મંગદીપ વિદ્યાલયમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામ ભજન ગાન સહિતના કાર્યક્રમો યોજાયા

મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 19 1 2024 ને શુક્રવારના રોજ શાળા પટાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની રામ લક્ષ્મણ જાનકીના પાત્રની વેશભૂષા અને રામ ભજન ગાન તેમજ વિદ્યાર્થીઓના શ્રી રામ જીવન પરના વક્તવ્યની રજૂઆત કરવામાં આવી.

પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી

તસવીરમાં શ્રી રામના ચહેરામાં મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી રહ્યું છે અયોધ્યા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થાય તે પહેલા…

સેન્સેક્સમાં 545 અને નિફ્ટીમાં 176 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

ઓએનજીસી, ભારતી એરટેલ, એનટીપીસી અને બ્રિટાનિયાના શેરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક અને ડીવિસ લેબના શેરમાં નબળાઈ નોંધાઈ મુંબઈ શેરબજારનો કારોબાર શુક્રવારે સારી રીતે સમાપ્ત થયો. બીએસઈસેન્સેક્સ 545 પોઈન્ટના વધારા સાથે 71372 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 176 પોઈન્ટના ઉછાળા સાથે 21638 પોઈન્ટના સ્તરે બંધ…

ઈઝરાયેલમાં ગૃહયુદ્ધ ભડકવાની સ્થાનિક મીડિયાની ચેતવણી

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં એક દુઃસ્વપ્ન સમાન કેબિનેટ હેઠળ ઈઝરાયલમાં એક મોટાપાયે ગૃહયુદ્ધની સ્થિતિ ભડકવાનો અખબારનો દાવો તેલઅવિવ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 100 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે નેતન્યાહૂની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધતી જઇ રહી છે. એક ઈઝરાયલી અખબાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો અને ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે તેલ…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 355 નવા કેસ, કુલ 2331 સક્રિય કેસ

દેશમાં કોરોના સબ-વેરિયન્ટ જેએન.1ના કુલ કેસોની સંખ્યા હવે 1,226 છે નવી દિલ્હી ભારતમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 841 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ કોસમાં વધારો જોવા મળ્યો નથી. કુલ સક્રિય કેસમાંથી મોટાભાગના (લગભગ 92 ટકા) સેલ્ફ આઈસોલેશન અને સામાન્ય સારવારથી સ્વસ્થ…

શનિવારે શેરબજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય, ટ્રેડિંગ થઈ શકશે

એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (ઈન્ટ્રાડે) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે, આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે મુંબઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય રીતે શેર બજારમાં શનિવારે અને રવિવારે રજા હોય…

ટી20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં 8-10 ખેલાડી નક્કીઃ રોહિત

ટી-20 શ્રેણીમાં શાનદાર દેખાવ કરવા છતાં યુવા ખેલાડીઓને ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળે તેમ પણ બની શકે એવા ટીમ ઈન્ડિયાના સુકાની એ સંકેત આપ્યો મુંબઈ અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી20ની શ્રેણીમાં શાનદાર દેખાવ કરતાં શિવમ દુબે તેમજ રિન્કુ સિંઘ જેવા ખેલાડીઓએ ચાલુ વર્ષ જુનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની આશા જગાવી છે….

દિલ્હીની સરકારી શાળાની દિવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખાયા

પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક વીજપોલ પર પણ ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા મળી આવ્યા,એફઆઈઆર નોંધાઈ નવી દિલ્હી દિલ્હીના ઉત્તમ નગરના હસ્તાલ વિસ્તારમાં એક સરકારી શાળાની દીવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. આ અંગેની માહિતી પોલીસે આપતા જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર…

ગાઝાની પેલેસ્ટાઈન યુનિવર્સિટીના એક મુખ્ય પરિસર પર ઈઝરાયલનો બોમ્બમારો

આ હુમલો એટલો ભયાનક હતો કે આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવીને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું, અલ ઈસરા યુનિવર્સિટીના કેમ્પસ પર આ હુમલો કરાયો હતો ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 100 કરતાં પણ વધુ દિવસોથી યુદ્ધની સ્થિતિ યથાવત્ છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઈઝરાયલ દ્વારા ગાઝામાં આવેલી પેલેસ્ટાઈન…

UD ALMERIA’s Sergio Arribas: “આ ઉનાળામાં હું લાલીગા EA સ્પોર્ટ્સ ક્લબ તરફ આગળ વધવા માંગતો હતો… હું સારું કરવાના આત્મવિશ્વાસ સાથે UD ALMERIA પાસે આવ્યો છું”

સર્જિયો એરિબાસ આ સિઝનમાં એક વ્યાવસાયિક ખેલાડી તરીકેનો તેનો પ્રથમ અનુભવ જીવી રહ્યો છે. સીડી લેગનેસ અને રીઅલ મેડ્રિડના યુવા રેન્કમાંથી પસાર થયા પછી, જ્યાં તેણે ઝિનેડિન ઝિદાન હેઠળ તેની શરૂઆત કરી, તેણે રાઉલ દ્વારા પ્રશિક્ષિત રીઅલ મેડ્રિડ કેસ્ટિલા ખાતે સ્ટેન્ડઆઉટ ખેલાડી તરીકે અભિનય કર્યો, જેના કારણે તે આ ઉનાળામાં UD અલ્મેરિયામાં જોડાયો અને કૂદકો…

અંકિતાની લડાયક જીત, 3 ભારતીયોએ KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

બેંગલુરુ : ભારતની અગ્રણી સ્ટાર અંકિતા રૈનાએ KPBના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં વિક્ટોરિયા મોરવાયોવા સામે એક સેટથી પાછળ રહીને અને બીજા સેટમાં 1-5થી પાછળ રહીને હારની અણી પરથી પાછા ફરવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટ્રસ્ટ આઈટીએફ મહિલા ઓપન બુધવારે અહીંના કેએસએલટીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આઠમી ક્રમાંકિત, ગળામાં દુખાવો અને પેટમાં ખેંચાણ સામે લડતા તેણીએ…

ચિરાગ-સાત્વિક યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2024ના બીજા રાઉન્ડમાં આગળ વધ્યા

નવી દિલ્હી એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ચીની તાઈપેઈના ફેંગ-ચિહ લી અને ફેંગ-જેન લી સામે સખત સંઘર્ષ કરીને 21-15, 19-21, 21-16થી જીત મેળવી હતી. યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન સુપર 750નો બીજો રાઉન્ડ, બુધવારે અહીં ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ભારતીય બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. બીજા ક્રમાંકિત, જેમણે ગયા…

ઈરાનની પાક. સામેની કાર્યવાહી દેશની સુરક્ષા માટેઃ ભારત

આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. સ્વ-બચાવમાં દેશ જે પગલાં લે છે તે અમે સમજીએ છીએઃ જાયસ્વાલ નવી દિલ્હીઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હવે આ અંગે ભારતનું નિવેદન પણ આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે આ કાર્યવાહીનો…

થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 23 લોકોનાં મોત

ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિના બચવાની શક્યતા નથી બેંગકોકથાઈલેન્ડમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી છે. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં…

ઈડીના સમન્સ અવગણીને કેજરીવાલની ગોવા જવાની યોજના

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અરવિંદ કેજરીવાલ ગોવા જવાની હોવાની સીએમ કાર્યાલયના અધિકારીની સ્પષ્ટતા નવી દિલ્હીદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લીકર પોલીસી કેસમાં ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સની અવગણના કરી શકે છે. ઈડીના ચોથા સમન્સને અવગણીને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનરે ગોવા જવાની યોજના બનાવી છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ‘તેમના પૂર્વ…

દેશના સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક સાત વર્ષની નીચલી સપાટીએ

એફસીઆઈ અને રાજ્યની એજન્સીઓ પાસે ઘઉંનો કુલ સ્ટોક 163.5 લાખ ટન જ હતો, જે સાત વર્ષમાં સૌથી ઓછો હોવાનો ખુલાસો નવી દિલ્હીભોજનની થાળીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ એટલે કે રોટલી જ હવે વધુ મોંઘી થઈ શકે છે કારણ કે દેશભરના સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક સાત વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. સત્તાવાર માહિતી અનુસાર 1 જાન્યુઆરી,…

નૌકાદળમાં યુદ્ધ જહાજો પર મહિલા અગ્નિવીરોને તૈનાત કરાશે

હાલમાં લગભગ 50 જેટલી મહિલાઓ યુદ્ધ જહાજ પર સેવા આપી રહી છે નવી દિલ્હીદેશમાં 74માં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરહદ પર દેશની રક્ષા કરવાનું સપનું જોનારી હજારો મહિલાઓ માટે એક મહત્વના સમાચાર છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ છે મુજબ ભારતીય નૌકાદળ થોડા અઠવાડિયામાં જ યુદ્ધ જહાજો પર મહિલા અગ્નિવીરોને તૈનાત કરવાનું શરૂ…

વિરાટે બાઉન્ડ્રી બહાર જતા બોલને હવામાં ઊછળીને બોલને અંદર ફેંક્યો

કોહલીની ચપળતા જોઈને ત્યાં હાજર દર્શકો જી.ઓ.એ.ટીની બૂમો પાડવા લાગ્યા નવી દિલ્હીભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી20આઈ સીરિઝની છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચ ટાઈ થયા બાદ બીજી સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી. મેચમાં ઘણા એવા ટ્વિસ્ટ આવ્યા, જેણે દર્શકોને ઉઠવા પણ ન દીધા હતા. મેચની 17મી ઓવર ઘણી યાદગાર રહી હતી….

પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો

આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી કરાંચીઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી…

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગલદીપ વિદ્યાલય,રાણીપની છાત્રાઓએ રંગોળી બનાવી

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગલદીપ વિદ્યાલય,રાણીપની ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીનીઓ કાજલ,નિધિ, ઝીલ અને પ્રિયાનીએ ચાર દિવસની સખત જહેમત બાદ સુંદર મજાની રંગોળી બનાવીને રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.