શબરી રસોઈમાં બે ચા, બે ટોસ્ટનું બીલ 240 રુપિયા

આ મામલો અયોધ્યાના તંત્રને ધ્યાને આવતા જ રેસ્ટોરાં માલિકને નોટિસ ફટકારી જવાબ માગવામાં આવ્યો અયોધ્યાઅયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ચૂકી છે. તેની સાથે જ રામના નામે લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયું હતું જેના ટોપ ફ્લોર પર એક રેસ્ટોરાં આવેલી છે. જેનું નામ ‘શબરી રસોઈ’ છે. જોકે આ રેસ્ટોરાંમાં મળતી…

હવાઈ એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટનું હાર્ડ લેન્ડિંગ

એક મુસાફર અને પાંચ ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત કુલ છ લોકો ઘાયલ થયા હવાઈઅમેરિકામાં હવાઈના કાહુલુઈ એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટનું હાર્ડ લેન્ડિંગ કરાવાયું હતું. દરમિયાન એક મુસાફર અને પાંચ ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત કુલ છ લોકો ઘાયલ થયા હતા.અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ નંબર 271માં લોસ એન્જલસથી માયુ સુધીની ઉડાન વખતે સેવા સાથે ઓજીજી પર લેન્ડ કરતી વખતે…

સૈનિકોના મોત માટે જવાબદારથી વીણી વીણીને બદલો લઈશુઃ બાયડેન

સૈનિકોએ દેશની સેવા કરતાં કરતાં બલિદાન આપ્યું. અમે પણ આતંકવાદ વિરુદ્ધ લડતા રહીશું. આ એવી લડાઈ છે જે ક્યારેય બંધ નહીં કરીએઃ યુએસ રાષ્ટ્રપતિ વોશિંગ્ટનસીરિયાની સરહદ નજીક ઉત્તર પૂર્વ જોર્ડનમાં તહેનાત અમેરિકન સૈન્યને માનવરહિત ડ્રોન વડે નિશાન બનાવાયું હતું. આ હુમલામાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 34થી વધુ ઘવાયા હતા. રાષ્ટ્રપતિ બાયડેને આ…

ગીલ-શ્રેયસની નિષ્ફળતા, પૂજારાની અવગણના ભારતને ભારે પડી

ગુજરાતના બેટર ચેતેશ્વર પૂજારાને રણજી ટ્રોફીમાં જોરદાર સફળતા છતાં ટીમમાં ન સમાવાયો જ્યારે ગિલ અને શ્રેયસને ટીમમાં સતત તક અપાઈ હૈદ્રાબાદભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ સમાપ્ત થયા બાદ જયારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી આ હારનું કારણ પૂછવામાં આવ્યું તો રોહિત…

અમારી પાસે સદી ફટકારી શકે એવો કોઈ ખેલાડી નહતોઃ દ્રવિડ

બીજી ઇનિંગ હંમેશા પડકારરૂપ રહે છે, અમે ચેઝમાં નજીક આવી ગયા પરંતુ જીતની લાઈનને પાર કરી શક્ય ન હતાઃ ટીમ ઈન્ડિયાનો ચીફ કોચ હૈદ્રાબાદભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે 28 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જયારે ભારતીય ટીમના હેડ કોચ…

2023માં અમદાવાદ એરપોર્ટ પર 11.65 કરોડ મુસાફરો નોંધાયા

આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ 32 હજાર મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવર-જવર કરી અમદાવાદઅમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2023માં કુલ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ 32 હજાર મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવર-જવર કરેલી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે 2014માં કુલ 48.09 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, 10…

દેશના 30 શહેરોને ભિકારી મુક્ત બનાવવા સરકારની જાહેરાત

ઉત્તરમાં અયોધ્યાથી લઇને પૂર્વમાં ગુવાહાટી અને પશ્ચિમમાં ત્ર્યંબકેશ્વરથી લઈને દક્ષિણમાં તિરુવનંતપરુમ સુધીના શહેરોની પસંદ કરાયા નવી દિલ્હીહવે ‘હાથ નહીં ફેલાવીએ, ભીખ નહીં માગીએ’ આ સૂત્ર સાથે મોદી સરકારે નવું લક્ષ્ય નક્કી કર્યું છે. તેના માટે 30 શહેરોની યાદી તૈયાર કરાઈ છે. ઉત્તરમાં અયોધ્યાથી લઇને પૂર્વમાં ગુવાહાટી અને પશ્ચિમમાં ત્ર્યંબકેશ્વરથી લઈને દક્ષિણમાં તિરુવનંતપરુમ સુધીના શહેરોની પસંદ…

ઈડીની ટીમ હેમંત સોરેનની પૂછપરછ માટે દિલ્હીના નિવાસે પહોંચી

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ 20 જાન્યુઆરીએ મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન તેમના નિવાસે નોંધ્યું હતું નવી દિલ્હીએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમ મની લોન્ડરિંગ મામલે તપાસ કરવા સોમવારે સવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી નિવાસે પહોંચી ગઇ હતી. ઈડીના અધિકારીઓ હવે સીએમ સોરેનની પૂછપરછ કરી શકે છે.અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ 20 જાન્યુઆરીએ મની…

સેન્સેક્સમાં 1240 અને નિફ્ટીમાં 385 પોઈન્ટનો વધારો થયો

ગૌતમ અદાણીની લિસ્ટેડ 10માંથી 9 કંપનીઓના શેર ઉછળીને બંધ થયા, એનડીટીવીના શેરમાં થોડી નબળાઈ નોંધાઈ હતી મુંબઈસોમવારે શેરબજારના કામકાજમાં બમ્પર વધારો નોંધવામાં આવ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ભારે ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 1240 પોઈન્ટ ઉછળીને 71941 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 385 પોઈન્ટના વધારા…

એક ગ્રુપમાં હોવા છતાં સુપર-6માં ભારત-પાક.ની ટક્કર નહીં થાય

ટૂર્નામેન્ટના નિયમો મુજબ ગ્રૂપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમો સુપર-6 રાઉન્ડમાં એકબીજાનો સામનો કરશે નહીં નવી દિલ્હીસાઉથ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડ કપ 2024 રમાઈ રહી છે. ભારતીય ટીમનું પ્રદર્શન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ભારતીય ટીમ સુપર-6માં પહોંચી ચુકી છે. ભારત સાથે આ સુપર-6 ગ્રુપમાં પાકિસ્તાન પણ છે. ક્રિકેટ ચાહકોને આશા છે કે તેમને ભારત…

નીતીશ કુમાર આયા રામ, ગયા રામ નથી તે આયા કુમાર, ગયા કુમાર છેઃ જયરામ રમેશ

શપથ ગ્રહણ બાદ નીતીશ કુમાર પોતાનું મફલર રાજભવનમાં ભૂલી ગયા હતા, અડધા રસ્તેથી પાછા ફરી તેઓ મફલર લેવા આવ્યા તો રાજ્યપાલ ચોંકી ગયા કે આ વખતે તો 15 મિનિટ પણ નથી થઈ નવી દિલ્હીબિહારના નવા મુખ્યમંત્રી તરીકે નીતીશ કુમારે શપથ ગ્રહણ કર્યા બાદથી જ વિપક્ષના તમામ નેતાઓ તેમના પર સતત નિશાન સાધી રહ્યા છે. વિપક્ષના…

ગુજરાતની 4 સહિત દેશની 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી

નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરીએ જ પરિણામ જાહેર થશે નવી દિલ્હીચૂંટણી પંચે ગુજરાતની 4 બેઠકો સહિત દેશની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી તારીખોનું એલાન કરી દીધું છે. 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે. જેના પર 27…

રીલ્સ જોવામાં સમય બરબાદ ન કરો, અભ્યાસ પર પૂરતું ધ્યાન આપોઃ મોદી

આ ઉંમરમાં ભોજન અને ઉંઘનું સંતુલન બનાવવું ખુબ જ જરૂરી છે. બાળકોએ ભરપૂર ઉંઘ લેવી જોઈએ, માત્ર મોબાઈલ જ ન જોવો જોઈએઃ વડાપ્રધાનની સલાહ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દ્વારા બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બાળકોને કેટલાક ગુરુ મંત્રો આપ્યા હતા….

કોંગ્રેસના વધુ બે પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કરી લીધો

જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તેમજ બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા ગાંધીનગરલોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો….

નીતીશ ચોક્કસ પલટુરામ છે, પરંતુ આ વખતે તે શ્રી રામના ચરણોમાં સમર્પણ થઈ ગયાઃ રામભદ્રાચાર્ય

રાજકારણમાં આવું થતું રહે છે, નીતીશ કુમારને ત્યાં સન્માન મળી રહ્યું ન હતું, જ્યારે રાવણનો ભાઈ વિભીષણ રામ પાસે આવી શકે છે, તો નીતીશ કુમારના એનડીએમાં જોડાવા પર શું ફરક પડશે નવી દિલ્હીબિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ ત્રણ વર્ષમાં સત્તા પરિવર્તન થયું છે. નીતીશ કુમારે એનડીએ ગઠબંધન સાથે બિહારમાં સરકાર બનાવી છે. ત્યારે જેડીયુ પ્રમુખના…

ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી

ઈંગ્લેન્ડ સામેની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ભારતની જીતની ટકાવારી 43.33 થઈ ગઈ છે, જે પહેલા 50 હતી હૈદ્રાબાદ હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમને બેવડો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં 0-1થી પાછળ થઇ ગઈ છે. આ સિવાય તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારે નુકસાન…

પ્રથમ ટેસ્ટમાં હાર છતાં ભારત ઈંગ્લેન્ડ સામે શ્રેણી વિજયની દાવેદારઃ વોન

મને હજુ પણ લાગે છે કે ભારત સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. કારણ કે તે આ હાર પર પ્રતિક્રિયા આપશેઃ વોન હૈદ્રાબાદ હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ પણ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે ભારત આ 5 મેચની ટેસ્ટ સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. ભારતને પ્રથમ…

એમવી માર્લિન લુઆન્ડા માટે આઈએનએસ વિશાખાપટ્ટનમ દેવદૂત બન્યું

નૌસેનાના ફાયર બ્રિગેડના 10 કર્મચારીઓી એક ટીમે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો નવી દિલ્હી એડનની ખાડીમાં 27 જાન્યુઆરીએ એમવી માર્લિન લુઆન્ડા નામના જહાજ પર અચાનક આગ ફાટી નીકળી હતી અને જહાજના ક્રુ મેમ્બર્સ તમામ આશા છોડી ચુકયા હતા ત્યારે આ વિસ્તારમાં તૈનાત ભારતીય નૌસેનાના જહાજે અત્યંત ઝડપથી પહોંચીને આ જહાજની આગ…

બલૂચિસ્તાનના લોકો અલગ દેશની માગ કરતા હોવાની પાક.ના વડાપ્રધાનની કબૂલાત

પાકિસ્તાનમાં પહેલી વખત મોટા ગજાના કોઈ નેતાએ બલૂચિસ્તાનના લોકો અલગ થવા માંગી રહ્યા છે તે વાતને સમર્થન આપ્યુ ઈસ્લામાબાદ પાકિસ્તાનની સરકાર સામે બલૂચિસ્તાન પ્રાંતના લોકોનો રોષ વધી રહ્યો છે. અહીંયા ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે પણ સ્વીકાર્યુ છે કે, બલૂચિસ્તાનના લોકોને પાકિસ્તાન સરકારથી અસંતોષ જ નથી પણ સાથે…

પાક.ના પૂર્વ વડાપ્રધાન શરીફની રેલીમાં લાખ રુપિયાની ટોપીથી વિવાદ

શરીફની આ ટોપી ગૂચી કંપનીની હોવાનો અને તેની કિંમત એક લાખ રૂપિયા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં એક તરફ ગરીબ લોકોને ખાવાના ફાંફા છે. ઈકોનોમીની નૈયા ડૂબી રહી છે અને બીજી તરફ પાકિસ્તાનનો શાસક વર્ગ જલસા કરી રહ્યો છે અને રાજાશાહી ઠાઠથી જીવી રહ્યો છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા ચૂંટણી…