ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

ગુજરાતના જેતપુરમાં જન્મેલા ગાયકે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા મુંબઈ બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની માહિતી આપી છે. નાયાબે એક પોસ્ટ લખ્યું છે કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી-2024ના રોજ…

અગ્નિપથ યોજનાથી બે લાખ યુવાનોનાં સપનાં તૂટ્યાઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો નવી દિલ્હી કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો ચગાવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિપથ યોજનાને બંધ કરીને સેનામાં જૂની ભરતી પ્રક્રિયા લઈને આવશે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ…

માનહાની કેસમાં કેજરીવાલે સુપ્રીમમાં પોતાની ભૂલ સ્વિકારી

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા આદેશ આપ્યો, આ કેસની આગામી સુનાવણી 11મી માર્ચે થશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાની ભૂલ સ્વીકારી છે. એક યુટ્યુબરના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’પર રીપોસ્ટ કરવા બદલ કેજરીવાલ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. આ કેસને રદ્દ કરવા માટે તેમણે…

ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી ભારતનો શ્રેણી પર કબજો

ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે ટી બ્રેક પહેલા હાંસલ કરી લીધો રાંચી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેણે ભારતે ટી બ્રેક પહેલા હાંસલ…

ભારત ટેક્સનું એફ-5 સૂત્ર ટેક્નોલોજીને ટ્રેડિશન સાથે જોડે છેઃ મોદી

વડાપ્રધાનના ‘5એફ વિઝન’થી પ્રેરણા લેતા આ કાર્યક્રમમાં ફાઈબર, ફેબ્રિક અને ફેશન પર મુખ્ય ફોકસ રાખવામાં આવ્યું છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઈલ પ્રોગ્રામમાંથી એક ‘ભારત ટેક્સ-2024’નું ઉદ્ઘાટન કરી દીધુ છે. ભારત ટેક્સ-2024 આજે 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ગુરુવાર 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. દિલ્હીના…

સેન્સેક્સમાં 352 અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ, એચયુએલ, અને એચડીએફસી બેંકના શેર ઉછળીને બંધ થયા હતા, જ્યારે એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ટાઇટનના શેરમાં નબળાઈ નોંધાઈ મુંબઈ સોમવારે શેરબજારના કામકાજમાં ઘણી નબળાઈ નોંધવામાં આવી હતી. બીએસઈ સેન્સેક્સ 352 પોઈન્ટ ઘટીને 72790 ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 90 પોઈન્ટ ઘટીને 22122 ના સ્તર પર…

ટ્રાઈએ કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો

ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને તેમના કેવાયસી ડોક્યુમેન્ટમાં નોંધાયેલા લોકોના નામ દર્શાવવા કહ્યું છે, જેથી યુઝર્સ જાણી શકે કે કોલ કોણે કર્યો છે નવી દિલ્હી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ટેલિકોમ કંપનીઓને નકલી કોલ્સથી કરોડો મોબાઈલ યુઝર્સને રાહત આપવા માટે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (સીએનએપી) સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને તેમના કેવાયસી ડોક્યુમેન્ટમાં…

પત્નીના નામે ખરીદાયેલી સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણાશે

મહિલાએ પોતાની કમાણીથી સંપત્તિ ખરીદી છે તો પરિવારના સભ્યોનો તે સંપત્તિ પર અધિકાર રહેશે નહીઃ અલ્લાહબાદ હાઈકોર્ટ અલ્લાહબાદ અલ્લાહાબાદ હાઈકોર્ટે પારિવારિક સંપત્તિ પર ચાલી રહેલા એક વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પતિ દ્વારા પોતાની પત્નીના નામ પર કોઈ સંપત્તિ ખરીદી છે અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તે સંપત્તિને…

સરકારી કર્મીના દેખાવનો પ્રશ્ન પૂછાતાં ઋષિકેશ પટેલે ચાલતી પકડી

છેલ્લાં ઘણાં સમયથી કર્મચારીઓ ‘હિત રક્ષક સમિતિ’ નામે રચાયેલા સંગઠન હેઠળ વિરોધ કરી રહ્યા અમદાવાદ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શુક્રવારે સરકારી કર્મચારીઓના દેખાવ અંગે સવાલો પૂછતાં અચાનક જ પત્રકાર પરિષદમાંથી જતા રહ્યા હતા. આ કારણસર મીડિયાના અનેક સવાલોના જવાબ મળ્યા ન હતા.  વાત એમ છે કે, 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરના સેક્ટર છમાં સત્યાગ્રહ છાવણી…

દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી, . ટિકરી અને કુંડલીથી બેરિકેડ હટાવાયા

25 ફેબ્રુઆરીએ શંભૂ અને ખનૌરી બોર્ડર પર દેશભરના ખેડૂતોને જાગૃત કરાશે નવી દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે હવે આ આંદોલનને લઈને 12માં દિવસે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી છે. ટિકરી અને કુંડલીથી બેરિકેડ હટાવવામાં આવી…

દેશમાં પહેલી જુલાઈથી ત્રણ ફોજદારી કાયદા લાગુ થશે

પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ થશે નવી દિલ્હી દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા, તે પહેલી જુલાઈ 2024થી લાગુ થશે. પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’, ‘ભારતીય ન્યાય સંહિતા’ અને ‘ભારતીય…

ફ્રાંસના ધ્વજને શેતાની ગણાંવનારા ઈમામની દેશમાંથી હકાલપટ્ટી

ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યુ હતુ તેને લઈને સરકારે કાર્યવાહી કરી પેરિસ ફ્રાંસની સરકારે આફ્રિકન દેશ ટ્યૂનિશિયાના એક ઈમામને ભડકાઉ નિવેદન બદલ દેશમાંથી રવાના કરી દીધા છે. ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યુ હતુ તેને લઈને સરકારે કાર્યવાહી કરી છે. તેમના પર આરોપ છે કે, ફ્રાંસની એક મસ્જિદમાં તેમણે અનુયાયીઓ સમક્ષ ઉશ્કેરણીજનક…

રશિયા-યુક્રેનના સમાધાનમાં ભારત ભૂમિકા ભજવી શકે છેઃ ઈરીના બોરોવેટસ

ભારત આ યુધ્ધનુ શાંતિપૂર્ણ સમાધાન થાય તે માટે કાર્યવાહી કરી શકે છે, ભારતે આ કવાયતનો હિસ્સો બનવાની જરુર છેઃ યુક્રેનના ડેપ્યુટી વિદેશી મંત્રી કીવ રશિયા અને યુક્રેનના જંગને બે વર્ષ પૂરા થવા આવ્યા છે. હજી પણ બંને દેશોની સેનાઓ એક બીજા સામે લડી રહી છે. બંને પક્ષોએ ભારે ખુવારી પણ થઈ છે. જોકે બેમાંથી કોઈ…

2024માં કર્મચારીઓના પગારમાં 9.5 ટકાનો વધારો થવાની ધારણા

સર્વે મુજબ કર્મચારીઓને ફુગાવો બાદ કર્યા પછી 4.9 ટકા વધુ ઇન્ક્રીમેન્ટ મળશે, જે 2023ના 4.2 ટકા કરતાં ઘણું વધારે છે નવી દિલ્હી કર્મચારીઓને આ વર્ષે પગાર વધારા બાબતે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. એયોન પીએલસીના એક રિપોર્ટ અનુસાર આ પગાર વધારો ગયા વર્ષ કરતા આ વર્ષે થોડો ઓછો મળશે. સર્વે મુજબ વર્ષ 2023માં 9.7…

ભાજપ માર્ચના પહેલા સપ્તાહમાં 100 ઉમેદવારના નામ જાહેર કરે એવી શક્યતા

પહેલી યાદીમાં મોટાભાગે તે બેઠકોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં ભાજપ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હારી ગયું હતું નવી દિલ્હી લોકસભા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કોઈપણ સમયે જાહેર કરી શકે છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, ભાજપ માર્ચના પહેલા અઠવાડિયામાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર…

અઝરબૈજાનનો પાકિસ્તાનથી 1.6 અરબ ડોલરની જેએફ-17 બ્લોક-III ફાઈટર જેટ્સ ખરીદવાનો કરાર

આ કરાર પાકિસ્તાનના પ્રમુખ ડિફેન્સ કોન્ટ્રાક્ટર પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ અને અઝરબૈજાનની વાયુસેનાની વચ્ચે થયો બકુ ભારત-આર્મીનિયા હથિયાર ડીલને લઈને અઝરબૈજાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુરેશિયાઈ દેશે પાકિસ્તાનની સાથે હથિયારોની મોટી ડીલ કરી છે. અઝરબૈજાને પાકિસ્તાનથી 1.6 અરબ ડોલરની JF-17 બ્લોક-III ફાઈટર જેટ્સ ખરીદવાનો કરાર કર્યો છે. આ કરાર પાકિસ્તાનના પ્રમુખ ડિફેન્સ કોન્ટ્રાક્ટર પાકિસ્તાન એરોનોટિકલ…

સંદેશખાલીમાં લોકોએ શાહજહાં શેખ સાથે સંકળાયેલા એક ઘરને આગ લગાવી દીધી

આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું કહેવાય છે, ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે ભીડને કાબૂમાં લીધી સંદેશખાલી ઘણા દિવસોથી અશાંત સંદેશખાલીમાં ફરી હોબાળો જોવા મળ્યો. ગુસ્સે થયેલા લોકોએ શુક્રવારે સવારે શાહજહાં શેખ સાથે સંકળાયેલા એક ઘરને આગને હવાલે કરી દીધો હતો. આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું…

ક્લબે એન્ટ્રી ન આપતા અકુલ ધવનનું હાઈપોથર્મિયાથી મોત થયું

ઈલિનોઈસ અને મધ્યપશ્ચિમના મોટાભાગના ભાગમાં જાન્યુઆરીમાં ભીષણ ઠંડી હોય છ,. ઠંડા પવનના કારણે ત્યાંનું તાપમાન -20થી -30 ડિગ્રી રહે છે વોશિંગ્ટન તારીખ 21 જાન્યુઆરી 2024… સ્થળ અમેરિકાનો ઈલિનોઈસ વિસ્તાર… જ્યાં 20 જાન્યુઆરીની રાતથી પોલીસ એક યુવકને શોધી રહી હતી. યુવકનું નામ અકુલ ધવન હતુ. ભારતીય મૂળનો આ યુવક યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ અર્બાના-શેમ્પેઈનનો વિદ્યાર્થી હતો. મોડી…

યુએસમાં એટીએન્ડટી સહિતની કંપનીઓનું મોબાઈલ નેટવર્ક 13 કલાક ઠપ્પ

ચીન માત્ર મોબાઈલ નેટવર્ક જ નહીં પણ બેન્ક સિસ્ટમ અને પાણી સપ્લાયના નેટવર્કને પણ ખોરવી શકે છે વોશિંગ્ટન અમેરિકામાં એટીએન્ડટી, ટી-મોબાઈલ તેમજ વેરિઝોન સહિતની મોબાઈલ સર્વિસ પૂરી પાડતી કંપનીઓના ગ્રાહકોના મોબાઈલ નેટવર્ક અચાનક જ ઠપ થઈ જતા ભારે અંધાધૂધી સર્જાઈ હતી.  22 ફેબ્રુઆરીએ મોબાઈલ નેટવર્કમાં સર્જાયેલી ખામીના કારણે હજારો મોબાઈલ ફોન ધારકોએ 13 કલાક સુધી…

ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને મારી નાખવાની ધમકી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાગરિતો દ્વારા ધમકી આપવામાં આવી છે તેવી ફરીયાદ દાખલ કરવામાં આવી અમદાવાદ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતને અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નરોડા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં તેમને આગામી પાંચમી જાન્યુઆરી સુધીમાં જાનથી મારી નાખવાનો કોલ અજાણ્યા લોકોએ કર્યો હતો. આ અંગે નરોડા પોલીસે…