ઈમેનુએલ મેક્રોન ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ

જયપુર અને દિલ્હીની મુલાકાત દરમિયાન ફ્રાન્સ ભારત સાથે અનેક બાબતોની ચર્ચા કરશે નવી દિલ્હીફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વખતે મુખ્ય અતિથિ છે. મેક્રોં આજે જયપુર આવી પહોંચશે. જ્યાં આમેરના કિલ્લાની મુલાકાત લેશે. અહીં તેમની મુલાકાત વડાપ્રધાન મોદી સાથે થશે.આ મુલાકાત…

ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની નિકાસ શરૂ કરશે

જાન્યુઆરી 2022 માં ભારત અને ફિલિપિન્સ વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર થયા હતા જે અંતર્ગત ડિલિવરી કરાશે નવી દિલ્હીભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ના ચેરમેન ડો. સમીર વી. કામતે જણાવ્યું હતું કે, ભારત આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક…

ધાર્મિક ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરનારા ચારની દમણથી ધરપકડ

આસિફ ખાન સહિત યુવાનોએ ઇન્સ્ટાગ્રામનો દુરઉપયોગ કરી ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરી જૂથો વચ્ચે દુશ્મનાવટનું ગંભીર કૃત્ય કર્યુ વાપીદમણના મુસ્લિમ યુવાનોએ સોશિયલ મિડીયા થકી ઇન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદની તસ્વીર સાથે સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયા જાયેગા જેવી થીમ પર વિડીયો અપલોડ કરાયો હતો. ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરતા ભારે…

તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ ખતમ થવાનો સમય આવી ગયો છેઃ આચાર્ય પ્રમોદ

કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા નવી દિલ્હીકોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા જગાવી છે. તેમણે એક વીડિયો શેર કરતાં કહ્યું કે તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ…

ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા પર ટ્રેકટર ચઢાવી તોડી નાખી

બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી, અનેક વાહનોની તોડફોડ ઉજ્જૈનમધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બે પક્ષો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આજે સવારે જ માકડોન વિસ્તારમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિને તોડી નાખવામાં આવી હતી જેને લઈને મામલો બીચક્યો હતો. એક પક્ષ દ્વારા પહેલા આ પ્રતિમા પર ટ્રેક્ટર ચઢાવી દેવાયું હતું અને પછી પ્રતિમાને લોખંડના પાઈપ વડે…

યુપીમાં ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં 12 શ્રદ્ધાળુનાં મોત

અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળેથી નાસી ગયો હતો, બંને વાહન કેમ અથડાયા તેનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી શાહજહાંપુરઉત્તરપ્રદેશમાં ભારે ઠંડી વચ્ચે ધુમ્મસની સ્થિતિ હવે જીવલેણ બની રહી છે. શાહજહાંપુરમાં બેફામ ડમ્પર ચાલકે એક રીક્ષાને ટક્કર મારતા 12 શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. આ લોકો મદનાપુરના દમગઢા ગામથી ગંગા સ્નાન કરવા માટે ઢાઈ…

દેશના 75માં પ્રજાસત્તાક દિને દિલ્હીમાં અભેદ્ય કિલ્લેબંધી, 14 હજાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત

દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર, કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ (ક્યુઆરટી), પીસીઆર વાન અને સ્વૉટ ટીમ પણ અલગ-અલગ સ્થળોએ તહેનાત નવી દિલ્હીદેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ જવાનો કદમતાલ મિલાવતા નજરે પડશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના…

શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે અને ભારત સરકારના નિપૂણ ભારત મિશનને સમર્થન આપવા માટે ખાનગી ક્ષેત્ર અને લોકોએ સહયોગ સાધ્યો

અગ્રણી સીએસઆર, ફિલાન્થ્રોપિક અને નોન-પ્રોફિટ ક્ષેત્રે કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓના જોડાણ દ્વારા શરૂ કરવામાં આવેલા એફએલએન (ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યૂમેરસી)માં શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપનારી પહેલ લિફ્ટએડનો લાભ સમગ્ર ભારતમાં ચાર મિલિયન બાળકો સુધી પહોંચાડવાનો ધ્યેય છે મુંબઈ, 24 જાન્યુઆરી 2024: આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે ખાનગી ક્ષેત્ર અને સામાજિક આગેવાનો લિફ્ટએડ (એફએલએન ટુ ટ્રાન્સફોર્મ એજ્યુકેશન…

કર્પુરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવશે

ઠાકુર બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા, તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી નવી દિલ્હીકેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરની આજે એટલે કે 24 જાન્યુઆરીએ 100મી જન્મજયંતી પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી…

કોટાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો ફાંસી લગાવીને આપઘાત

કોટામાં વિદ્યાર્થીના આપઘાતનો આ 2024નો પહેલો મામલો છે, પરંતુ ગયા વર્ષે કોટામાં 29 વિદ્યાર્થીઓ આપઘાત કર્યો હતો કોટાશિક્ષાની નગરી કહેવાતા કોટાથી આજે સવારે માઠા સમાચાર સામે આવ્યા છે. કોટામાં જેઈઈની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીનેઆપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીની ઉંમર 17થી 18 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળેલા અહેવાલો મુજબ વિદ્યાર્થી ઉત્તર…

રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ સામે એફઆઈઆર નોંધાઈ

રાજ્ય પોલીસ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધશે અને લોકસભા ચૂંટણી બાદ ધરપકડ કરશે એવા હિમંતા બિસ્વાના નિવેદન બાદ પગલાં લેવાયા ગુવાહાટીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ કેસી…

મારી પર 25 કેસ છે, વધુ 25 કરો, હું ડરતો નથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આસામના બારાપેટામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે હિમંતા બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે બારાપેટાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર આકરા પ્રહારો કરીને કહ્યું કે મને ખબર નથી કે તેમના (હિમંતા બિસ્વા…

આસામ રાઈફલ્સના જવાનનો સાથી જવાનો પર ગોળીબાર, છને ઈજા

આ ઘટના એ.આર.બટાલિયનના કેમ્પસમાં બની, મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું ઈમ્ફાલદક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 6 જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના…

એફઆરઆરઓએ ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી

નોટીસમાં તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ કેમ પાછું ખેંચી લેવામાં ન આવે? નવી દિલ્હીગૃહ મંત્રાલય હેઠળના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (એફઆરઆરઓ) એ નવી દિલ્હી સ્થિત ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી છે. નોટીસમાં તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ કેમ…

રામમંદિરમાં હવે સવારે 7થી રાતના 11 સુધી દર્શન થઈ શકશે

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કરી લીધા અયોધ્યાઅયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે જેમાં હવે ભક્તો સવારે 7 વાગ્યાથી…

તૃણમુલનો પ. બંગાળમાં, આપનો પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવા નિર્ણય

પંજાબમાં કોંગ્રેસ સાથે અમને કોઈ લેવા દેવા નથીઃ માન, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ અમારો પ્રસ્તાવ ફગાવી દેતાં અમે આ જાહેરાત કરવા મજબૂર છીએઃ મમતા ચંડિગઢ/ કોલકાતાપ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે ઝટકો આપ્યા બાદ હવે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ) એ કોંગ્રેસને સાઈડલાઈન કરી દીધી છે. આપએ સ્પષ્ટ કર્યું છે કે પંજાબમાં પાર્ટી એકલી જ લોકસભા ચૂંટણી લડશે.પંજાબના…

ખેડૂતોની માગણીને લઈને 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન

બેરોજગારી, એમએસપી ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવશે લખનૌઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક આવેદન આપીને મહાપંચાયતનું સમાપન કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈતે સરકારને ઘેરતા કહ્યું કે સરકાર ખેડૂતોને નબળા પાડવાનું કામ કરી રહી છે. મહા પંચાયતમાં શેરડીના ભાવ,…

ભારતની સૌથી આધુનિક કલવરી ક્લાસની સબમરીન પરેડમાં દર્શાવાશે

આ સબમરીન દેશની સુરક્ષા માટે સમુદ્રમાં ચુપચાપ પોતાનું કામ કરી રહી છે નવી દિલ્હીઆ વર્ષે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં એવી સબમરીન પણ પોતાની તાકાત બતાવશે, જે દેશની સુરક્ષા માટે સમુદ્રમાં ચુપચાપ પોતાનું કામ કરી રહી છે. કલવરી ક્લાસની આ સબમરીન ભારતની સૌથી આધુનિક સબમરીન છે જે તે ડીઝલ અને ઇલેક્ટ્રિક બંને પર…

વિરાટ કોહલીના ડુપ્લિકેટને જોઈ સેલ્ફી લેવા પડાપડી

વિરાટ કોહલીને પણ મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં પહોંચી શક્યો ન હતો અયોધ્યાઅયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. રાજનીતિથી લઈને રમત જગતના જાણીતા નામ હાજરી આપવા અયોધ્યા પહોંચ્યા હતા. વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે…

સુરતના હીરાના વેપારીએ 11 કરોડનો મુકુટ દાન કર્યો

આ મુગટને નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે સુરત500 વર્ષોથી જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે ઘડી ગઈ કાલે પૂર્ણ થઈ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને રામલલા પોતાના જન્મસ્થાન પર બિરાજમાન થઈ ગયા છે. સંધ્યા સમયે દેશવાસીઓએ ભગવાન રામના પુનરાગમનની ઉજવણી કરતા ‘દિપ’ પ્રગટાવીને…