઓમાંથી ચકલીઓના બેનમૂન માળા બનાવાયા હતા અને સમાજમાં જીવદયા તેમજ ઘટતી જતી ચકલીઓની સંખ્યા વધે તેવો સુંદર સંદેશ પાઠવાયો હતો.

કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન કરાયું

ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું : કેન્દ્રીય મંત્રી અમિત શાહ 115 વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ‘અખંડ આનંદોત્સવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું…

મહિલા સશક્તિકરણ પ્રેરણાદાયક પરિવર્તન થીમ સાથે  ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સ યોજાઇ

અમદાવાદ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએસન ખાતે ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતાં.  આ પ્રસંગે આઈએએસ જંયતિ રવિ, ( સેક્રેટરી ઓરોવિલે ફાઉન્ડેશન)એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જ્યારે સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી પરીક્ષીતા રાઠોડ…

સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો જાહેર : ઈન્ટરમિડીયેટમાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓ

અમદાવાદ કેન્દ્રનું 21.94 ટકા પરિણામ / સમગ્ર ભારતમાં 14.05 ટકા પરિણામ અમદાવાદ સેન્ટરમાં અભ્યાસ કરતી વિધી તલાટી દેશમાં 12મા ક્રમાંકે અમદાવાદ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશભરમાં 12મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદનાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અંગે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી

વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓને નિહાળી. અહીં પુનર્વસન કરી રહેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે તેમણે નિકટતાથી સંવેદ કેળવ્યો. વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ પશુ ચિકિત્સા પ્રણાલી નિહાળી. આ હોસ્પિટલમાં વાઈલ્ડલાઈફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી, ઈન્ટરનલ મેડિસિન વગેરે…

આઈ. આઈ. ટી. ઈ ખાતે ભારતીય જ્ઞાન પ્રણાલી અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર રાષ્ટ્રીય પરિષદ

ગાંધીનગર આઈ. આઈ. ટી. ઈએ ભારતીય જ્ઞાન પ્રણાલી અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું, જેમાં આધુનિક શિક્ષણમાં ભારતીય જ્ઞાન પ્રણાલીઓ (IKS) ના એકીકરણની શોધ કરવા માટે જાણીતા વિદ્વાનો અને શિક્ષણવિદોને સાથે લાવ્યા. આ કાર્યક્રમમાં ભારતની 64 યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતા 18 વિવિધ રાજ્યોના 147 વિદ્વાનોએ ભાગ લીધો હતો. સેન્ટર ઓફ રિસર્ચના નિયામક-વિરલ જાદવે,…

એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આહાન સ્ટેમ લેબમાં વિજ્ઞાન મેળો યોજાયો

સાણંદ એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા આહાન સ્ટેમ લેબ, શ્રી એમ. એમ. શારદા વિદ્યામંદિર, સાણંદ, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણીકરવામાં આવી, જેમાં વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર સંજય ચૌધરી (પ્રોફેસરઅને ડીન, સ્કૂલ ઓફએન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સ, અમદાવાદ યુનિવર્સિટી) અને બિંદવ પંડ્યા (વિજ્ઞાનિ અને એન્જિનિયર, ભારતીયઅંતરિક્ષ સંસ્થા – ઈસરો) માનનીય મહેમાન તરીકે…

હીરામણિ નર્સરી-કે.જી. ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામવિતરણ સમારોહ યોજાયો

હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલ 193 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ અને બાકીના 154 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામોસંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યો, કૉ-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ…

મંગલદીપ વિદ્યાલય રાણીપ ખાતે ધોરણ 10 અને 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ

મંગલદીપ વિદ્યાલય રાણીપ ખાતે ધોરણ 10 અને 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદ પટેલ એ હાજરી આપી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.

ગુજરાતનો વીજ પુરવઠો વર્ષ 2020 અને 2024 વચ્ચે 28% વધ્યો

ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો…

હિરામણી શાળામાં ચિત્ર સ્પર્ધામાં 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

હિરામણી શાળામાં 94.3 માય એફએમ રંગરેજ સિઝન 11ની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં 5થી 9 ધોરણના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માય ફેવરિટ ઓલિમ્પિક ગેમ્સ પર વિદ્યાર્થીઓએ સુંદર કલાત્મક ચિત્રોનું સર્જન કર્યું હતું. ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનારા ભારતના ખેલાડીઓમાંથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓએ વિવિધ રમતોના ચિત્રો બનાવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આ વ્યા…

પૂર્વમંત્રી ગિરીશ પરમાર ભાજપ અને રાજ્ય સરકારની  આબરૂનું ધોવાણ કરવા નીકળ્યા, નશાબંધી મંડળ,  ગુજરાતના પ્રમુખ જાતે બની બેઠા

અમદાવાદ રાજ્યના નશાના બંધાણી લોકોને નશાના બંધનમાંથી મુક્ત કરાવવાનું કાર્ય કરતી સંસ્થા નશાબંધી મંડળ, ગુજરાતનાં કેટલાંક ટ્રસ્ટીઓ દ્વારા આચરાયેલી ગેરરીતીઓ અને કૌભાંડનાં સંદર્ભમાં ગુજરાત રાજ્યનાં ચેરીટી કમિશનરે તાજેતરમાં વર્તમાન પ્રમુખ વિવેક દેસાઈની તરફેણમાં સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. ચોંકાવનારી વિગતો એવી છે કે આ ચુકાદાને અવગણીને નશાબંધી મંડળ ગુજરાતનાં પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસનાં અગ્રણી કરસનદાસ સોનેરીએ રાજ્યનાં પૂર્વમંત્રી ગિરીશ પરમારનું શરણું લીધું…

હાયફન ફૂડ્સ એ ધનપુરાના ગ્રામજનો સાથે પતંગ ઉડાડી, રમકડા આપી તથા જમાડીને ઉતરાયણની ઉજવણી કરી

સ્થાનિક સમુદાયમાં સ્મિત અને ખુશાલી ફેલાવવા માટેની એક પહેલ ધનપુરા હાયફન ફૂડ્સ, ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં એક અગ્રણી નામ છે, તેને વાઇબ્રન્ટ ‘ઉત્તરાયણ’ની ઉજવણી મહેસાણાના ધનપુરા ગામના સ્થાનિક સમુદાયની સાથે કરી. આ પહેલનો હેતુ, મસ્તીભરી પ્રવૃતિ, મનોરંજન તથા મદદ કરવાની ભાવના સાથે ગામડાના લોકોનો પૂરો દિવસ ખુશીઓથી ભરવાનો હતો, આ ગામ હાયફન ફૂડ્સ ઉત્પાદક પ્લાન્ટ્સની સૌથી…

હીરામણિ સ્કૂલના ભૂલકાંઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી

આજરોજ હીરામણિ સ્કૂલ (નર્સરી-કે.જી.)વિભાગમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નર્સરી અને કે.જી.ના ભૂલકાંઓને સંસ્થા તરફથી દરેકને 5 (પાંચ) પતંગ અને દોરી આપવામાં આવ્યા હતા, ત્યારબાદ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ સાથે સાસંદ-રાજ્યસભા(ગુજરાત) અને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા અને શિક્ષિકા બેહેનોએ સ્કૂલ કેમ્પસમાં ભૂલકાંઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી.