અજિત પવાર ક્યારેક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકેઃ શરદ પવાર

ભાજપ દેશના 70 ટકા રાજ્યોમાં સત્તામાં નથી અને તે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવશે એવો એનસીપીના નેતાનો દાવો મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ શરદ પવારે  કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપ દેશના 70 ટકા રાજ્યોમાં સત્તામાં નથી…

દિલ્હીના ઘણા વિસ્તારોનો એક્યુઆઈ 300 થી ઉપર,ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો

ચોમાસું પાછું ખેંચાયા બાદ 6 અને 7 ઓક્ટોબરે એક્યુઆઈ 200ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો નવીદિલ્હી દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જો આજે દિલ્હીના એક્યુઆઈ વિષે વાત કરવામાં આવે તો 200ને પાર કરી ગયો હતો. ચોમાસું પાછું ખેંચાયા…

ભારતમાં ઈઝરાયેલના નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં હાઈએલર્ટ

એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા એજન્સીઓ અને પોલીસને આપી દેવાઈ છે. એલર્ટમાં કેટલાક સ્થળો પર મજબુત સુરક્ષાનું પણ કહેવાયું નવી દિલ્હી પેલેસ્ટાઈનનું આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેને ધ્યાને રાખી ભારતે રાજદ્વારીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહિત ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા…

2014માં ફાંસીન સજા બાદ પટના હાઈકોર્ટે આરોપીને હવે નિર્દોષ જાહેર કર્યો

મુન્ના પાન્ડેને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો પટના બિહારમાં સબૌર પોલીસે વર્ષ 2015માં એક વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ બાદ હત્યા કરવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી. 2014માં  એડિશનલ જજ ભાગલપુરની અદાલતે આરોપીને દોષિત જાહેર કરી ફાંસીની સજા આપી હતી. 2018માં પટના હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જો કે હવે આ નિર્ણય…

યુપી કારતૂસ કાંડમાં 24 દોષિતોને 10-10 વર્ષની સજા, 10-101 હજારનો દંડ

તમામ આરોપીઓને સમાન સજા અપાઈ છે, આ કેસમાં 13 વર્ષની સુનાવણી 9 સાક્ષીઓની જુબાની બાદ સજા સંભળાવાઈ લખનઉ ઉત્તરપ્રદેશના રામપુરના ચર્ચિત કારતુસ કાંડમાં આખરે 24 પોલીસ કર્મચારીઓ સ્પેશિયલ કોર્ટે  સજા સંભળાવી છે. આ કેસમાં 13 વર્ષની સુનાવણી 9 સાક્ષીઓની જુબાની બાદ આખરે 24 દોષિતોને 10-10 વર્ષની સજા અને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. મદદનીશ…

ટ્રેન દુર્ઘટનાના મૃતકોના પરિવારને 14 લાખની સહાય અપાશે

ઘાયલોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે નવી દિલ્હીગઈકાલે બિહારના બક્સરમાં ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલ થયેલા લોકો માટે રેલવે દ્વારા એક્સ-ગ્રેશિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય બિહાર સરકારે દ્વારા પણ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા…

સરકારની લૂંટ અને પાખંડની પરાકાષ્ઠા, મોદી મણિપુર ક્યારે જશેઃ ખડગે

કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મણિપુરની સ્થિતિનો એક મિનિટનો એનિમેટેડ વીડિયો પણ શેર કર્યો છે જેમાં શબના પડ્યાં હોવા અને હિંસાને કારણે રાજ્યના સળગવાના દૃશ્યો દેખાઈ રહ્યા છે નવી દિલ્હીકોંગ્રેસે ગંગાજળ પર કથિત રીતે 18 ટકા જીએસટી લગાવવાના મોદી સરકારના નિર્ણયની આકરી ટીકા કરી હતી અને તેને લૂંટ તથા પાખંડની પરાકાષ્ઠા ગણાવી હતી. વડાપ્રધાન…

પીઆઈની હત્યા કેસમાં આરિઝ ખાનની ફાંસીની સજા આજીવન કેદમાં બદલાઈ

દિલ્હીમાં 13મી સપ્ટેમ્બર 2008ના રોજ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં 26 લોકોના મોત થયા હતા જ્યારે 133 લોકો ઘાયલ થયા હતા નવી દિલ્હીઆજે દિલ્હી હાઈકોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા આરિઝ ખાનને આપવામાં આવેલી ફાંસીની સજા ને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. અગાઉ દિલ્હી પોલીસ ઈન્સ્પેકટર મોહન ચંદ શર્માની હત્યા માટે ટ્રાયલ…

જાતીય સતામણીના કેસમાં આરોપીને 100 વર્ષની કેદ, ચાર લાખનો દંડ

પીડિત બાળકીની 8 વર્ષીય મોટી બહેને પોતાની માતાને એ વિશે જણાવ્યું કે, તેને અને તેની નાની બહેનને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો તિરુવંતપુરમસત્યનું પાલન કરવાની મહાત્મા ગાંધીની શીખ સાડા ત્રણ વર્ષની બાળકીની જાતીય શોષણની તપાસમાં અને આરોપીને 100 વર્ષની જેલની સજા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. બે વર્ષ જૂના કેસમાં પથાનમથિટ્ટા જિલ્લાની અદૂર ફાસ્ટ ટ્રેક…

બિહાર રેલ દુર્ઘટનામાં કાવતરાની શંકા, અનેક પાટા તૂટેલા મળ્યા

તપાસ દરમિયાન રેલવેના પાટા અનેક જગ્યાએ તૂટી આવેલાં મળ્યા હતા, પાટા સાથે છેડછાડ કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે નવી દિલ્હી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી કામાખ્યા જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટના થયા બાદ તપાસ શરૂ થઈ ચૂકી છે. રેલવે બોર્ડે દુર્ઘટનાના તાત્કાલિક બાદ હાઈ લેવલની તપાસના આદેશ કર્યા હતા. તપાસ દરમિયાન રેલવેના પાટા અનેક જગ્યાએ…

ઈઝરાયેલમાંતી ભારતીયોને પરત લાવવા ઓપરેશન અજય હાથ ધરાશે

તેના માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનીં વિદેશપ્રધાન જયશંકરે માહિતી આપી નવી દિલ્હી ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સંચાલિત હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત તેના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન અજય રાખવામાં આવ્યું છે.  વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે આ માહિતી…

રાજસ્થાનમાં હવે 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે

23 નવેમ્બરે દેવઊઠી એકાદશી છે, મોટા પ્રમામમાં લગ્નો હોઈ ચૂંટણી પંચ દ્વારા તારીખ બદલવામાં આવી નવી દિલ્હીચૂંટણી પંચે રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ મતદાનની તારીખ 23મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 25મી નવેમ્બરે મતદાન થશે. તારીખ બદલવા માટે વિવિધ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી. કારણ…

માય ભારત નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવા કેન્દ્ર સરકારનો નિર્ણય

માય ભારત પ્લેટફોર્મ પર કરોડોની સંખ્યામાં દેશ વિદેશથી યુવાઓ પર જોડાશે, આ પ્લેટફોર્મ 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરાશે નવી દિલ્હીવડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે માય ભારત નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ…

તૃષ્ટીકરણ માટે દેશ હિતને દાવ પર લગાવવો કોંગ્રેસના ડીએનએમાઃ બિસ્વા

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પેલેસ્ટિનિયન લોકોની જમીન, સ્વ-શાસન અને સન્માન સાથે જીવવાના અધિકારોનું સમર્થન આપવાની વાત કરી નવી દિલ્હીઆસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પેલેસ્ટાઈનનું સમર્થન કરવા પર કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસની તુલના પાકિસ્તાન અને તાલિબાન સાથે કરી નાખી છે. તુષ્ટીકરણ માટે દેશહિતને દાવ પર લગાવી દેવું તેમના ડીએનએમાં છે.આસામના સીએમ એ કહ્યું…

આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ફેરફારો ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે: અમિત શાહ

અમૃતકાળમાં ફોરેન્સિક સાયન્સ, સીસીટીએનએસ અને આઈસીજેએસની ભૂમિકા પણ મહત્વપૂર્ણ દહેરાદૂનકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આયોજિત ૪૯મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું, ‘ફોરેન્સિક સાયન્સના ઉપયોગ દ્વારા CCTNS અને ICJSની ભૂમિકા અને આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલનાર ત્રણ નવા કાયદા સાથે ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અમૃતકાળમાં…

ભિવાનીમાં રોડ પર ઊભેલી ટ્રક સાથે કાર ટકરાતાં છ યુવકનાં મોત

ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે યુવકોના હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયા ભિવાની હરિયાણાના ભિવાનીના બહલ વિસ્તારના સેરલા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે એક કાર અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે ટક્કર થવાથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે…

હિમાચલમાં ધર્મકોટોમા ઈઝરાયેલી નાગરિકોને યુદ્ધમાં જોડાવા આદેશ

ઈઝરાયેલમાં યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી ભારતમાં રહેતા ઈઝરાયેલીઓ ઘણા ચિંતિત જોવા મળી રહ્યા છે, તેઓ પોતાના વતન પરત ફરવા માંગે છે નવી દિલ્હી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જાય બાદ ભારતમાં વસતા ઈઝરાયેલીઓ પણ ચિંતિત બની ગયા છે. વિશ્વભરમાં પણ આ યુદ્ધ…

એનઆઈએના મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા

કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે નવી દિલ્હી એનઆઈએની ટીમે આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા (એનઆઈએ રેઈડ) પાડ્યા છે. હાલ દિલ્હીમાં ઘણા સ્થળો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન…

અજિત પવારે પોતાને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા

અજિત પવારે યશવંતરાવ ચૌહાણને પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યા, તેમણે પોતાના કાકા અને એનસીપીના સંસ્થાપક શરદ પવારના નામનો ઉલ્લેખ ન કર્યો મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અંદર વિભાજન પર ચૂંટણી પંચની સુનાવણી વચ્ચે બળવાખોર જૂથના પ્રમુખ અજિત પવારે ખુદને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા અને એકનાથ શિંદે સરકારમાં સામેલ હોવાના પોતાના પગલાંનો બચાવ કર્યો હતો.  અજિત પવારે આઠ…