યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ, 5 નૌસેનિકો સવાર હતા

હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું, આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે સાન ડિયાગો યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બચાવ ટીમ આ હેલિકોપ્ટરની શોધ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે….

હેડિંગઃ ભારત યુએસને નબળું માને છે, વિશ્વાસ કરતું નથીઃ નિક્કી હેલી

ભારત અને રશિયા વચ્ચેના નજીકના સંબંધો અંગે નિશાન તાકતાં હેલીએ કહ્યું, ભારત સ્માર્ટ બની રહ્યું છે,તેણે રશિયા સાથે મિત્રતા જાળવી રાખી છે વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારની રેસમાં સામેલ ભારતીય મૂળની ઉમેદવાર નિક્કી હેલીએ ભારત અંગે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે વર્તમાન સમયનું ભારત હવે અમેરિકા પર ભરોસો નથી કરતું અને તે અમેરિકાને…

બાળકના ગુના માટે માતા-પિતાને દોષિત ઠેરવાયા

જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા એથન દ્વારા કરાયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં દોષીત ઠેરવાઈ વોશિંગ્ટન અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે જ્યારે કોઈ માતા-પિતા સામે તેમના બાળક દ્વારા કરાયેલા ગુના બદલ કેસ ચલાવાયો અને તેમને દોષિત ઠેરવાયા. જૂરીનું માનવું છે કે માતા-પિતા તેમના બાળકને ગુનો કરતો રોકવામાં નિષ્ફળ રહ્યા. જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા…

બગદાદમાં યુએસના ડ્રોન હુમલાથી મિલિશિયા કમાન્ડર સહિત 3નાં મોત

અમેરિકન સેનાના હુમલા બાદ ઘટનાસ્થળે થોડીવાર માટે અરાજક્તાનો માહોલ સર્જાયો વોશિંગ્ટન અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદમાં એક કાર પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં મિલિશિયા કમાન્ડર સહિત 3 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે…

યુએસના અર્થતંત્ર પર સરેરાશ ઉંમર – દેવાનું વ્યાજ ભરવાનો ભાર

આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ ન્યૂયોર્ક અમેરિકા ભલે દુનિયાની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ હોય, પરંતુ અમેરિકાની ઈકોનોમી જેટલી મોટી છે તેટલું જ તેના પર જંગી દેવું પણ છે.બુધવારે અમેરિકાની નોનપાર્ટીસન કોંગ્રેસનલ બજેટ ઓફિસે વ્યક્ત કરેલા અંદાજ અનુસાર આગામી દસ વર્ષમાં અમેરિકાના દેવામાં 19 ટ્રિલિયનનો વધારો થવાનો અંદાજ છે, જેની…

સીરિયામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 3 નાગરિક સહિત પાંચનાં મોત

સીરિયામાં ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ઈઝરાયલ દ્વારા ક્રૂરતાપૂર્વક હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે હોમ્સસીરિયાના હોમ્સ શહેરમાં ઈઝરાયલ દ્વારા આડેધડ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં 3 નાગરિકો સહિત 5 લોકો મૃત્યુ પામી ગયા. યુદ્ધ પર નજર રાખતી એક એજન્સીએ કહ્યું કે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે અનેક નાગરિકોની જાનહાનિના અહેવાલ આપ્યા છે.સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન…

શિકાગોમાં ચાર લૂંટારાઓનો હૈદ્રાબાદના વિદ્યાર્થી પર હુમલો

આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થી વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો શિકાગોઅમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. હૈદરાબાદના એક વિદ્યાર્થી પર શિકાગોમાં ચાર સશસ્ત્ર લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે…

પેલેસ્ટાઈનની સ્થાપના ન થાય તો સાઉદી- ઈઝરાયલ સંબંધો નહીં

રિયાધ પેલેસ્ટાઈનના લોકોને તેમના અધિકાર આપવા માટે પ્રતિબદ્ધ હોવાનો સાઉદી અરબનો દાવો રિયાધસાઉદી અરબે ઈઝરાયલને ફરી એકવાર પોતાની તાકાત બતાવી દીધી છે. બેન્જામિન નેતન્યાહૂના દેશને ચેતવણી આપી દીધી છે કે જ્યાં સુધી એક સ્વતંત્ર રાષ્ટ્ર પેલેસ્ટાઈનની સ્થાપના નહીં કરાય ત્યાં સુધી સાઉદી અને ઈઝરાયલ વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો અસ્તિત્વમાં નહીં આવે.સાઉદી અરબના વિદેશ મંત્રાલયે કહ્યું…

અરુણ ઘોષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેનેટર બન્યા, ગીતા પર હાથ મૂકીને શપથ લીધા

વરુણ ઘોષ ઓસ્ટ્રેલિયાની સંસદના પહેલા એવા સભ્ય છે જેમણે ભારતમાં જન્મ્યા બાદ ત્યાંની સંસદમાં સ્થાન મેળવ્યું હોય કેનબેરાભારતીય મૂળના બેરિસ્ટર અરુણ ઘોષે ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેનેટર બનીને ઈતિહાસ સર્જયો છે.તેમણે ભગવદ ગીતા પર હાથ મુકીને શપથ લીધા હતા.વરુણ ઘોષનો જન્મ ભારતમાં થયો હતો અને તેઓ ઓસ્ટ્રેલિયાની સંસદના પહેલા એવા સભ્ય છે જેમણે ભારતમાં જન્મ્યા બાદ ઓસ્ટ્રેલિયાની…

કાશ્મીરના પાક. માટે ન જીતી લઈએ ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએઃ પીએમએમએલ

પીએમએમએલ પાર્ટી લશ્કર-એ-તોયબાનો રાજકીય મોરચો હોવાનો દાવો કરાઈ રહ્યો છે જેનો સંસ્થાપક આતંકી હાફિઝ સઈદ હોવાનો દાવો છે કરાંચીપાકિસ્તાનની નવી પાર્ટી મરકઝી મુસ્લિમ લીગ (પીએમએમએલ) એ પંજાબ પ્રાંતના કસૂર જિલ્લામાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. રેલીમાં મંચ પરથી કાશ્મીરમાં જેહાદ કરવા શપથ લેવડાવાયા હતા. પીએમએમએલ પાર્ટી…

યમનના વડાપ્રધાન માઈન અબ્દુલમલિક સઈદને બરતરફ કરાયા

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવી રહ્યું છે સાનાયમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રપતિ કાઉન્સિલ એક અનપેક્ષિત પગલું ભરતાં વડાપ્રધાન માઈન અબ્દુલમલિક સઈદને બરતરફ કરી દીધા હતા. તે 2018થી યમનના વડાપ્રધાન હતા. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન…

હાઈ પ્રોફાઈલ કેટગરી છતાં ઈમરાન ખાને જેલમાં કામ કરવું પડશે

71 વર્ષીય ઈમરાન ખાન અને 67 વર્ષીય કુરેશીને હાઈ પ્રોફાઈલ કેદીઓ તરીકે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવશે ઈસ્લામાબાદએમ્બેસીના ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના મામલામાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.તેમને રાવલપિંડની અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે ઈમરાન ખાન તેમજ તેમની કેબિનેટના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી…

યુએસમાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે જ કામ કરી શકશે

એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રોજગારીના અધિકારો તથા તેમના સંતાનોના અધિકારોની સુરક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી વોશિંગ્ટનઅમેરિકામાં રહેતા ભારતીયો માટે એક ગૂડ ન્યૂઝ છે. તાજેતરના અહેવાલો અનુસાર અમેરિકામાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે અમેરિકામાં જ કામ કરી શકશે. જેના માટે રાષ્ટ્રપતિ બાઇડનની સરકારે મોટો નિર્ણય કર્યો છે.માહિતી અનુસાર અમેરિકી સેનેટમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ્સ વચ્ચે…

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર હુમલામાં 10 પોલીસનાં મોત

આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો ઈસ્લામાબાદપાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે.પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના…

માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુની ભાષણનો બે વિપક્ષો બહિષ્કાર કરશે

વર્ષના પહેલા સત્ર પહેલા સંસદમાં રાષ્ટ્રપતિનું ભાષણ થવાનું છે, આ ભાષણમાં તેઓ દેશના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવશે માલીમાલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ માટે ભારતનો વિરોધ મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેમના દેશની જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન મળી રહ્યું નથી. હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ…

યુએસની કોલેજોમાં 2030 સુધીમાં ભારતીય છાત્રોની સંખ્યા પાંચ ગણી વધશે

અમેરિકામાં હાયર એજ્યુકેશનમાં હવે ટોચ આવતા કોલેજમાં જવાની વયના યુવાનોની સંખ્યા ઘટતાં ભારતીયોને તક મળશે વોશિંગ્ટનભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. આ ઉપરાંત કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા પણ ભારતીયોના મનપસંદ દેશોમાં સામેલ છે. આ દરમિયાન અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો આવે તેવી શક્યતા છે….

કેનેડિયન હાઉસિંગ પર વિદેશી માલિકી પર નિયંત્રણ વધારી દેવાયું

2 વર્ષ સુધીના પ્રતિબંધને લંબાવાયો, અહીંના નાગરિક સતત વધતી કિંમતનો કારણે ઘર બનાવવા માટે સક્ષમ નથી ટોરેન્ટોકેનેડામાં ઘર ખરીદવાનું સપનું જોતા વિદેશીઓ માટે મોટા ફટકા સમાન સમાચાર સામે આવ્યા છે. હવે કેનેડામાં ઘરી ખરીદવું ખાસ કરીને વિદેશીઓ માટે સરળ નહીં રહે. ટ્રૂડો સરકારે જે નવી જાહેરાત કરી છે એના પરિણામે હવે કેનેડિયન હાઉસિંગ પર વિદેશી…

અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ શરૂ કરવા માગણી

મસ્કતમાં લગભગ 50,000થી વધારે ગુજરાતીઓ રહે છે, જેમાંથી મોટી સંખ્યામાં કચ્છવાસીઓનો સમાવેશ થાય છે અમદાવાદગુજરાતમાં તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં રાજ્યને અન્ય રાજ્યો સાથે જોડવા અને રાજ્યના શહેરોને એક બીજા સાથે જોડવા એર કનેક્ટિવિટીને વિસ્તારવા માટે જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દેશથી દૂર રહેતા મસ્કતવાસીઓને ફરી આશા જાગી છે કે તેમની ઘણા સમયની માગણી પૂરી…

બાળકો પર પ્રતિકૂળ અસર અંગે ટીકટોક સામે કેસ દાખલ કરાયો

આ મામલે ઘણાં માતા-પિતાએ ટીકટોકને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો વોશિંગ્ટન ચાઇનીઝ એપ ટીકટોક સામે અમેરિકામાં હજારો માતા-પિતા એકજૂટ થઇ ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે 5,000થી વધુ માતા-પિતાએ ટીકટોક સામે કેસ દાખલ કરી દીધો છે. ટીકટોક એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ…

ઉ.મેક્સિકોમાં બસ-ટ્રક ટકરાતાં 19નાં મોત, 18 ઘાયલ

અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો માજાતલાન ઉત્તર મેક્સિકોમાં એક હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યાંની માહિતી મળી રહી છે. જ્યારે 18થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે. રાજ્યના નાગરિક સુરક્ષા કાર્યાલયના નિર્દેશક રોય નવરેટેએ કહ્યું કે આ અકસ્માત પોર્ટની…