બ્રેટ લીના કોન્સર્ટમાં મેક્સવેલે ખૂબ દારૂ ઢિંચતા બિમાર પડ્યો

બ્રેટ લીનું સિક્સ ઍન્ડ આઉટ નામનું મ્યૂઝિક બૅન્ડ છ અને એની સાથે જોડાયેલા કૉન્સર્ટમાં મૅક્સવેલ પોતાને ક્નટ્રોલમાં ન રાખી શક્યો મેલબર્નઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સિરીઝ પછી દારૂની પાર્ટી કરવા માટે જાણીતા છે. ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પછી તેમણે દારૂનો જલસો માણ્યો હતો. મિચલ માર્શે તો નવેમ્બરમાં અમદાવાદમાં કમાલ જ કરી નાખી હતી. વન-ડે વર્લ્ડ કપમાં…

યુએસ-બ્રિટનનો 12 દિવસમાં આઠમી વખત હુથી સંગઠન પર હુમલો

આ હુમલાઓમાં હુથી સંગઠનના ઘણા હથિયારોના સંગ્રહસ્થાનો નાશ પામ્યા સાનાઅમેરિકા અને બ્રિટને ફરી એકવાર ઈરાન સમર્થિત યમનના હુથી સંગઠન પર હુમલો કર્યો હતો. બંને દેશોની એરફોર્સે સોમવારે મોડી રાત્રે આઠ હુતી સ્થાનો પર હુમલા કર્યા હતા. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવવાની હુથીઓની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ…

ભારે ભીડને લીધે અયોદ્યા રામમંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ

રામમંદિર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અયોધ્યાઅયોધ્યા રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકવામાં આવ્યા હતા. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલલાની પ્રાણ…

શિકાગો નજીક બે સ્થળો પર ગોળી મારીને સાતની હત્યા

પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે, શંકાસ્પદની ઓળખ 23 વર્ષીય રોમિયો નાન્સ તરીકે થઈ શિકાગોઅમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમેરિકાના શિકાગો નજીક બે જગ્યાએ સાત લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.અમેરિકાના શિકાગોમાં બે જગ્યાએ…

કૂનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે, આ પહેલા પણ જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો ભોપાલકૂનો નેશનલ પાર્કમાં આજે ત્રણ નવા ચિત્તાના બચ્ચાનો જન્મ થયો છે. માદા ચિત્તા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે. આ પહેલા પણ જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા હતા. કૂનો નેશનલ…

રિંકુ સિંહની ઈંગ્લેન્ડ લાયન્સ સામેની ટેસ્ટ ટીમમાં પસંદગી

રિંકુ સિંહ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થવાનો આ એક રીતે રોડમેપ છે નવી દિલ્હીઆજે સવારે બીસીસીઆઈએ એક મોટી જાહેરાત કરી છે. પુરુષ પસંદગી સમિતિએ રિંકુ સિંહને ભારત-એ ટીમમાં સામેલ કર્યો છે. હવે રિંકુ સિંહ ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાનાર ચાર દિવસીય ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. ત્રીજી મેચ માટે તેને પહેલા જ પસંદ કરવામાં આવ્યો હતો.રિંકુ…

ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે પાંચ ખેલાડી ફેવરિટ

રજત પાટીદાર, સરફરાઝ ખાન, ચેતેશ્વર પુજારા, અભિમન્યુ ઇશ્વરન અને રિંકુ સિંહ વિરાટનું સ્થાન લઈ શકે છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ શરુ થવા જઈ રહી છે. પરંતુ આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીએ આ સીરિઝની પ્રથમ બે મેચથી નામ પાછું ખેંચી લીધું છે….

હોંગકોંગને પછાડીને ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ

બ્લૂમબર્ગના ડેટા અનુસાર ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરોનું સંયુક્ત મૂલ્ય 4.33 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે નવી દિલ્હીભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતે હોંગકોંગને પછાડીને પ્રથમ વખત ટોપ ચારમાં જગ્યા બનાવી છે.બ્લૂમબર્ગના ડેટા અનુસાર સોમવારે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરો નું સંયુક્ત મૂલ્ય 4.33 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું…

ઈલોન મસ્કે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું

સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારત માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય ન હોવું તે તદ્દન વાહિયાત વાત છેઃ મસ્ક વોશિંગ્ટનટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે તેમના વિચારો વ્યક્ત કરીને યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.હાલમાં જ યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુએનએસસીમાં આફ્રિકન…

સેન્સેક્સમાં 1053 અને નિફ્ટીમાં 333 પોઈન્ટનું ગાબડું, રોકાણકારોના 8 લાખ કરોડનું ધોવાણ

પ્રોફિટ બુકિંગના કારણે રેલવેના શેરમાં 16 ટકા સુધીની નબળાઈ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને એફઆઈઆઈએ ઝોમેટો સહિત ચાર નવા યુગની ટેક કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો મુંબઈમંગળવારે બીએસઈ સેન્સેક્સ 1053 પોઈન્ટની નબળાઈ સાથે 70370 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને 21,238 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે સોનું 187 રૂપિયાના વધારા…

અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભીડ બેકાબૂ, પોલીસના લાઠીચાર્જથી નાસભાગ

સુરક્ષાને ધ્યાને રાખી કમિશનર, આઈજી અને એડીજી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા તેમજ નાસભાગ ન કરવા અપીલ કરી અયોધ્યાઅયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે મંદિર ખુલ્લુ મુકાતા ભારે ભીડ ઉમટી પડી છે. મંદિર અને પરિસર ખીચોખીચ ભરાઈ જતા પોલીસે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહી હતી. આ…

આઈસીસી ટીમ ઓફ ધ યરની ટીમોમાં ભારતનe 12 ખેલાડી સામેલ

ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને આયરલેન્ડના ખેલાડીઓને પણ આઈસીસી ટીમ ઓફ ધ યર 2023માં સ્થાન મળ્યું પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એક પણ ખેલાડીને એક પણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી દુબઈઆઈસીસીએ તેની ત્રણેય ફોર્મેટ માટે આઈસીસી ટીમ ઓફ ધ યર 2023 જાહેર કરી દીધી છે. આ ત્રણેય ફોર્મેટમાં ભારતના કુલ 12 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત…

હિંદુસ્તાન પેન્સિલ્સની 65 વર્ષે પણ નવીનીકરણ સાથે આગેકૂચ

ભારતના બે તૃતીયાંશ શિક્ષિત જનતાએ ક્યારેક ને ક્યારેક અપ્સરા અને નટરાજની પેન્સિલો અને અન્ય ઉત્પાદનોનો વપરાશ કર્યો જ હશે અમદાવાદઘરે ઘરે ઉપયોગમાં લેવાતી સુપ્રસિદ્ધ અપ્સરા અને નટરાજ બ્રાન્ડ્સ વાળી હિન્દુસ્તાન પેન્સિલ, સ્ટેશનરી ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠ કંપની છે. 65 વર્ષોમાં આ અદભુત પ્રવાસમાં આ કંપની એમના ગ્રાહકોને સૌથી શ્રેષ્ઠ સ્ટેશનરી આપે છે. અને સમયની માંગને ધ્યાનમાં…

સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવશેઃ મોદી

આનાથી લોકોનું વીજળીનું બીલ ઓછું થશે અને ભારત ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર બનશે નવી દિલ્હીવડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ દિલ્હી પાછા ફરતાની સાથે અત્યંત મહત્વપૂર્મ જાહેરાત કરી છે. મોદીએ કહ્યું હતું કે સુર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના તમામ ભક્તગણ સદૈવ ઊર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ અવસર પર…

એક વાનર હાથમાં ભગવો ઝંડો લઈને વિવાદાસ્પદ માળખાના ગુંબજ પર બેસી ગયો હતો

અધિકારીઓ ઈચ્છતા હતા કે ગુંબજ પરથી ભગવા ઝંડા હટાવવામાં આવે, પરંતુ સુરક્ષાકર્મીઓએ વાનરને ભગવાન હનુમાનનો અવતાર માનીને પરેશાન ન કરવાનો નિર્ણય લીધો અયોધ્યાઆશરે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અને આનંદી બેન પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ…

હનુમાન ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે 2,66,41,055 રુપિયા દાન કર્યુ

હનુમાન ફિલ્મના નિર્માતાઓએ વચન પૂર્ણ કર્યું, ફિલ્મે વિશ્વભરમાંથી 150 કરોડનો આંકડો પાર કરી દીધો મુંબઈપ્રશાંત વર્માના નિર્દેશન હેઠળ બનેલી સુપરહીરો ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા અય્યર અને વિનય રાય અભિનીત આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ નિર્માતાઓએ હાલમાં અયોધ્યા રામ મંદિર માટે…

રામનું નામ લઈ જનતા દળ યુનાઈટેડના રાજ્ય પ્રવક્તા ડૉ. સુનિલ કુમાર સિંહનું રાજીનામું

શ્રી રામને હું નમન કરું છું, આ શુભ દિવસે, ભગવાન શ્રી રામજીના આદર્શોને અનુસરીને, તેમના આદેશથી, હું જેડીયુના પ્રવક્તા પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું પટણારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જનતા દળ યુનાઈટેડમાં નાસભાગ મચી ગઈ છે. જનતા દળ યુનાઈટેડના રાજ્ય પ્રવક્તા અને પટણાના પ્રખ્યાત આંખના ડૉક્ટર ડૉ. સુનિલ કુમાર સિંહે ભગવાન શ્રી રામનું…

જયશ્રી રામના જયઘોષ સાથે રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ

વડાપ્રધાન મોદી, યોગી અને મોહન ભાગવતે પૂજા-અર્ચના કરી, 84 સેકન્ડના ખૂબ જ ટૂંકા ગાળાના શુભ મુહૂર્તમાં મંદિરમાં રામલલાની પ્રામ પ્રતિષ્ઠા કરાઈ અયોધ્યાઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન…

હવે રામલલા ટેન્ટમાં નહીં દિવ્ય મંદિરમાં રહેશેઃ નરેન્દ્ર મોદી

22 જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે, મોદીએ તપસ્યામાં કંઈક ખામી રહી ગઈ હોવાનું કહી ભગવાન રામની માફી માગી અયોધ્યાઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના…

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે મોહસિન નકવીની નિયુક્તી

ઝકા અશરફને 6 મહિના પહેલા સત્તા પરિવર્તન બાદ નજમ સેઠીની જગ્યાએ પીસીબી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા કરાંચીઝકા અશરફના રાજીનામા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવા અધ્યક્ષ મળી ગયા છે. મોહસિન નકવીને પીસીબીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાર્યવાહક મુખ્યમંત્રી મોહસિન નકવી ઝકા અશરફનું સ્થાન લેશે. તે પહેલીવાર આ જવાબદારી સંભાળશે.પાકિસ્તાની…