ભરૂચમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નું ઉદ્ઘાટન, 4 હજાર ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ

પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો; શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો-સંસ્થાઓનું સન્માન, 25 બાળકોને સાયકલની ચાવી અર્પણ ભરૂચ શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારીમંત્રી…

આસામના પૂરગ્રસ્ત હાથી ‘જોયમોતી’ને એરલિફ્ટ કરીને જામનગરના ‘વનતારા’ લાવવામાં આવ્યો

ગંભીર ઈજાઓ અને અંધાપાનો સામનો કરી રહેલી 53 વર્ષીય માદા હાથીને વિશેષ તબીબી સારવાર અપાશે જામનગર નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરના પ્રકોપમાંથી સહીસલામત બચાવાયેલી 53 વર્ષીય માદા હાથી ‘જોયમોતી’ ને તાત્કાલિક અને વિશિષ્ટ પશુચિકિત્સા સારવાર અર્થે એરલિફ્ટ કરીને જામનગરના ‘વનતારા’ ખાતે લાવવામાં આવી છે. ભારતના ઈતિહાસમાં તીવ્ર હોસ્પિટલ સંભાળ માટે કોઈ હાથીને વિમાન મારફતે…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 21-08-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હવે માત્ર ૧ વર્ષની વકાલત કરીને બની શકાશે જજ, જાણો નિયમોમાં શું બદલાવ આવ્યો છે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ…

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હવે માત્ર ૧ વર્ષની વકાલત કરીને બની શકાશે જજ, જાણો નિયમોમાં શું બદલાવ આવ્યો છે

નવી દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ (Judicial Service)માં સિવિલ જજ બનવા માંગતા ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. કોર્ટે ભરતીના નિયમોમાં ફેરફાર કરીને જરૂરી લીગલ પ્રેક્ટિસની અવધિ ૩ વર્ષથી ઘટાડીને માત્ર ૧ વર્ષ કરી દીધી છે. મુખ્ય મુદાઓ: ૧ વર્ષની પ્રેક્ટિસનો નવો નિયમ અને સંક્રમણ કાળ (Transition Period) સુપ્રીમ કોર્ટના…

છત્તીસગઢના બેમેતરામાં મોટી બેદરકારી: જીવિત મહિલાને મૃત માનીને પોલીસે રૂમમાં લોક કરી, બે કલાક લટકતી રહી મહિલા!

બેમેતરા (છત્તીસગઢ): બેમેતરા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને સંવેદના શૂન્ય કરતી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આત્મહત્યાના હેતુથી ફાંસો ખાધો હતો, પરંતુ તે જીવિત હતી. જો કે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોઈ પણ પ્રકારની ડૉક્ટરી તપાસ કર્યા વિના જ તેને મૃત જાહેર કરી દીધી હતી. પોલીસની આ ગંભીર બેદરકારીના કારણે મહિલા લગભગ બે થી…

ફ્લેટના વાસ્તુ દોષ વિના તોડફોડ કેવી રીતે દૂર કરવા? વાસ્તુ ગુરુના 5 સરળ ઉપાય

અમદાવાદ જો તમે મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ કે ફ્લેટમાં રહો છો અને વાસ્તુ દોષથી પરેશાન છો, તો ફ્લેટમાં તોડફોડ કરવી શક્ય નથી હોતી. વાસ્તુ ગુરુ માન્યાના જણાવ્યા અનુસાર, તમે કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વિના કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમારા ફ્લેટનો વાસ્તુ દોષ દૂર કરી શકો છો અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારી શકો છો. ફ્લેટમાં વિના…

યુપી સરકારની નવી એગ્રીગેટર નીતિ: કેબ કે પિકઅપ કેન્સલ કરવા પર કંપનીઓને થશે 100 રૂપિયાનો દંડ

લખનૌ ઉત્તર પ્રદેશ સરકારે બુકિંગ એપ અને કેબ સેવાઓ ચલાવતી કંપનીઓની મનમાની પર રોક લગાવવા માટે એક મોટું અને કડક પગલું ભર્યું છે. વાહન વ્યવહાર અને ડિલિવરી સેવાઓને વધુ સુરક્ષિત અને જવાબદેહ બનાવવા માટે ઉત્તર પ્રદેશ મોટરયાન (સમૂહક તેમજ વિતરણ સેવા પ્રદાતા) નિયમાવલી, 2026 લાગુ કરવામાં આવી છે. આ સાથે જ upmyfleet.com એગ્રીગેટર પોર્ટલ પણ…

‘માને જ જોબમાંથી કાઢી મૂકી’: 15 દિવસ મેનેજર બની દીકરી, પછી આર્ટિસ્ટે કરી દીધી ફાયર; વાજબી છે કારણ!

આર્ટિસ્ટ અવંતી નાગરાલે પોતાની જ માતાને મેનેજર પદેથી માત્ર 15 દિવસમાં હટાવી દીધા. આ અનોખા કિસ્સા પાછળનું કારણ એકદમ વ્યવહારુ છે નવી દિલ્હી જ્યારે કામ વધવા લાગે ત્યારે પરિવારના સભ્યોની મદદ લેવી સામાન્ય વાત છે. લોકો અવારનવાર આવું કરતા હોય છે. એક આર્ટિસ્ટ દીકરીએ પણ કંઈક આવું જ કર્યું હતું, પરંતુ માને પોતાના મેનેજર બનાવ્યાના…

નિવૃત્ત સૈન્ય અધિકારીઓ અને JCOs માટે COCO રિટેલ આઉટલેટના સંચાલન માટે અરજીઓ આમંત્રિત

3 વર્ષના કરાર આધારિત સંચાલન માટે DGR દ્વારા અરજીઓ મંગાવવામાં આવી; અરજદારોની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જરૂરી નવી દિલ્હી ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ (DGR) દ્વારા નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ અને જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs) પાસેથી COCO રિટેલ આઉટલેટ્સના સંચાલન માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ નિયુક્તિ 3 વર્ષના કરાર આધારિત સમયગાળા માટે રહેશે. અરજદારોની…

ગુજરાત સ્ટેટ અન્ડર-17 ચેસ સિલેક્શન ટુર્નામેન્ટમાં માન અને મર્યાદા ચેમ્પિયન

બોયઝ કેટેગરીમાં માન અકબરી અને ગર્લ્સ કેટેગરીમાં યતી અગ્રવાલ પ્રથમ ક્રમે; જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમની પસંદગી અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા 15 અને 16 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ અન્ડર-17 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ફોર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. બોયઝ કેટેગરીની સ્પર્ધા સ્પોર્ટ્સ ક્લબ ખાતે,…

વનતારાની ગવર્નિંગ કાઉન્સિલના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે CITESના પૂર્વ સેક્રેટરી-જનરલ જોન ઈ. સ્કેનલોનની નિમણૂક

વન્યજીવ સંરક્ષણ, પ્રાણી કલ્યાણ અને અનુપાલન ક્ષેત્રે દેખરેખ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ જામનગર વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વનતારાએ પોતાની નવી સ્થાપિત પાંચ સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલના પ્રારંભિક સ્વતંત્ર અધ્યક્ષ તરીકે CITESના પૂર્વ સેક્રેટરી-જનરલ જોન ઈ. સ્કેનલોન AOની નિમણૂક કરી છે. ગવર્નિંગ કાઉન્સિલ વનતારાની સર્વોચ્ચ સંચાલકીય સંસ્થા તરીકે સંરક્ષણ, પ્રાણી સંભાળ, પુનર્વસન અને અનુપાલન…

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી

સરદાર પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન અને એકતા-અખંડિતતાના સંદેશથી અવગત થયા એકતા નગર ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી હતી. યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓએ વિશ્વની…

ભરૂચમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

દિકરીના ઘરે પહોંચી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ, હિરલબેનનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો ભરૂચ : રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત ‘સમરસ સેતુ વિદ્યા અભિયાન’ હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગને મોટી સફળતા મળી છે. વિવિધ કારણોસર ધોરણ 1થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે…

અમદાવાદમાં નેશનલ સિનિયર FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપનો આરંભ: 267 ખેલાડીઓ મેદાનમાં

ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા રાજપથ ક્લબ ખાતે ભવ્ય આયોજન; પ્રથમ રાઉન્ડના અંતે યુજેન એમ. શાહ અગ્રેસર અમદાવાદ અમદાવાદમાં ચેસના ખેલાડીઓ માટે ઉત્સાહના માહોલ વચ્ચે નેશનલ સિનિયર (ઓપન) FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-2026 નો શાનદાર પ્રારંભ થયો છે. એસ.જી. હાઈવે પર આવેલી જાણીતી રાજપથ ક્લબ ખાતે આ સ્પર્ધા યોજાઈ રહી છે. સ્પર્ધાની વિહંગાવલોકન અને ભવ્ય સહભાગિતા…

હીરામણિ શાળાની સિદ્ધિ: ખો-ખો સ્પર્ધામાં અન્ડર-17 અને અન્ડર-19 (ભાઈઓ) ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન

પશ્ચિમ દસક્રોઈ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં હીરામણિ શાળા (ગુજરાતી માધ્યમ) નું શાનદાર પ્રદર્શન, કુલ 22 ટીમોએ ભાગ લીધો હતો અમદાવાદ

FIBA U18 એશિયા કપ: ઈરાને ભારતને 83-66થી હરાવી ક્વાર્ટર ફાઇનલની રેસમાંથી બહાર કર્યું

અમદાવાદમાં ભારતીય ટીમની લડત અધૂરી રહી; ઈરાને બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર રમતથી મેચ પર કબજો જમાવ્યો અમદાવાદ અમદાવાદમાં રમાઈ રહેલા FIBA U18 એશિયા કપમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. 20 ઓગસ્ટે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફિકેશન ટુ ક્વાર્ટર-ફાઇનલ મેચમાં ઈરાને ભારતને 83-66થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતે શરૂઆતમાં લડત આપી હતી, પરંતુ…

અદાણી સ્પોર્ટ્સલાઇન એકેડમીના સ્કેટર પાર્થ શાહને ગુજરાત સરકારનો જયદીપસિંહજી જુનિયર એવોર્ડ

સ્કેટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માન : ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એવોર્ડ અર્પણ કર્યો અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇન એકેડમીના યુવા સ્પીડ સ્કેટર અને એથ્લેટ પાર્થ સુરાગ શાહને સ્કેટિંગ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરેલી નોંધપાત્ર સિદ્ધિઓ બદલ ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત જયદીપસિંહજી જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 12 ઓગસ્ટના રોજ…

ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા

રક્ષામંત્રી રાજનાથ સિંહે જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી નવી દિલ્હી રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી…

જાપાનના સંરક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ ભારતના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પી નવી દિલ્હી: જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ 20 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્મારક ખાતે પુષ્પમાળા અર્પણ કરી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતીય સશસ્ત્ર દળોના વીર જવાનોને નમન કર્યું હતું. રાષ્ટ્રીય યુદ્ધ…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 86.87 ટકા જળસંગ્રહ, કુલ 50,415 ક્યુસેક પાણીની જાવક

ડેમની સપાટી 134.70 મીટરે પહોંચી, નદીમાં 43,260 ક્યુસેક અને કેનાલમાં 7,155 ક્યુસેક પાણી છોડાયું નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ જળસંગ્રહ 86.87 ટકા નોંધાયો છે. 20 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.70 મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી નદી અને કેનાલમાં મળીને કુલ 50,415 ક્યુસેક પાણી…