ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં રામનવમી ઉત્સવ યોજાશે

મંદિરમાં મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે અમદાવાદ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 17 એપ્રિલે સાંજના 6.00 વાગ્યાથી રામનવમી ઉત્સવની શરૂઆત થશે. શ્રીરામનવમી ઉત્સવએ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. આ ઉત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અંલકારથી શણગારવામાં આવશે. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર…

અયોધ્યાની જેમ મથુરામાં પણ ઠાકુરજી આરામથી બિરાજશે

આ દેશ રઘુવરનો છે બાબરના પરિવારનો નથી, વ્રજના સાધુ-સંતો ભેગા મળીને ઠાકુરજીને બિરાજમાન કરશેઃ શાસ્ત્રી મથુરા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એક નિવેદન આપ્યુ છે. તેમણે મથુરામાં કહ્યું કે જે રીતે ભગવાન રામલલા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા અને એક પાંદડું પણ ન હલ્યું તેવી જ રીતે ઠાકુરજી પણ મથુરામાં આરામથી બિરાજશે. તેમણે…

ભારતમાં આજથી રમઝાન મહિનાની શરૂઆત થઈ શકે છે

મજમાહ યુનિવર્સિટી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીએ રમઝાનનો ચાંદ દેખાયાની પુષ્ટી પણ કરી દોહા સાઉદી અરબમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ ગયો છે. ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે હવે એ પણ નક્કી થઇ ગયું છે કે ભારતમાં આવતીકાલથી રમઝાન મહિનાની શરૂઆત થઇ શકે છે અને આજ રાતથી પહેલી તરાવીહની શરૂઆત પણ થઈ શકે…

અબુધાબીના હિંદુ મંદિર માટે ડ્રેસ કોડ, ફોટોગ્રફી અને વીડિયોગ્રાફીના નિયમ જાહેર કરાયા

દિશા-નિર્દેશો અનુસાર ટી-શર્ટ, ટોપી અને ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેરીને આવનાર લોકોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં અબુ ધાબી સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના અબુ ધાબીના પહેલા હિંદુ મંદિરને શુક્રવારે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પથ્થરથી નિર્મિત અબુ ધાબીના આ પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યુ હતુ. મંદિર તંત્રએ પોતાની વેબસાઈટ…

વડાપ્રધાન મોદીએ કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન કર્યું

શ્રી કલ્કી ધામ મંદિર પરિસર 5 એકરમાં ફેલાયેલું હશે, તેનું નિર્માણ કાર્યક્રમ 5 વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું લખનૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેમની સાથે આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન કર્યું…

શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં પૂજારી સેવા માર્ગદર્શિકા માર્ગ મોકળો, 50 પૂજારી હશે

મંદિર ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ કે ધોરણ 6થી 12 સુધીના તમામ બાળકોને મફત પુસ્તક-ડ્રેસ આપવામાં આવશે વારાણસીશ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં ચાર દાયકા બાદ પૂજારી સેવા માર્ગદર્શિકા લાગુ થવાનો માર્ગ વિસ્તૃત થઈ ગયો છે. મંદિરના ટ્રસ્ટની ગુરુવારે આયોજિત 105મી બેઠકમાં આની પર ચર્ચા કરવામાં આવી. સમસ્ત મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યા બાદ પરિષદે સર્વસંમતિથી સંમતિ વ્યક્ત કરી…

કર્ણાટકમાંથી અયોધ્યાના રામલલા જેવી 1000 વર્ષ જૂની મૂર્તિ મળી

આ મૂર્તિ એકદમ રામલલાની નવી બનાવાયેલી મૂર્તિ જેવી જ છે, પુરાતત્વવિદોએ કહ્યું કે આ મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે બેંગલુરૂકર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે. એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી. જે આશરે એક હજાર વર્ષ જૂની હોવાનો દાવો કરાયો છે. ખાસ વાત એ છે કે આ મૂર્તિ…

રામજન્મભૂમિ ટ્રસ્ટનો બીજા 13 મંદિરો માટે પણ મેગા પ્લાન

આગામી વર્ષોમાં અયોધ્યા માત્ર રામ મંદિર માટે નહીં પરંતુ એક વિશાળ આધ્યાત્મિક ટુરિસ્ટ હબ તરીકે જાણીતું બનશે અયોધ્યાઅયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જોકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી પૂર્ણ થતું નથી. રામ જન્મભૂમિ ટ્રસ્ટ હજુ બીજા 13 મંદિરો માટે પણ મોટા પ્લાન ધરાવે છે. એક ટીવી ચેનલને…

મંગદીપ વિદ્યાલયમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામ ભજન ગાન સહિતના કાર્યક્રમો યોજાયા

મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 19 1 2024 ને શુક્રવારના રોજ શાળા પટાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની રામ લક્ષ્મણ જાનકીના પાત્રની વેશભૂષા અને રામ ભજન ગાન તેમજ વિદ્યાર્થીઓના શ્રી રામ જીવન પરના વક્તવ્યની રજૂઆત કરવામાં આવી.

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે “ગોસેવા મહોત્સવ”નું આયોજન

સનાતન-હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયોની સેવા અને પૂજન અર્ચન કરવાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. મકરસંક્રાંતિ નિમિત્તે શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે તા.13, 14, 15 જાન્યુઆરી-2024 સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન ગોસેવા આધારિત મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ત્રણેય દિવસ સવારે 8-30 તથા સાંજે 6-30 કલાકે ગોઆરતી કરવામાં આવશે. સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે ગૌલોકવાસી…

વડાપ્રધાન 22 જાન્યુઆરીએ બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે

સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો, પ્રથમ તબક્કો 20 ડિસેમ્બર સુધી ચાલશે અયોધ્યા વર્ષે 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને…

હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્યતા સાથે વિજયા દશમીની ઉજવણી

ઉત્સવમાં રામ દરબાર, સ્વર્ણ રથ, રામ તારક યજ્ઞ અને અંતમાં રાવણ દહન કરવામાં આવશે અમદાવાદ હરે કૃષ્ણ મંદિર, ભાડજ કે જેણે ભક્તોમાં ખુબ ઓછા સમયમાં અતિશય લોકપ્રિયતા મેળવી છે, તેઓ દ્વારા 24 ઓક્ટોમ્બરના રોજ દશેરા મહોત્સવ માટે ખાસ ઉજવણી કરવામાં આવશે. આ દિવસે, ભક્તો માટે મંદિરમાં ઉત્કૃષ્ટ ફુલોની સુશોભન સાથેના વિશેષ રામ દરબારની સ્થાપના કરવામાં…

અયોધ્યા રામમંદિરમાં સોના જડિત દરવાજા લગાવાશે

દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગનું કામ નવેમ્બર મહિનામાં પૂરું થઇ જશે, આ સાથે જ આને છેલ્લે નિર્ધારિત જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે અયોધ્યા અયોધ્યાના રામ મંદિરના દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારા સૌથી મોટા દરવાજા સહિત 10 દરવાજાઓના ફિટિંગની ટ્રાયલ પણ પૂરી થઇ ગઈ છે. સોનાના જડતરના કારીગરોએ દરવાજાની ફિટિંગનું પરીક્ષણ…

હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે વિશ્વ શાંતિ માટે શ્રી કૃષ્ણના નામની 21 લાખ વખત રટણ કરવાના સંકલ્પ સાથે જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો

હરેકૃષ્ણ મંદિર, ભાડજ તા. 7 સપ્ટેમ્બર, 2023 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વિશાળ ભવ્યતા ઉજવણી થઇ. મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતો ને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું કરવામાં આવેલ આયોજન ઉત્સવને વધુમાંવધુ દર્શનીય બનાયો….

2024માં 16 થી 24 જાન્યુઆરીની વચ્ચે રામમંદિરમાં મૂર્તિ સ્થાપિત કરાશે

બે માળના રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર છે, મૂર્તિની સ્થાપના બાદ ભક્તો મંદિરમાં રામ લાલાના દર્શન કરી શકશે અયોધ્યાઅયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયે નિરંજની અખાડાની મુલાકાત લીધી હતી અને અખિલ ભારતીય અખાડા પરિષદ (નિરંજની) ના પ્રમુખ…

ગીતાના જ્ઞાન પ્રસાર માટે કાનપુર યુનિ.માં ગીતા ચેરની સ્થાપના કરાશે

લોકો ગીતાના જ્ઞાન વિશે વધુને વધુ જાણી શકે અને સંશોધકો ગીતાના અધ્યાય, શ્લોક અને તેના જ્ઞાન પર સંશોધન કરી શકશે કાનપુરકાનપુર યુનિવર્સિટી ગીતાના જ્ઞાનને દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે આગળ આવી છે. જે અંતર્ગત કાનપુર યુનિવર્સિટી કેમ્પસમાં ગીતા ચેરની સ્થાપના કરવામાં આવશે. જેથી કરીને લોકો ગીતાના જ્ઞાન વિશે વધુને વધુ જાણી શકે…

ધીરેન્દ્ર શાસ્ત્રીની ભાગવતમાં બાઉન્સરે ભક્તને ફટકાર્યો

બાઉન્સરે ભક્તને એક બાદ એક સાત થપ્પડ માર્યા, સૂરજપુર કોતવાલી પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી નોઈડાગ્રેટર નોઈડાના જેતપુરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસે મોડી રાત્રે એક ભક્તની બાઉન્સરે મારપીટ કરી હતી. ભક્તને એક બાદ એક સાત થપ્પડ મારવામાં આવ્યા હતા. મારપીટનો આ વીડિયો વાયરલ થયો છે.લોકોએ બાઉન્સરના આ કૃત્યની ટીકા…

ખાટુશ્યામ મંદિરમાં ફાટેલા જીન્સ, પાફ પેન્ટ, સ્કર્ટ  પહેરીને દર્શન પર પ્રતિબંધ

મંદિર કમિટી દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ટૂંકા કપડા જેવા કે, હાફ પેન્ટ, બરમુડા, મીની સ્કટ અને નાઈટ શૂટ પહેરીને આવનારા શ્રદ્ધાળુ ભગવાનના દર્શન બહારથી જ કરે હાપુડ ઉત્તર પ્રદેશના હાપુડ સ્થિત હાપુડ ખાટુશ્યામ મંદિરમાં જો ભક્તો ફાટેલા જીન્સ, હાફ પેન્ટ, સ્કર્ટ જેવા ઉશ્કેરણીજનક કપડા પહેરીને દર્શન કરવા જાય છે તો તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં…