મનમોહનસિંહનું માર્ગદર્શન હંમેશા યાદ કરાશેઃ વડાપ્રધાન મોદી

લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે, તેમના યોગદાનને લોકો યાદ કરશે નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે, તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે.  ખરેખર તો રાજ્યસભામાં જે 56…

યુએસના અર્થતંત્ર પર સરેરાશ ઉંમર – દેવાનું વ્યાજ ભરવાનો ભાર

આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ ન્યૂયોર્ક અમેરિકા ભલે દુનિયાની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ હોય, પરંતુ અમેરિકાની ઈકોનોમી જેટલી મોટી છે તેટલું જ તેના પર જંગી દેવું પણ છે.બુધવારે અમેરિકાની નોનપાર્ટીસન કોંગ્રેસનલ બજેટ ઓફિસે વ્યક્ત કરેલા અંદાજ અનુસાર આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ છે, જેની…

જૂઠા આરોપોથી પતિને ફસાવનારી મહિલાને પાંચ વર્ષની કેદ

ચેન્નૈમાં છ વર્ષ પહેલા આધેડ વયની મહિલાએ તેના પતિ પર પોતાની દીકરીને પ્રેગનેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો ચેન્નાઈ આપણા દેશમાં સ્ત્રીઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડવાની સાથે તેમનું સમ્માન જળવાય તે માટે અનેક પ્રકારના કડક કાયદા છે, પરંતુ ક્યારેક આવા કાયદાનો દુરુપયોગ પણ થાય છે જેનો ભોગ મોટાભાગે પુરુષોને જ બનવાનો વારો આવતો હોય છે.આવા…

ચિલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

પિનેરા 74 વર્ષના હતા, આ ઘટના લાગો રેન્કોમાં બની હતી, આ જગ્યાઓ રજાઓ માણવા માટે જાણીતી છેલાગો રેન્કોચિલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગયું છે. પૂર્વ પ્રમુખ અને એક અબજપતિ ટાયકૂનના ઓફિસ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી.બંનેના કાર્યાલય વતી જણાવાયું કે અફસોસ સાથે આ માહિતી શેર કરી રહ્યા છીએ કે…

વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરની ભોજનની થાળીમાં વંદો નિકળ્યો

જબલપુર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેને સત્તાવાર ફરિયાદ કરી જબલપુરઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા રેલવે મુસાફરોને પૂરા પાડવામાં આવતા પેક્ડ ફૂડમાં મોટી ગરબડનો મામલો સામે આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસમાં રાણી કમલાપતિથી જબલપુર જઈ રહેલા એક મુસાફરના ભોજનની થાળીમાંથી વંદો નીકળતાં ખળભળાટ મચી ગયો છે.જબલપુર રેલ્વે…

સીરિયામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 3 નાગરિક સહિત પાંચનાં મોત

સીરિયામાં ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ઈઝરાયલ દ્વારા ક્રૂરતાપૂર્વક હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે હોમ્સસીરિયાના હોમ્સ શહેરમાં ઈઝરાયલ દ્વારા આડેધડ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં 3 નાગરિકો સહિત 5 લોકો મૃત્યુ પામી ગયા. યુદ્ધ પર નજર રાખતી એક એજન્સીએ કહ્યું કે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે અનેક નાગરિકોની જાનહાનિના અહેવાલ આપ્યા છે.સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન…

શિકાગોમાં ચાર લૂંટારાઓનો હૈદ્રાબાદના વિદ્યાર્થી પર હુમલો

આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થી વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો શિકાગોઅમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. હૈદરાબાદના એક વિદ્યાર્થી પર શિકાગોમાં ચાર સશસ્ત્ર લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે…

પેલેસ્ટાઈનની સ્થાપના ન થાય તો સાઉદી- ઈઝરાયલ સંબંધો નહીં

રિયાધ પેલેસ્ટાઈનના લોકોને તેમના અધિકાર આપવા માટે પ્રતિબદ્ધ હોવાનો સાઉદી અરબનો દાવો રિયાધસાઉદી અરબે ઈઝરાયલને ફરી એકવાર પોતાની તાકાત બતાવી દીધી છે. બેન્જામિન નેતન્યાહૂના દેશને ચેતવણી આપી દીધી છે કે જ્યાં સુધી એક સ્વતંત્ર રાષ્ટ્ર પેલેસ્ટાઈનની સ્થાપના નહીં કરાય ત્યાં સુધી સાઉદી અને ઈઝરાયલ વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો અસ્તિત્વમાં નહીં આવે.સાઉદી અરબના વિદેશ મંત્રાલયે કહ્યું…

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતના ઠેકાણે દરોડા

ઉત્તરાખંડ, દિલ્હી અને ચંડીગઢમાં અનેક ઠેકાણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી દહેરાદૂનએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) હાલમાં વધારે સક્રિય થઇ હોય તેમ એક પછી એક જગ્યાએ દરોડાની કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં મની લોન્ડરિંગના કેસમાં આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના ઠેકાણે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઉત્તરાખંડ, દિલ્હી અને ચંડીગઢમાં…

રાજ્યના 29 જિલ્લામાં પાંચ લાખથી વધુ બાળકો કુપોષિત

જેમાંથી અતિ ઓછા વજનવાળા એક લાખ 18 હજાર 104 કુપોષિત બાળકો હોવાની મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો ગાંધીનગરવિકસિત ગુજરાતની વાતો વચ્ચે કુપોષિત બાળકોના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના પાંચ લાખ 28 હજાર 653 બાળકો કુપોષિત છે, જેમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો…

દેશમાં મફત સારવાર અને અનાજ મળતાં રહેશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

આગામી 5 વર્ષમાં દેશને બુલેટ ટ્રેનની ભેટ મળશે, તમામ ઘરને પાઈપલાઈનથી ગેસ મળશે, ગરીબો માટે ઘર બનાવતા રહીશું નવી દિલ્હીવડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોનું જીવન સુધારવું અમારો પ્રયાસ છે. 5 લાખ સુધીની મફત સારવાર મળતી રહેશે. અનાજ મફત મળતું રહેશે. વિકાસની ગતિ ધમી નહીં પડવા દઈએ.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે પણ મારો મંત્ર છે કે…

કેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ બ્લોક કરી દીધા

રોકાણ પ્રમોશન અને અન્ય પ્રકારના કૌભાંડો સાથે જોડાયેલી ઘણી ગેરકાયદેસર વેબસાઈટ મળી આવી નવી દિલ્હીકેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ (સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ) બ્લોક કર્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ લોકસભામાં આ માહિતી આપી હતી કે સાયબર કૌભાંડો પર પકડ કડક કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું…

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર જોવું આજની પેઢીનું સૌભાગ્ય છેઃ કુમાર વિશ્વાસ

સિરોહીરાજસ્થાનમાં રામકથા કરવા પહોંચેલા કવિ કુમાર વિશ્વાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કરવાની સાથે અયોધ્યામાં રામ મંદિર અંગે પ્રતિક્રિયા આપી છે. વિશેષ વિમાનથી સિરોહી પહોંચ્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર જોવું આજની પેઢીનું સૌભાગ્ય છે. સાડા પાંચસો વર્ષની રાહત જોયા બાદ આ ખુશીની ક્ષણ આવી છે.કુમાર વિશ્વાસે…

છ વર્ષ બાદ લઘુત્તમ વેતનમાં સરકાર વધારો કરે એવી શક્યતા

લઘુત્તમ વેતન વધારવા માટે હવે સરકાર માત્ર પેનલની ભલામણની રાહ જોઈ રહી છે નવી દિલ્હીલોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લઘુત્તમ વેતન અંગે છે. સરકાર એ નક્કી કરી શકે છે કે, દેશના લોકોને ઓછામાં ઓછું કેટલું વેતન મળશે. લઘુત્તમ વેતન નક્કી થઈ ગયા બાદ કોઈ પણ કામ…

ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ ટોચના સ્થાને પહોંચી ગયો

બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો દુબઈઆજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગયો છે. બુમરાહ પ્રથમ વખત ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. આવી…

અરુણ ઘોષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેનેટર બન્યા, ગીતા પર હાથ મૂકીને શપથ લીધા

વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયાની સંસદના પહેલા એવા સભ્ય છે જેમણે ભારતમાં જન્મ્યા બાદ ત્યાંની સંસદમાં સ્થાન મેળવ્યું હોય કેનબેરાભારતીય મૂળના બેરિસ્ટર અરુણ ઘોષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેનેટર બનીને ઈતિહાસ સર્જયો છે.તેમણે ભગવદ ગીતા પર હાથ મુકીને શપથ લીધા હતા.વરુણ ઘોષનો જન્મ ભારતમાં થયો હતો અને તેઓ ઓસ્ટ્રેલિયાની સંસદના પહેલા એવા સભ્ય છે જેમણે ભારતમાં જન્મ્યા બાદ ઓસ્ટ્રેલિયાની…

કર્ણાટકમાંથી અયોધ્યાના રામલલા જેવી 1000 વર્ષ જૂની મૂર્તિ મળી

આ મૂર્તિ એકદમ રામલલાની નવી બનાવાયેલી મૂર્તિ જેવી જ છે, પુરાતત્વવિદોએ કહ્યું કે આ મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે બેંગલુરૂકર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે. એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી. જે આશરે એક હજાર વર્ષ જૂની હોવાનો દાવો કરાયો છે. ખાસ વાત એ છે કે આ મૂર્તિ…

સેન્સેક્સમાં 34 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં 1 પોઈન્ટનો વધારો

આઈટી કંપનીઓ ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેરમાં નબળાઈ નોંધાઈ નવી દિલ્હીબુધવારે શેરબજારમાં મામૂલી નબળાઈ સાથે અંત આવ્યો. બીએસઈ સેન્સેક્સ 34 પોઈન્ટની નબળાઈ સાથે 72152 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 1 પોઈન્ટના વધારા સાથે 21930 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. દિવસ દરમિયાન શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા. નિફ્ટીએ બુધવારે 21660…

ટોચના મેટ્રો શહેરોમાં હેર ડિઝાઈન અને સ્ટાઈલીંગની સભાનતા વધી છેઃ જાવેદ હબીબ

અંધજન મંડળનાં 10 અંધજનોને નિઃશુલ્ક વાળની ટ્રીટમેન્ટ કરી આપવામાં આવી અમદાવાદભારતમાં ટોચની હેર અને બ્યુટી સલુન બ્રાન્ડ જાવેદ હબીબ સલુનનાં આઉટલેટનો શહેરનાં આનંદનગર રોડ પર કૃષ્ણા ટાવર્સમાં આરંભ થયો છે. અમદાવાદમાં જાવેદ હબીબ સલુનનું આ દસમું અને ગુજરાતમાં ૨૭મું આઉટલેટ છે.આનંદનગર રોડ પર શ્રી કૃષ્ણા ટાવર્સમાં આરંભાયેલા આ સલુનનું ઉદઘાટન જાવેદ હબીબ દ્વારા કરવામાં આવ્યું…

નિખત અને સાક્ષીએ 75મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ ટુર્નામેન્ટમાં જીત સાથે અભિયાનની શરૂઆત કરી

મનીષા અને અરુંધતી ચૌધરી આજે રાત્રે પછી એક્શનમાં આવશે સોફિયા, (બલ્ગેરિયા) નિખત ઝરીન અને સાક્ષી ચૌધરીએ સોમવારે સોફિયા, બલ્ગેરિયામાં 75મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ ટુર્નામેન્ટમાં વિરોધાભાસી જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી. 50 કિગ્રાના મુકાબલામાં નિખાતનો મુકાબલો મંગોલિયાના ઓયુન્ટસેટ્સેગ યેસુજેન સામે હતો. બંને બોક્સર હુમલાના ઇરાદા સાથે આવ્યા હતા કારણ કે તેઓએ દરેક તક પર જોરદાર ફટકો…