તેરમાના જમણ દરમિયાન જીવતો ઘરે પરત ફર્યો યુવક

ગાઝિયાબાદમાં ચોંકાવનારી ઘટના; મૃત માની અંતિમ સંસ્કાર કરાયેલા વ્યક્તિ અચાનક ઘરે પહોંચતા સૌ સ્તબ્ધ ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદના વૈશાલી વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જેને કારણે પરિવારજનો, પોલીસ અને સ્થાનિક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કલ્પના એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય ગિરધર સિંહ બિષ્ટને મૃત માનીને તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા….

48 વર્ષીય હાથીણી માણિકીને સારવાર માટે વંતારામાં લવાઈ

આસામથી જામનગર સુધીની સફર બાદ હવે મળશે વિશેષ સારવાર અને કાયમી આશ્રય જામનગર વર્ષોથી શારીરિક પીડા અને અનેક આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલી 48 વર્ષીય હાથીણી માણિકીને હવે નવી જિંદગીની આશા મળી છે. આસામમાં રહેતી માણિકીને અદ્યતન સારવાર અને લાંબા ગાળાની સંભાળ માટે જામનગર સ્થિત વંતારા ખાતે લાવવામાં આવી છે. વર્ષોથી પીડાદાયક હતી ચાલ માણિકી…

આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત, 1 જુલાઈથી ઈમેલ અપડેટ કરવાની સેવા થશે મફત

UIDAIની જાહેરાત; 31 ડિસેમ્બર 2026 સુધી મોબાઈલ એપ મારફતે ઈમેલ આઈડી અપડેટ કરવા કોઈ ફી નહીં લેવાય નવી દિલ્હી: આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની ઓળખ વ્યવસ્થાનું સંચાલન કરતી Unique Identification Authority of India (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સેવા આગામી છ મહિના માટે મફત કરવાનો નિર્ણય લેવામાં…

દિલ્હીમાં BS-VI વાહન માલિકોને મોટી રાહત, PUC પ્રમાણપત્રની માન્યતા ત્રણ વર્ષ કરવાની તૈયારી

નવી ગાડીઓ માટે દર વર્ષે પ્રદૂષણ ચકાસણીની ઝંઝટ ઘટશે, જૂની ગાડીઓ માટે નિયમો વધુ કડક બનશે નવી દિલ્હી વાહન માલિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં BS-VI ધોરણની ખાનગી ગાડીઓ માટે ‘પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ’ (PUC)ની માન્યતા વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. પ્રસ્તાવ મુજબ છ વર્ષ સુધી જૂની BS-VI ખાનગી ગાડીઓ માટે…

લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ: 14 વિદ્યાર્થીઓનાં મોત

“મેં મારી આંખે 14 મૃતદેહ જોયા છે”, કહેતા કહેતા રડી પડ્યા બ્રજેશ પાઠક લખનૌ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગતા 14 વિદ્યાર્થીઓનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. આગ જે ઇમારતમાં લાગી હતી તેમાં એનિમેશન કોચિંગ સેન્ટર ચાલતું હતું. ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ…

રસ્તા પર પગપાળા ચાલવું બની જોખમી સફર, 6 વર્ષમાં 1.8 લાખથી વધુ રાહદારીઓનાં મોત

2019થી 2024 દરમિયાન દર વર્ષે સરેરાશ 30 હજારથી વધુ પગપાળા જતા લોકોનાં અકસ્માતમાં મોત, નેશનલ હાઈવે પર સૌથી વધુ જોખમ નવી દિલ્હી: ભારતમાં રસ્તા પર વાહનો સાથે ચાલતા પગપાળા લોકો માટે સુરક્ષા મોટો પડકાર બની ગઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2019થી 2024 દરમિયાન દેશમાં 1.8 લાખથી વધુ પગપાળા લોકોના માર્ગ અકસ્માતોમાં…

આંધ્રપ્રદેશમાં સોનાનો મોટો ભંડાર મળ્યો: જોન્નાગિરીમાં 50 ટન સોનાના જથ્થાનો અંદાજ

કુર્નૂલ જિલ્લામાં સોનાની વિશાળ ખાણની પુષ્ટિ; ચાર અન્ય સ્થળોએ પણ માઇનિંગની તૈયારી, હજારો કરોડની સંપત્તિ બહાર આવવાની સંભાવના નવી દિલ્હી/અમરાવતી: વિશ્વભરમાં સોનાની વધતી માંગ અને સતત વધી રહેલા ભાવ વચ્ચે ભારત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી વિસ્તારમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ…

NEET રિ-એક્ઝામ પહેલા NTAની મોટી ચૂક: નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવાયું

એડમિટ કાર્ડમાં ટેક્નિકલ ખામીથી વિદ્યાર્થી અને પરિવાર પરેશાન; NTAએ ભૂલ સ્વીકારી સુધારેલા કાર્ડનું આપ્યું આશ્વાસન નવી દિલ્હી NEET UG 2026ની રિ-એક્ઝામ પૂર્વે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર તરીકે ભારતના બદલે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબી સ્થિત એક શાળાનું કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થી અને તેના…

NEET પરીક્ષા મામલે ટેલિગ્રામ પરનો અસ્થાયી પ્રતિબંધ યથાવત, દિલ્હી હાઈકોર્ટનું કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન

પ્રશ્નપત્ર લીક અને ગેરરીતિઓ અટકાવવા લેવાયેલા પગલાંને કોર્ટની મંજૂરી, ટેલિગ્રામની અરજી ફગાવાઈ નવી દિલ્હી NEET પરીક્ષા પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા મેસેજિંગ પ્લેટફોર્મ Telegram પર લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. ટેલિગ્રામ દ્વારા આ પ્રતિબંધને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવી અરજી ફગાવી દીધી…

પૂર્વ PMના પુત્ર સાથે ₹7.80 કરોડની સાયબર ઠગાઈ, સમયસર ફરિયાદથી ₹4 કરોડ ફ્રીઝ

નરેશ ગુજરાલના નામે વૉટ્સએપ મેસેજ મોકલી કર્મચારી પાસેથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા નવી દિલ્હી દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દ્ર કુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે આશરે ₹7.80 કરોડની સાયબર ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાયબર ગુનેગારોએ નરેશ ગુજરાલના ફોટાનો દુરુપયોગ કરીને તેમના એક વિશ્વાસુ કર્મચારીને વૉટ્સએપ પર સંદેશ મોકલ્યો હતો અને…

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર અને NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મેગા મોક ડ્રિલ

21 જૂનની પરીક્ષા પહેલાં સુરક્ષા વ્યવસ્થાની થશે આખરી ચકાસણી, 22 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા નવી દિલ્હી: 21 જૂને યોજાનારી NEET-UG 2026ની રિ-એક્ઝામને લઈને National Testing Agency (NTA) અને કેન્દ્ર સરકારે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, પેપર લીક અથવા અનિયમિતતા અટકાવવા માટે દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર શનિવારે વિશાળ સ્તરે મોક ડ્રિલ…

વિપક્ષી ગઠબંધનમાં ભાગલાના દાવાથી રાજકારણ ગરમાયું, AAP અને SPના સાંસદો અંગે આઠવલેનો મોટો દાવો

શિવસેના UBT બાદ TMC, AAP અને સમાજવાદી પાર્ટીમાં પણ ભંગાણની શક્યતા; વિપક્ષે દાવાઓને ફગાવ્યા નવી દિલ્હી મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના સાંસદોમાં ભંગાણની અટકળો વચ્ચે હવે રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી Ramdas Athawaleએ દાવો કર્યો છે કે માત્ર શિવસેના (UBT) જ નહીં, પરંતુ Aam Aadmi Party (AAP), Trinamool Congress (TMC) અને Samajwadi Party…

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાયા

ઝારખંડમાંથી ફરી અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી, ગ્રામીણ વિકાસ અને કૌશલ્યવર્ધનને આપશે પ્રાથમિકતા રાંચીપરિમલ નથવાણી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતાં ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે થયેલી ચૂંટણીમાં નથવાણીએ વિજય મેળવી ફરી એકવાર સંસદના ઉચ્ચ ગૃહમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2008થી 2020 દરમિયાન તેઓ ઝારખંડમાંથી અપક્ષ સાંસદ…

UP-પંજાબ સહિત ચાર રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી

વસ્તીગણતરી અને રાજકીય વ્યૂહરચનાને ધ્યાનમાં રાખી ચૂંટણીની તારીખોમાં ફેરફારની અટકળો; ભાજપ હાઈકમાન્ડ એક્શન મોડમાં નવી દિલ્હીઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા સહિતના મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતાં થોડા અઠવાડિયા વહેલી યોજાઈ શકે તેવી રાજકીય અટકળો વચ્ચે ભાજપે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. પક્ષના હાઈકમાન્ડે તમામ રાજ્યોના સંગઠન અને કોર ગ્રુપને ચૂંટણી પ્રચાર…

NEET પુનઃપરીક્ષા સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી મેસેજ એડિટિંગ ફીચર પણ બંધ

પેપર લીક અને ગેરરીતિઓ અટકાવવા કેન્દ્ર સરકારનું કડક પગલું; NTAની ભલામણ બાદ લેવાયો નિર્ણય નવી દિલ્હીNEET (UG) 2026ની પુનઃપરીક્ષાને નિષ્પક્ષ અને સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ટેલિગ્રામ એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો…

તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલયની અટકળો તેજ, મમતા-સોનિયા મુલાકાતથી રાજકીય ચર્ચાઓ ગરમાઈ

બંગાળના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા, વિલય અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી એસવીએન,નવી દિલ્હી પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કોંગ્રેસ વચ્ચે સંભવિત વિલયની અટકળોએ જોર પકડ્યું છે. વિવિધ મીડિયા અહેવાલો અને રાજકીય સૂત્રોના દાવા મુજબ, તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા Sonia Gandhi વચ્ચે થયેલી મુલાકાતો…

મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો? 20 TMC સાંસદોએ NDAને સમર્થન આપ્યાનો દાવો

કાકોલી ઘોષ દસ્તીદારના નિવેદનથી બંગાળના રાજકારણમાં ગરમાવો, બળવાખોર સાંસદોના નામ હજુ ગુપ્ત એસવીએન,કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. પક્ષના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે ટીએમસીના આશરે 20 લોકસભા સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કેન્દ્રની એનડીએ…

અશોક ગેહલોતનો મોટો દાવો: કોંગ્રેસ અધ્યક્ષ પદ મામલે ફરી ‘ષડયંત્ર’ની ચર્ચા

નવી દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર એવો દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના હતા, પરંતુ પાર્ટીના આંતરિક “આયોજિત ષડયંત્ર”ના કારણે તેમનું નામ અંતિમ ક્ષણે બદલાઈ ગયું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. અધ્યક્ષ પદ માટે પહેલેથી નિર્ણય થવાનો દાવો અશોક…

‘સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં’: જંતર-મંતરથી અભિજિત દીપકેનો સરકારને પડકાર

NEET પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ તેજ; સોનમ વાંગચુકે પણ આંદોલનને આપ્યું સમર્થન નવી દિલ્હી NEET પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી મળ્યા…

મમતાની શક્તિપ્રદર્શન બેઠકમાં નબળી હાજરી, 41માંથી માત્ર 5 સાંસદો જ પહોંચતા ટીએમસીમાં વધતી નારાજગીના સંકેત

ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓનો પણ મર્યાદિત પ્રતિસાદ; બેઠક બાદ પક્ષની આંતરિક સ્થિતિને લઈને અટકળો વધુ તેજ કોલકાતા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માટે હાલનો સમય પડકારોથી ભરેલો હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. પક્ષ પ્રમુખ મમતા બેનરજી દ્વારા બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓની ઓછી હાજરીએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. પક્ષના…