ઘરકામ કરતી 23 વર્ષની લક્ષ્મી રાઠોડ ધો.10 બોર્ડની પરીક્ષા આપશે

લક્ષ્મી તેના મોબાઈલ ફોન પર ઓન-લાઈન કોચિંગ લે છે અને લાઈબ્રેરી રીડિંગ રૂમમાં ડોનેશનમાં મળેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરે છે સુરત 23 વર્ષીય લક્ષ્મી રાઠોડ જ્યારે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના પિતાની તબીયત બગડતા તેમને કામકાજ બંધ કરવું પડ્યું હતું. જેથી પરિવારને આર્થિક ટેકો કરવા માટે લક્ષ્મીએ ભણવાનું છોડીને લોકોના ઘરે કામ કરવાનું શરૂ…

દિલ્હીમાં અપમાનથી ત્રાસી પિતાએ પુત્રની લગ્ન પહેલાં જ હત્યા કરી

પુત્રના ચહેરા અને છાતી પર છરીના 15થી વધારે ઘા મારવામાં આવ્યા અને પુત્ર ઘટનાસ્થળે જ ફસડાઈ પડ્યો હતો નવી દિલ્હી દિલ્હીમાં એક જિમના માલિકની તેના લગ્નના થોડા કલાકો અગાઉ જ હત્યા કરવામાં આવી છે. આઘાતની વાત એ છે કે 29 વર્ષના યુવાનની હત્યા તેના જ પિતાએ કરી છે. ગૌરવ સિંઘલ નામનો યુવાન દિલ્હીમાં ફિટ બોક્સ…

કોટામાં જેઈઈની તૈયારી કરતા બિહારના વિદ્યાર્થીની આત્મહત્યા

વિદ્યાર્થીના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી, વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે કોટા મહાશિવરાત્રિના અવસરે કોટાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં જેઈઈની તૈયારી કરતાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે. જોકે ગત વર્ષે 29 બાળકોએ આપઘાત…

આવકથી વધુ સંપત્તીના મામલે પત્નીને આરોપી ન બનાવી શકાય

એક પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં ભૂવનેશ્વર ઓડિશા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત પત્નીને આરોપી બનાવી શકાય નહીં, ભલે સંપત્તિ પત્નીના નામે હોય.  જસ્ટિસ સિબો…

મોદીએ મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેકને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર આપ્યા

ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર અને જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભારત મંડપમ ખાતે મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેક યુવા હસ્તીઓને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.  પીએમ મોદીએ લોકપ્રિય ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર આપ્યો. આ…

કેદારનાથ ધામના કપાટ 10 મેએ સવારે સાત વાગે ખુલશે

ઉખીમઠમાં આવેલા પંચ કેદાર શીતકાલીન ગાદી સ્થળ ઓમ્કારેશ્વર મંદિરમાં પંચાગ ગણતરી બાદ તિથિની જાહેરાત કરવામાં આવી કેદારનાથ આજે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રી છે અને આ અવસરે ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર કેદારનાથના દ્વારા 10 મેના રોજ ખુલશે. ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની…

યુનાઈટેડ એરલાઈન્સના પ્લેનનું ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ફ્લાઈટે ઉડાન ભરતાની સાથે ડાબી બાજુના મુખ્ય લેન્ડિંગ ગિયર એસેમ્બલી સાથે જોડાયેલા 6 ટાયરમાંથી એક ઉડાન ભર્યા બાદ તરત જ નીકળી ગયું હતું સાન ફ્રાન્સિસ્કો સાન ફ્રાન્સિસ્કોથી જાપાન જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટેકઓફ દરમિયાન પ્લેનનું ટાયર નીકળી જવાને કારણે આ આ ઘટના બની હતી જેને લીધે વિમાનમાં…

મહાકાલને વરરાજાની જેમ શણગારાયા, કાશી વિશ્વનાથમાં શિવ-ગૌરાનાં લગ્ન

મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં પણ ભોલેનાથની પૂજા કરવામાં આવી નવી દિલ્હી આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રી નિમિત્તે દેશભરના તમામ મંદિરોમાં મોડી રાતથી જ ભક્તોની ભીડ જામી છે. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર હોય કે કાશીનું વિશ્વનાથ મંદિર, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. વહેલી સવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી. આજે ભગવાન મહાકાલને વરરાજાની જેમ…

લિંબાયતમાં પત્ની-બાળકને ઝેર આપી પતિએ ફાંસો ખાઈ લીધો

પોલીસને તપાસ દરમિયાન એક ચીઠી અને મોબાઈલ મળી આવ્યો છે, પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે સુરત સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે, જેમાં લિંબાયત વિસ્તારમાં રૂસ્તમ પાર્ક ખાતે એક પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આજે એક યુવકે પોતાની…

નજીકના ભવિષ્યમાં ગુજરાત વર્લ્ડ  લેવલની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજશેઃ જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરી

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની ટીમમાંથી બે ગુજરાતી ખેલાડીઓ રમે તેવી અપેક્ષા ગાંધીધામ પ્રમોદ ચૌધરીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ તરીકેનો હવાલો 2022ની પાંચમી નવેમ્બરે સંભાળ્યો હતો અને ત્યારથી તેઓ રાજ્યમાં ટેબલ ટેનિસની રમતના અભૂતપૂર્વ સતત વિકાસ માટે એક પીઠબળ રહ્યા છે. સુરતના વતની તથા એક ઉદ્યોગપતિ અને શિક્ષણકાર શ્રી પ્રમોદ ચૌધરીએ રાજ્યની ટેબલ ટેનિસની રમતના…

મોહમ્મદ અઝહરની શાનદાર પાંચ-અંડર તેને અડધી લીડ આપે છે

અમદાવાદ વિકરાબાદ સ્થિત મોહમ્મદ અઝહરના બીજા રાઉન્ડમાં શાનદાર પાંચ-અંડર 31એ તેને ગ્લેડ વન પ્રસ્તુત ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2024માં કુલ સાત-અંડર 65ની હાફવે લીડ અપાવી, જે 1 કરોડ રૂપિયાની ઈવેન્ટ છે. અમદાવાદના ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ અને ક્લબમાં રમ્યા. કૃણાલના મણિરામે સતત 33 રન બનાવ્યા અને કુલ છ-અંડર 66 સાથે બીજા સ્થાને રહ્યો. ઈવેન્ટના પ્રથમ…

INR 1.12 કરોડના રોકડ પુરસ્કારો સાથે BATC સફળ, પંચકુલામાં નેશનલ માસ્ટર્સ માટે 18 લાખનો ઈનામી પૂલ હશે: BAI

નવી દિલ્હી ભારતીય બેડમિન્ટન એસોસિયેશને ગુરુવારે એશિયન ગેમ્સ, બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ અને BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ સહિતની મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સફળતા માટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને INR 1.12 કરોડથી વધુના રોકડ પ્રોત્સાહનની જાહેરાત કરી હતી. ગયા મહિને ઐતિહાસિક બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ (BATC)નો તાજ જીતનાર મહિલા ટીમને INR 35 લાખ, 2022 એશિયન ગેમ્સના સુવર્ણ…

ઇન્ડિયન ઓઇલનું રેસિંગ ફ્યુઅલ ‘સ્ટોર્મ’ એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ 2024 ને પ્રબળ બનાવે છે

ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરીમાં ઉત્પાદિત “સ્ટોર્મ” વૈવિધ્યસભર અને મહત્ત્વાકાંક્ષી પ્રોડક્ટ નવી દિલ્હી: ઊર્જા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ, પ્રતિષ્ઠિત એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી) માટે “ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર” તરીકે એફઆઇએમ (ફેડરેશન ઇન્ટરનેશનલ ડી મોટોસાયક્લિઝમ) સાથે 2024થી 2026 સુધી ત્રણ વર્ષ માટે ભાગીદારીની જાહેરાત કરતા રોમાંચ અને ગર્વ અનુભવે છે. આ ભાગીદારી અંતર્ગત ઇન્ડિયન ઓઇલ…

તમામ મહિલાઓને એક ખુલ્લો પત્ર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ! આપણે આઠમી માર્ચે મહિલા દિવસ ઊજવી રહ્યા છીએ ત્યારે હું આ તકનો લાભ ઉઠાવીને સૌ પ્રેમાળ મહિલાઓ સુધી પહોંચવા માંગતી હતી. હું ખરેખર એવું માનું છું કે દરેક દિવસ એ મહિલા દિવસ છે પરંતુ એ પણ મહત્વનું છે કે એક એવો દિવસ હોય જ્યારે આપણે માત્ર મહિલાઓ પર જ ધ્યાન આપીએ. એક…

આ દિવસે લાલીગા ઇતિહાસ – માર્ચ

લાલિગાના ઇતિહાસમાં આ અઠવાડિયાના કેટલાક ક્લાસિક ગોલ, ડેબ્યૂ, ખેલાડીઓ અને ક્ષણો પર પાછા જુઓ… 1લી માર્ચ: રોનાલ્ડીન્હો સ્ટાઈલમાં સાઈન ઓફ કરે છે (2008) એટ્લેટિકો ડી મેડ્રિડના જૂના વિસેન્ટે કેલ્ડેરોન ઘર પર તે માર્ચ 2008 ની શરૂઆતમાં છે, અને મુલાકાતીઓ બાર્સેલોના રાજધાની શહેરની બાજુ સામે મડાગાંઠ તોડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બ્લાઉગ્રાના પ્લેમેકર ઝેવી હર્નાન્ડેઝ…

જૌનપુરમાં અજાણ્યા શખ્સોએ ભાજપના નેતા પ્રમોદ યાદવની હત્યા કરી

કેસમાં હજુ સુધી કોઈની સામે આરોપો ઘડવામાં આવ્યા નથી, એક્શનમાં આવી છે અને વિવિધ સ્થળોએ ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું લખનઊ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રમોદ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તે ચૂંટણીમાં સપાના…

ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે એવો શિંદે જૂથના વિધાનસભ્યનો દાવો

ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે અને ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે મુંબઈ લોકસભાની ચૂંટણીની જાહેરાત કયારેય થઈ શકે છે. દરમિયાન ભાજપની પ્રચાર સભાઓ શરૂ થઈ ગઈ છે. અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યની મુલાકાત લેશે. આ બધા માહોલમાં એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે? તેનું…

ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર ડોલર પડાવવાના કેસમાં ત્રણની ધરપકડ

આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક લોકોને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું મુંબઈ હિન્દી ફિલ્મના શૂટિંગ માટે કલાકારોને વિદેશ લઈ જવાને બહાને વિલેપાર્લેના ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર યુએસ ડૉલર પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક લોકોને છેતર્યા…

બીજુ જનતાદળનું 15 વર્ષ બાદ ફરી ભાજપ સાથે જોડાણ

પીએમ મોદીએ અને મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એકબીજાના જાહેરમાં વખાણ કર્યા ત્યારથી ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધનની અટકળોએ જોર પકડ્યું હતું ઓડિશા મુખ્ય પ્રધાન નવીન પટનાયકની આગેવાની હેઠળના ઓડિશાના શાસક બીજુ જનતા દળે, એનડીએ છોડ્યાના 15 વર્ષ પછી આગામી લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ માટે બીજેપી સાથે ફરીથી જોડાણ કર્યું છે. બીજેડીએ 11 વર્ષની રાજકીય…

મજનુ કા ટીલા રેફ્યુજી કેમ્પમાં રહેતા 180 પરિવારને જમીન ખાલી કરવા નોટિસ

નાગરિકો અહીંથી શિફ્ટ થઈને શેલ્ટર હોમ, ગીતા કોલોની, રેઈન બસેરા, દ્વારકા અને રેઈન બસેરા દ્વારકા સેક્ટર 1માં રહી શકે છે, જો કે હિન્દુ શરણાર્થીઓએ તેને ફગાવી દીધો નવી દિલ્હી  ત્રાસ અને કનડગતના કારણે પાકિસ્તાનથી આવતા અને મજનુ કા ટીલા રેફયુજી કેમ્પમાં રહેતા 180 પરિવારો પર ‘બુલડોઝર’નો ખતરો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ (ડીડીએ) બુધવારે આ પરિવારોને…