ગુજરાત યુનિ. કેસમાં સાંસદ સંજયસિંહને વચગાળાની રાહત, ટ્રાયલ પણ સ્થગિત

સુપ્રીમ કોર્ટની બેંચે કેસને ગુજરાત બહાર ટ્રાન્સફર કરવાના સંજય સિંહની વિનંતી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા બદનક્ષીના કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાઠવાયેલું સમન્સ 4 અઠવાડિયા સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત તેમની વિરુદ્ધ ટ્રાયલ…

જ્ઞાનવાપી કેસમાં સીલ કરેલા વિસ્તારના વજૂખાનાની સફાઈનો સુપ્રીમનો આદેશ

સીલ કરેલા વિસ્તારમાં સફાઈની કામગીરી જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ કરવા સુચના નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસમાં સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે હિન્દુ પક્ષ દ્વારા 2 જાન્યુઆરીએ કોર્ટમાં અરજી દાખલ કરીને સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાને સાફ કરવાની પરવાનગી માંગી હતી. હિન્દુ પક્ષે કહ્યું હતું કે વજૂખાનાની સફાઈ ન થવાને કારણે…

વિમાનના મુસાફરોની અસુવિધા ટાળવા એરપોર્ટ પર વોર રૂમ બનાવાશે

એરક્રાફ્ટમાં વિલંબ અને મુસાફરોની સુવિધા માટે જારી નવી એસપીઓ બહાર પાડવામાં આવી, તમામ 6 મેટ્રો એરપોર્ટ માટે દરરોજ ત્રણ વખત ઘટનાની રિપોર્ટિંગ માંગવામાં આવી નવી દિલ્હીઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે નજીકના ભવિષ્યમાં મુસાફરોની મુશ્કેલ પરિસ્થિતિને ઓછી કરવા માટે એરલાઇન્સને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસપીઓ) જારી કરી હતી. અગાઉ, સિંધિયાએ કહ્યું હતું કે હવામાનને કારણે ફ્લાઇટ રદ…

2024માં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરીને આવશેઃ થરૂર

ગઠબંધનના દળોને વહેલી તકે શક્ય હોય તેટલા રાજ્યોમાં બેઠકોની વહેંચણી કરી લેવાની સલાહ આપી નવી દિલ્હી   કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગે સહિત  કેટલાક દિગ્ગજ નેતા ચૂંટણી લડશે નહીં તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.  કોંગ્રેસી સાંસદ શશી થરૂરે આગાહી કરી છે કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે. થરૂરે…

પંજાબના મુખ્યમંત્રી-ડીજીપીને પન્નુએ હત્યાની ધમકી આપી

ખાલિસ્તાની આતંકવાદીએ 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર વાતાવરણ બગાડવાની ધમકી આપી અમૃતસર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ભગવંત માનને ધમખી આપી છે. એટલું જ નહીં પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અહેવાલો અનુસાર, એક વીડિયો…

મથુરા ઈદગાહ મસ્જિદના સરવે પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

શાહી ઈદગાહના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ રોક લગાવી નવી દિલ્હી મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમકોર્ટે ઈદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો છે.  સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સરવે માટે…

મુંબઈમાં મોટર સાયકલ ડમ્પર સાથે ટકરાતાં ત્રણનાં મોત

ત્રણેય યુવકો બાઈક પર પરેલ બ્રિજ પરથી દક્ષિણ મુંબઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાઈક કાબૂ બહાર થતાં ડિવાઈડર પર ચડી ગઈ હતી મુંબઈ મુંબઈના પરેલ બ્રિજ પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક મોટરસાઈકલ અને ડમ્પર વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. કહેવામાં…

મણિપુરમાં લોકો સંવેદનશીલ સરકાર ઈચ્છે છેઃ કોંગ્રેસનો દાવો

મણિપુરની વર્તમાન સરકાર એવી છે, જેના બે મંત્રી રાજ્યમાં હાજર જ નથી, તેઓ ઑનલાઈન કામ કરતા હોવાનો જયરામ રમેશનો આક્ષેપ નવી દિલ્હીકોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી આજે સેકમાઈથી કરોંગ, ત્યારબાદ નાગાલેન્ડ પહોંચી જશે. કોંગ્રેસે 14 જાન્યુઆરીએ બૌથલથી યાત્રા શરૂ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશ રાહુલની યાત્રા અંગે માહિતી…

20 જાન્યુઆરીથી અયોધ્યામાં બહારના લોકો પર પ્રવેશબંધી

અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ 21 અને 22 જાન્યુઆરીએ ન નિકળવાની અપીલ કરી અયોધ્યા 20 જાન્યુઆરીથી રામનગરી અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ નહીં મળે. અયોધ્યા ધામ અને શહેરમાં રહેનારા લોકોને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે. જોકે આ માટે તેમને ઓળખ પત્ર બતાવવું પડશે. અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ 21 અને 22 જાન્યુઆરીએ…

દર વખતે તમામ દેશ ભારતનું સમર્થન કરે એવું ન બની શકેઃ જયશંકર

આપણે જે ગત 10 વર્ષોમાં લોકો સાથે સંબંધો બનાવ્યા છે, તેમાં આપણને ખુબ સફળતા મળી છે અને અનેક દેશો સાથે સંબંધ મજબૂત થયા હોવાનો દાવો નવી દિલ્હી વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર મૌન તોડ્યું છે. જયશંકરે કહ્યું કે, ‘આની કોઈ ગેરેન્ટી ન આપી શકાય કે તમામ દેશ દર વખતે ભારતનું…

જાતિગત આપત્તીજનક ટીપ્પણી બદલ રામભદ્રાચાર્ય સામે પગલાં લેવા માગ

સોશિયલ મીડિયા પર રામભદ્રાચાર્યને અરેસ્ટ કરવાની માંગણી સાથે હેશટેગ ટ્રેડ પણ થયુ નવી દિલ્હીભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેમના નિશાને કથાવાચર અને ધર્મ ગુરુ રામભદ્રાચાર્ય છે. તેમણે સરકાર પાસે માંગણી કરી છે કે તેઓ ટૂંક સમયમાં રામભદ્રાચાર્ય પર એક્શન લે. સંતને જેલમાં પૂરવામાં આવે નહીંતર તેમની પાર્ટી (ભીમ આર્મી) તક…

સત્તાના ઘમંડમાં શહેનશાહ જમીની વાસ્તવિકતાથી ઘણા દૂર થઈ ગયાઃ રાહુલ

રાહુલ ગાંધીએ યુવા શક્તિને સમૃદ્ધ દેશનો આધાર અને પીડિત અને ગરીબોની સેવાને સૌથી મોટી તપસ્યા ગણાવી નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરતા પહેલા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.શુક્રવારે રાહુલ ગાંધીએ દેશના યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે, “દેશના યુવાનો! આજે રાષ્ટ્રીય…

લક્ષ્યો હાંસલ કરવા યુવાનોએ સ્વતંત્ર વિચાર સાથે આગળ વધવું પડશેઃ મોદી

22 જાન્યુઆરી સુધીમાં દેશના તીર્થસ્થળો અને મંદિરોને સાફ કરી અને સ્વચ્છતા અભિયાન ચલવાવા અપીલ નાસિકવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમણે નાસિકમાં 27માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને…

વિરોધ પક્ષોએ ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિરનું નિર્માણ થશેઃ સ્વામી

બહારથી ફન્ડિંગ મળે છે ફક્ત એ જ લોકો વિરોધ કરી રહ્યા છે, લઘુમતી સમુદાય પણ રામમંદિરને લઈને ખુશ હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો નવી દિલ્હીભાજપ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે વિપક્ષ તરફથી કરવામાં આવી રહેલી નિવેદનબાજી અંગે આકરા પ્રહારો કરતાં કહ્યું કે વિપક્ષને ઇર્ષ્યા થઈ રહી છે. તેમણે ક્યારેય વિચાર્યું…

કેન્દ્રને આંકડા ન આપનારા રાજ્યો પ્રત્યે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

કોર્ટે તમામ રાજ્યોને ડેટા આપવા 6 અઠવાડિયાનો સમય આપ્યો, જો રાજ્યો સૂચનાનું પાલન નહીં કરે તો 10 હજારનો દંડ ફટકારાશે, આ મામલે આગામી સુનાવણી એપ્રિલમાં હાથ ધરાશે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે આજે રાજ્યમાં ઓછી જનસંખ્યા ધરાવતા જ્ઞાતિના લોકોને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે કેન્દ્રને ડેટા ન આપનાર રાજ્યો…

અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાયઃ કોંગ્રેસ

પ્રાણ પ્રતિષ્ઠા નિયમો અનુસાર થઈ રહ્યો ન હોઈ શંકરાચાર્યો અયોધ્યામાં રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં તેઓ હાજર રહેશે નહીં નવી દિલ્હીઅયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ ફરી એકવાર રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ભાજપનો રાજકીય ક્રાર્યક્રમ ગણાવ્યો છે.કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આજે પ્રત્રકાર…

રામ મંદિરમાં તમામ ધર્મના લોકોને પ્રવેશ મળશેઃ મંદિર નિર્માણ અધ્યક્ષની સ્પષ્ટતા

મંદિરમાં આવવા માટે ધર્મ, જાતિ કે ઓળખ પત્રની જરૂર નથી, આ સનાતનનું મંદિર છે, અહીં તમામ લોકો આવી શકે છેઃ નૃપેન્દ્ર મિશ્રા લખનૌરામ મંદિરના ઉદ્ધાટન પહેલા મંદિર નિર્માણના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરને લઈને તમામ જાણકારીઓ આપી છે.500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ…

દેશમાં કોરોનાના જેએન.1 વેરિયન્ટના કુલ કેશ 1013 પર પહોંચ્યા

કોરોના મહામારીના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાને કારણે વૈશ્વિક સંક્રમણ અને મૃત્યુના મામલામાં ભારત હજુ પણ બીજા સ્થાને નવી દિલ્હીદેશભરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે અને નવા વેરિયન્ટ જેએન.1ના કેસોની વધતી સંખ્યા હવે ડરાવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર દેશમાં કોવિડના 609 નવા કેસ નોંધાયા છે જ્યારે સંક્રમણના એક્ટિવ કેસની…

પાકિસ્તાને જંગલમાં આગ લગાવતા છેક જમ્મુ-કાશ્મીર સુધી ખળભળાટ

જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા સુધી લાગેલી આગ પર કાબુ મેળવવા સેના પ્રયાસ કરી રહ્યું છે, બોર્ડર પર પણ હાઈએલર્ટ જારી નવી દિલ્હીપાકિસ્તાને જંગલમાં આગ લગાવતા છેક જમ્મુ-કાશ્મીર સુધી ખળભળાટ મચ્યો છે. પડોશી દુશ્મને સરહદ નજીક જંગલમાં આગ લગાવતા ત્યાં બિછાવેલી લેન્ડમાઈનમાં ધડાધડ બ્લાસ્ટ થઈ રહ્યા છે, જેનો અવાજ છેક જમ્મુ-કાશ્મીર સુધી સંભળાઈ રહ્યો…