સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપાઈ

સંયુક્ત સુરક્ષા સચિવ સંસદ ભવનની સિક્યોરિટી સર્વિસના પ્રમુખ હોય છે, આઈપીએસ અગ્રવાલ 3 વર્ષ સુધી સંયુક્ત સચિવ સુરક્ષાના પદ પર રહેશે નવી દિલ્હી સંસદની સુરક્ષામાં ચૂકના લગભગ 3 મહિના બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપી છે. ઓમ બિરલાએ આઈપીએસ અગ્રવાલને સંસદ ભવનમાં…

સ્વદેશી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ

વીએસએચઓઆરએડીએસનું વજન 20.5 કિલોગ્રામ હોય છે, તેની લંબાઈ 6.7 ફૂટ છે અને વ્યાસ 3.5 ઈંચ છે, તે પોતાની સાથે 2 કિલોગ્રામ વજનનું હથિયાર લઈ જઈ શકે છે નવી દિલ્હી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) ચાંદીપુર ખાતે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું…

આસામમાં સીએએના વિરોધમાં નવ માર્ચે 12 કલાકની ભૂખ હડતાળ

એએએસયુના અધ્યક્ષે કહ્યુ કે સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે ત્યારે તેને લાગુ કરવાની જાહેરાત લોકોની સાથે અન્યાય છે નવી દિલ્હી આસામમાં નાગરિકતા સુધારો કાયદા (સીએએ) વિરુદ્ધ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસૂ) સહિત 30થી વધુ સંગઠનોએ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધુ છે. એએએસયુના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આસામ…

કોંગ્રેસનો એજન્ડા ગાંધી પરિવારના ડાયનિંગ ટેબલ પર સેટ થાય છેઃ હિમંતા બિસ્વા

કોંગ્રેસ અથવા અન્ય પક્ષોની વાત કરો તો તે કાર્યકર્તાઓએ બનાવી નથી, તે ફક્ત તેમના નેતાઓ અને પરિવારની આસપાસ કેન્દ્રિત છે ગુવાહતી આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરી અને કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા કરી હતી. બારપેટા જિલ્લાના ચકચકા ખાતે પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનના અવસર પર કોંગ્રેસમાંથી ભાજપના નેતા બનેલા હિમંતા બિસ્વા સરમાએ…

ઈસરોના રોકેટ પર ચીનનો ઝંડો ડિઝાઈનરની નાનકડી ભૂલઃ ડીએમકે

પાર્ટી વતી આ જાહેરાત આપનારા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી, ડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો નવી દિલ્હી ઈસરો એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી એક જાહેરાત વિવાદનું કારણ બની ગઇ છે. મામલો એવો છે કે આ જાહેરાતમાં ઈસરોના રોકેટ પર ચીનનો રાષ્ટ્રધ્વજ લગાવી દેવામાં…

હિમાચલના ઓપરેશનમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરનો હાથ

અમરિંદરસિંહે ઉત્તર ભારતમાં એકમાત્ર કોંગ્રેસ સરકારને પણ તોડી પાડવા માટે ભાજપ વતી મોરચો સંભાળ્યો હતો નવી દિલ્હી સુખવિન્દર સિંહ સુક્ખુ હાલમાં હિમાચલ પ્રદેશમાં પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ રાજ્યસભામાં કારમી હાર અને પછી સરકાર પર સંકટની બંને ઘટનાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને હચમચાવી મૂક્યું હતું. આ પર્વતીય રાજ્યમાં રાજકીય કટોકટી સર્જવા પાછળ કોનો હાથ હતો…

બ્લાસ્ટ કેસમાં આતંકી અબ્દુલ કરીમ ટૂંડા નિર્દોષ, અન્ય બેને આજીવન કેદ

30 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો અજમેર અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીદુદ્દીન ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ ટુંડા અજમેરની જેલમાં બંધ…

દિલ્હી તંત્રએ રેટ-હોલ માઈનર વકીલ હસનના ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું

એક વીડિયો મેસેજમાં હસને અધિકારીઓ પર કોઈપણ નોટિસ વિના તેમનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) દ્વારા ‘ડિમોલિશન’ અભિયાન દરમિયાન એ રેટ માઈનરના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ એ રેટ માઈનર હીરો છે, જે ગત વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારામાંના…

દેશમાં એક કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળીનો માર્ગ મોકળો થયો

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર 1 કરોડથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવશે, ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે નવી દિલ્હી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ પાછળથી બદલીને પીએમ સૂર્ય ઘર યોજના રાખવામાં આવ્યું. આ યોજના હેઠળ 1…

રાજસ્થાનમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી નહીં મળે

આ નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પણ પરવાનગી મળી ગઈ, પૂર્વ સૈનિક દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવાયી નવી દિલ્હી રાજસ્થાનમાં અત્યાર સુધી પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો પર બે બાળકની નીતિ લાગુ પડતી હતી. હવે આ નિયમ સરકારી નોકરીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જો કોઈને 2 થી વધુ બાળકો હશે તો…

બિલ ગેટ્સ ડોલી ચાયવાલાની ચાની મજા લેતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું, લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે નાગપુર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ વીડિયો અને ફોટો શેર કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સ હંમેશની જેમ ભારતને એક્સપ્લોર કરતા જોવા…

83 જાતીઓને ઓબીસીમાં સામેલ કરવાની ભલામણ એનસીબીસીએ ફગાવી

મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે, હવે એનસીબીસીએ આનો સખત વિરોધ કર્યો કોલકાતા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં અનેક ડઝન જાતિઓનો સમાવેશ કરવાની બંગાળ સરકારની ભલામણ સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની તૈયારીઓ…

ભાજપના 70-80 સાંસદોના પત્તા કપાઈ શકે છે

પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સીના ડરથી તેમને ફરી તક આપવાથી ડરી રહી છે, પાર્ટી આ સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે નવી દિલ્હી ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે ત્યારે તેમાં કેટલાક મોટા ઉમેદવારોના નામો સિવાય મુશ્કેલ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો જાહેર કરવા…

માનવ અધિકારનો ખરાબ રેકોર્ડ ધરાવનારા પાક.ને ટિપ્પણીનો હક નથીઃ ભારત

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ કર્યો વોશિંગ્ટન યુએનમાં ભારત પર પ્રશ્ન ઉઠાવી રહેલા પાકિસ્તાનને એકવાર ફરી જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતનું કહેવુ છે કે ખરાબ માનવાધિકાર રેકોર્ડ્સ વાળા પાકિસ્તાનને ભારત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. સાથે જ આરોપ લગાવ્યા છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ…

મારા રાજીનામાની અફવા ભાજપે ફેલાવીઃ સુખવિંદર સિંહ સુક્ખુ

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કારણે અમારી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો જયરામ રમેશનો દાવો સિમલા હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે મીડિયા સામે રજૂ થતાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે મેં રાજીનામું નથી આપ્યું. બજેટ દરમિયાન અમે બહુમતી સાબિત કરીશું. હિમાચલમાં પાર્ટીની સરકાર…

ભારત આવતા ત્રણ રશિયન ટેન્કર પર અમેરિકાનો પ્રતિબંધ

અમેરિકાએ બ્લેકલિસ્ટેડ ટેન્કરોને 45 દિવસ માટે તેલની નિકાસ કરવાની છૂટ આપી નવી દિલ્હી ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ ભાવે મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું છે. તેલથી ભરેલા રશિયન ટેન્કરો પણ આગામી થોડા અઠવાડિયામાં ભારત પહોંચશે. પરંતુ તે ત્રણ ટેન્કરની ચર્ચા થઈ રહી છે જેના પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મુકવામાં…

કેરળમાં કોંગ્રેસ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ વચ્ચે બેઠકોની વહેંચણી

કોંગ્રેસ કેરળમાં 20માંથી 16 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે તિરુવનંતપુરમ લોકસભા ચૂંટણી 2024 માટે કેરળમાં કોંગ્રેસ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. કોંગ્રેસ આ વખતે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે ત્યારે હવે કેરળમાં પણ બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે. ટૂંક સમયમાં પાર્ટી તેના લોકસભા…

મણિપુરમાં સ્થિતિ વણસતાં સેના તહેનાત, આસામ રાયફલ્સની ચાર ટૂકડી ગોઠવાઈ

200 લોકોએ અધિકારીના ઘરે હુમલો કરી તેમનું અપહરણ કર્યું, મણિપુર પોલીસ કમાન્ડોએ પણ અપહરણ મામલે વિરોધ નોંધાવ્યો ઈમ્ફાલ મણિપુરમાં મેઈતેઈ સંગઠન અરમબાઈ તેંગગોલના કાર્યકર્તાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીનું કથિત અહરણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ફરી સેના તહેનાત કરવામાં આવી છે. ત્યાં ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સની ચાર ટુકડીઓને તહેનાત કરી દેવાઈ છે. જોકે પોલીસ અને સુરક્ષા…

વીરભદ્રના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું કોંગ્રેસમાંથી રાજીનામું

હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ભારે હોબાળાની સ્થિતિને પગલે સ્પીકરે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી રાજકીય ઉઠાપટકનો દોર શરૂ થઇ ગયો છે. આ સૌની વચ્ચે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે સીએમ સુખ્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં પ્રિયંકા…

ગુજરાતના ગિફ્ટસિટીમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ

ગુજરાતની ગિફ્ટ સિટીમાં મેં એક ફ્લેટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં મને મારી જાતિના કારણે ઘર ફાળવવાની ના પાડી દેવામાં આવી નવી દિલ્હી જેપી મોર્ગનના વાઈસ પ્રેસીડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે એક સનસનાટી મચાવતો દાવો કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની…