ભારત વિશ્વમિત્રની ભૂમિકા ભજવી રહ્યું છેઃ નરેન્દ્ર મોદી

ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે, ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવું લક્ષ્ય બનાવાયું છેઃ વડાપ્રધાન ગાંધીનગરવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નિવેદન આપતા જણાવ્યુ કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવુ લક્ષ્ય બનાવાયુ છે. તેથી જ અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ છે.યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદના આ…

સોનિયા-ખડગે અને અધિર રંજન અયોધ્યા પ્રામ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જાય

વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો હોવાનો આક્ષેપ નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે.કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ…

મહારાષ્ટ્રમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોની માન્યતા અકબંધ, શિંદે મુખ્યપ્રધાન રહેશે

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યા બાદ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને ચુકાદા મ ટે કહ્યું હતું. ઉધ્ધવ જૂથને મોટો આંચકો મુંબઈશિવસેના ધારાસભ્યની ગેરલાયકાતનો ચુકાદો લાઈવ: વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો તેમનો ચુકાદો આપી દીધો છે. શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવામાં આવ્યો છે….

પ્રસૂતી માટે મહિલાઓમાં 22 જાન્યુઆરીની ભારે માગ, રામ-જાનકી નામ ફેવરિટ

ઉત્તર પ્રદેશમાં તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ લખનૌ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ભવ્ય અભિષેકને કારણે ગર્ભવતી મહિલાઓમાં ભારે ઉત્સાહ છે. રાજ્યભરના તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ છે. ગર્ભવતી મહિલાઓ 22મી જાન્યુઆરીએ જ પોતાના બાળકને જન્મ આપવા માંગે છે. તેની માંગ સાંભળીને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા…

રોશન સિંહાને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકીઓ મળી છે

સિંહા ગુજરાતમાં રહેતા બિઝનેસમેન છે, તે મૂળ બિહારના છે, તેમને ભારતીય રાજનીતિ, વૈશ્વિક રાજનીતિ અને વિદેશ નીતિમાં રસ છે, તેમને પોતાની હિંદુ ઓળખ પર પણ ગર્વ છે નવી દિલ્હી રોશન સિંહાએ પીએમ મોદીની લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવાની અપીલને રી-ટ્વીટ કરતાં માલદીવની સરકારને ચીનની કઠપૂતળી સરકાર ગણાવી હતી. આ પછી સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું હતું….

2023 અત્યાર સુધીનું સૌતી ગરમ વર્ષ, ભવિષ્ય અંગે વૈજ્ઞાનિકોની ચેતવણી

1850-1900ના સમયગાળાના સ્તર કરતાં પ્રથમ વખત દરરોજ સરેરાશ વૈશ્વિક તાપમાન વર્ષ 2023 માં એક ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું નવી દિલ્હી યુરોપિયન ક્લાઈમેટ એજન્સી દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ વર્ષ 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઔદ્યોગિકીકરણના પહેલાની તુલનામાં સરેરાશ 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (સી3એસ)…

મ.પ્ર.ના શાજાપુરમાં અક્ષત વિતરણ યાત્રા પર મુસ્લિમ ટોળાનો હુમલો

યાત્રા એક મસ્જિદ નજીક પહોંચતા મુસ્લિમ ટોળાએ તલવારોથી હુમલો કર્યો, મહિલાઓએ છત પરથી પથ્થરમારો કર્યો ભોપાલમધ્યપ્રદેશના શાજાપુરમાં, રામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરના અભિષેક માટે અક્ષતનું વિતરણ કરી રહેલા હિન્દુ કાર્યકરો પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો. હિન્દુ કાર્યકર્તાઓ અક્ષત વહેંચવા માટે મસ્જિદ નજીક પહોંચ્યા કે તરત જ મુસ્લિમ ટોળાએ તેમના પર પથ્થરમારો કર્યો.મળતી…

ઉદ્ધવ જૂથના ધારાસભ્ય અને તેના સાથીઓને ત્યાં ઈડીના દરોડા

ઈડીએ જોગેશ્વરીમાં એક ભવ્ય હોટલના નિર્માણના સંબંધમાં રવિન્દ્ર વાયકર, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો મુંબઈમુંબઈમાં શિવસેના જૂથના નેતા અને ધારાસભ્ય અને તેના ભાગીદારો સાથે જોડાયેલા સાત વિવિધ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દરોડા પાડ્યા હતા.મુંબઈમાં જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના મામલે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવીન્દ્ર વાયકર અને…

એઆઈ કંપનીના મહિલા સીઈઓ 4 વર્ષના પુત્રની લાશ બેગમાં લઈ જતા ઝડપાયાં

પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, મહિલા પાસેથી તેના દીકરાનો મૃતદેહ મળી આવ્યો ગોવાકર્ણાટકના ચિત્રદુર્ગમાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જેમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીની મહિલા સીઈઓએ પોતાના 4 વર્ષના દીકરાની હત્યા કરી નાખી છે. મહિલા દીકરાની લાશને બેગમાં લઈને ગોવાથી કર્ણાટક જઈ રહી હતી પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. મહિલા પાસેથી…

મુસ્લિમોને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો વિરોધ કરવા પન્નુની મુસ્લિમોને અપીલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટ બંધ કરી દેવા ખાલિસ્તાની આતંકીની ધમકી નવી દિલ્હી અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. 500 વર્ષ રાહ જોયા બાદ 22 જાન્યુઆરીના રોજ રામલલા અયોધ્યાના મંદિરમાં વિરાજમાન થશે. આ ક્ષણની દરેક લોકો…

મૂર્તિની વિધિઓ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએઃ સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતી

ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને લઈને મોદી અને યોગી આદિત્યનાથ પર નારાજગી વ્યક્ત કરી નવી દિલ્હી ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 22મી જાન્યુઆરીએ યોજાનાર છે જેને લઈને પૂરજોશમાં તૈયારી થઈ રહી છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ છે ત્યારે ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને…

ભારત માટે રાજનૈતિક રીતે લક્ષદ્વીપ ખૂબ જ મહત્વનું સ્થળ છે

લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં ભારતીય સેનાનું બેઝ છે, જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણું મદદરૂપ સાબિત થાય એમ છે નવી દિલ્હી તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી…

ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિની અધ્યક્ષતા કરશે

આ બેઠક નવી દિલ્હીમાં 21થી 31 જુલાઈ 2024 દરમિયાન યોજાશે નવી દિલ્હી ભારત માટે આ વર્ષની શરુઆતમાં જ એક સારા સમાચાર આવ્યા છે જેમાં ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને હોસ્ટ કરશે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ વિશાલ વી શર્માએ આ માહિતી આપી હતી. ભારતે જી20 બાદ વધુ એક મોટી સફળતા મેળવી છે…

ઈડીની તપાસમાં 10 હજાર કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા

આશરે રૂ. ૨,૦૦૦ કરોડ જેટલી રકમ સીધી રીતે બાંગ્લાદેશ અથવા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની આશંકા નવી દિલ્હી   કેન્દ્રીય એજન્સી ઈડીએ પશ્ચિમ બંગાળમાં કથિત અનાજ વિતરણ કૌભાંડને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. ઈડીના મતે, રાજ્યના પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. કેન્દ્રીય એજન્સીએ દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં…

કોંગ્રેસે અત્યારથી જ ઈવીએમની ચિંતાનો રાગ આલાપ્યો

કોંગ્રેસ આવા નિરર્થક પ્રશ્નો ઉભા કરી જનસામાન્યનું વિશેષત: ઈંડીયા ગઠબંધનના સાથી પક્ષોનું ધ્યાન બીજે દોરવા પ્રયત્નો કરી રહ્યાનો આક્ષેપ નવી દિલ્હી   વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા એલાયન્સ હજી સુધી સીટ સેરિંગની ફોર્મ્યુલા તો શોધી શક્યું નથી. તે પહેલા જ તેને ઈવીએમ અંગેની ચિંતા સતાવે છે. કોંગ્રેસે અત્યારથી જ તે અંગે રાગમાં લાવ્યાો છે. કોંગ્રેસ મહામંત્રી…

રાજકીય વિશ્લેષક રોશન સિંહાની એક ટ્વીટથી માલદીવ્સના મંત્રીઓના પેટમાં તેલ રેડાયું

સિંહાએ લખ્યું, કેટલું સરસ પગલું! માલદીવની નવી ચીનની કઠપૂતળી સરકાર માટે આ મોટો ફટકો છે. ઉપરાંત, તેનાથી લક્ષદ્વીપમાં પ્રવાસનને વેગ મળશે નવી દિલ્હી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. આ તસવીરો અને પીએમ મોદીની મુલાકાતને ભારતમાં ડોમેસ્ટિક ટુરીઝમને પ્રોત્સાહન આપવાનું પગલું માનવામાં આવતું હતું. દરમિયાન, એક ભૂતપૂર્વ…

બિલ્કિસ કેસમાં દોષિતોને સજામાં રાહત સુપ્રીમે રદ કરી

ગોધરાકાંડ પછી તોફાનોમાં બિલ્કિસ બાનો પર દુષ્કર્મ કેસમાં 11 લોકોને દોષિત ઠરાવાયા બાદ રાજ્ય સરકારે સજામાં રાહત આપી હતી, હવે જેલમાં જવું પડશે નવી દિલ્હીગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને સજામાં અપાયેલી રાહત રદ કરી છે. દોષિતોને ઉમરકેદની સજા થઈ હતી પરંતુ સજા પૂરી થાય તે પહેલાં જ ગુજરાત સરકારે…

મંદિર માનસિક ગુલામીનો માર્ગ, શાળાનો માર્ગ પ્રકાશનોઃ ચંદ્રશેખર સિંહ

આરજેડી ધારાસભ્યના પોસ્ટરને લઈને એક હિન્દુ સંગઠને જે કોઈ તેની જીભ કાપી નાખશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી પટનાબિહારના શિક્ષા મંત્રી પ્રોફેસર ચંદ્રશેખર સિંહે મંદિરને લઈને આપેલા નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે. રોહતાસના ડેહરીમાં એક કાર્યક્રમમાં આરજેડી નેતાએ કહ્યું કે, મંદિર ગુલામીનો માર્ગ છે, જ્યારે શાળાઓ પ્રકાશનો માર્ગ છે.સાવિત્રીબાઈ ફુલે…

કરનપુર બેઠક પરથી મંત્રીના શપથ લેનારની કોંગ્રેસ સામે હાર

કોંગ્રેસના ઉમેદવારનો 12750 વોટથી વિજય થયો હતો, કરનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી જયપુરરાજસ્થાનમાં તાજેતરમાં સત્તામાં આવનાર ભાજપને મોટો આંચકો લાગ્યો છે. અહીં કોંગ્રેસના રુપિંદર સિંહ કન્નુરે ભજન લાલ શર્માની કેબિનેટમાં મંત્રી પદના શપથ લેનારા ઉમેદવાર સુરેન્દ્ર સિંહને હરાવીને ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારનો 12750 વોટથી વિજય થયો હતો. કરનપુર બેઠક પર પેટાચૂંટણી…