નારોલની મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાંનો આક્ષેપ: પાણીની ટાંકીઓમાં ગંદકી, ભોજનની ગુણવત્તા સામે પણ સવાલ

કોંગ્રેસ નેતા રાજેશ ટી. સોનીએ શાળાઓની મુલાકાત લઈ તાત્કાલિક તપાસ, પાણીની લેબોરેટરી ચકાસણી અને ભોજનની ગુણવત્તા તપાસની માગ કરી અમદાવાદ અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગુજરાતી શાળાઓમાં બાળકોને આપવામાં આવતી મૂળભૂત સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ ટી. સોનીએ નારોલ ગુજરાતી શાળા નંબર 1 અને…

પોરબંદરમાં ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિના સૂર રેલાવ્યા

સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડનું ભવ્ય પ્રદર્શન પોરબંદર દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વભૂમિકામાં પોરબંદરના બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિથી ભરપૂર મનમોહક ધૂનો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીત, દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના અનોખા સંગમ સમાન આ…

વિસનગરની જી.ડી. હોસ્પિટલમાં આધુનિક MRI અને CT Scan સુવિધાનો પ્રારંભ

રૂ. 15 કરોડના CSR સહયોગથી 1.5 ટેસ્લા 70 CM MRI અને 32-Slice CT Scan મશીનનું લોકાર્પણ; ગરીબ અને સામાન્ય દર્દીઓને મળશે મોટો લાભ મહેસાણા વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ (જી.ડી. જનરલ હોસ્પિટલ) ખાતે દર્દીઓ માટે આધુનિક તબીબી સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ…

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ: જળસપાટીમાં સતત વધારો, સંગ્રહ ક્ષમતા 82%ને વટાવી

નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: પાણીની આવક વધતા જળસપાટી ૧૩૩.૪૭ મીટરે પહોંચી અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સારી એવી થઈ રહી છે, જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૨૧ સે.મી.નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જળસપાટી અને સંગ્રહના મુખ્ય આંકડાઓ તારીખ…

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ‘ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ’ અને પુસ્તક વિમોચનનું ભવ્ય આયોજન

ગુજરાતના ‘અનસંગ હીરોઝ’ને વિકાસ અસ્મિતા એવોર્ડ્સથી સન્માનિત કરાયા અમદાવાદ: નોર્થ અમેરિકન ઇન્ડિયન્સ, નૉલેજ પ્લસ ફાઉન્ડેશન અને એલ.જે. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શહેરના અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ” તેમજ પુસ્તક વિમોચન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાનો અને આવનારી પેઢીને પ્રેરિત કરવાનો હતો. ભવ્ય…

નર્મદા જિલ્લાના એકતાનગરના વિસ્તારો ‘NO DRONE ZONE’ જાહેર: સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી જાહેરનામું અમલમાં રહેશે રાજપીપલા, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પ્રખ્યાત એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત અને ચુસ્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા…

ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ગાથા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ ડોક્યુમેન્ટ્રી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી; સિંહણો, માલધારી સમુદાય અને વનકર્મીઓની ભૂમિકા પર વિશેષ પ્રકાશ અમદાવાદ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ઐતિહાસિક યાત્રા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ નામની ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે. ડોક્યુમેન્ટ્રીમાં એશિયાટિક સિંહોના સંરક્ષણની સફળ ગાથા, સ્થાનિક સમુદાયોના…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં કેમલિન દ્વારા કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિના વિકાસ માટે અનોખી પહેલ અમદાવાદ: હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ થાય તે હેતુથી કેમલિન દ્વારા શાળાના કેમ્પસમાં કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ રંગો સાથે સર્જનાત્મક પ્રયોગો કરી પોતાની કલ્પનાઓને કેનવાસ પર સુંદર રીતે રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને…

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સીનિયર ડોક્ટર સસ્પેન્ડ

રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વિશેષ તપાસ કમિટીએ સતત કામગીરી…

ગાંધીનગરમાં તિરંગા રેલીમાં NCCના 595 કેડેટ્સનો દેશભક્તિનો જુસ્સો છવાયો

50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલીને લીલી ઝંડી આપી; યુવા કેડેટ્સે શિસ્ત, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન કર્યું ગાંધીનગર ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય તિરંગા રેલીમાં દેશભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. રેલીમાં NCC ડિરેક્ટોરેટ ગુજરાત (અમદાવાદ ગ્રુપ)ના 595 કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. 50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીને ગુજરાતના…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 133 મીટરને પાર, સ્ટોરેજ 81.40 ટકા

છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો; હાલ 133.03 મીટર, પાણીની આવક 35,809 ક્યુસેક અમદાવાદ ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. આજે, 8 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યે નોંધાયેલા આંકડા મુજબ ડેમની હાલની જળસપાટી 133.03 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘વરસાદની મોજ’ થીમ આધારિત છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓએ રંગબેરંગી છત્રીઓ પર વરસાદી ઋતુનું સૌંદર્ય ઉતારી સર્જનાત્મકતાનો પરિચય આપ્યો અમદાવાદ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાપ્રેમનો વિકાસ થાય તેમજ તેમની કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે “વરસાદની મોજ” થીમ આધારિત છત્રી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અનોખી કલ્પનાઓને રંગો અને સર્જનાત્મક…

છેલ્લા 4 વર્ષમાં 14,925 સિકલ સેલ દર્દીઓને રૂ. 14.57 કરોડથી વધુની તબીબી સહાય: ગુજરાત સરકાર

વહેલા નિદાનથી લઈને નિયમિત સારવાર સુધી સિકલ સેલ સામે સરકારની વ્યાપક કામગીરી, આદિજાતિ વિસ્તારોમાં સ્ક્રીનિંગ અને જનજાગૃતિ અભિયાનને વેગ ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગની “મફત તબીબી સહાય યોજના” હેઠળ છેલ્લા ચાર વર્ષ…

આંબરડીમાં રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, ગ્રામજનોને મળશે આધુનિક સારવારનો લાભ અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને પૂર્ણ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી…

સાવરકુંડલાને મળશે રૂ. 55 કરોડની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિટિકલ કેર સહિત તમામ આધુનિક સુવિધાઓ મળશે

રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે જિલ્લાકક્ષાની હોસ્પિટલના વિકાસકામનું ખાતમુહૂર્ત; ગ્રામ્ય વિસ્તારને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રૂ. 55 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. ક્રિટિકલ કેર સહિતની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ બનનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ હોસ્પિટલ કાર્યરત બન્યા બાદ…

સાવરકુંડલાના જુના સાવર ખાતે રૂ. 1.30 કરોડના ખર્ચે અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ; મેડિકલ ફેસિલિટી, ઈમરજન્સી સારવાર, મમતા ક્લિનિક અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારોને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જુના સાવર મુકામે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા આરોગ્ય કેન્દ્રના કાર્યરત થતાં…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: 24 કલાકમાં 14 સે.મી.નો ઉછાળો, જળસંગ્રહ 81.17 ટકા પહોંચ્યો

35,744 ક્યુસેક પાણીની આવક યથાવત; ડેમની સપાટી 132.96 મીટરે પહોંચી, કેનાલ મારફતે 5,559 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેવડિયા: રાજ્યમાં સારા વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસંગ્રહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 7 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની પાણીની સપાટી 132.96…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: 24 કલાકમાં 26 સે.મી.નો ઉછાળો, જળસંગ્રહ 80.71 ટકા પહોંચ્યો

132.82 મીટર સુધી પહોંચી ડેમની સપાટી, 35,736 ક્યુસેક પાણીની આવક યથાવત; કેનાલ મારફતે 6,614 ક્યુસેક પાણી છોડાયું કેવડિયા: રાજ્યમાં સારા વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની જળસપાટી 132.82 મીટર…

ગુજરાતમાં ડેરી એનાલોગ સામે તંત્રની કડક કાર્યવાહી: એક જ દિવસમાં 134 સ્થળોએ તપાસ, 1,053 કિલો જથ્થો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની રાજ્યવ્યાપી કાર્યવાહી, 28 નમૂનાઓ તપાસ માટે મોકલાયા ગાંધીનગર: ગુજરાતમાં ડેરી ઉત્પાદનોના નામે વેચાતા બિન-પ્રમાણભૂત અને ભેળસેળયુક્ત ડેરી એનાલોગ સામે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાજ્યભરમાં કુલ 134 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થીઓએ વિવિધ સમકાલીન વિષયો પર વિચારો વ્યક્ત કર્યા

ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓએ ‘મારા સ્વપ્નનું ભારત’, ‘એ.આઈ.ના લાભાલાભ’ અને ‘દેશની આઝાદીના ઘડવૈયા’ જેવા વિષયો પર રજૂ કરી પ્રભાવશાળી વક્તૃત્વ કળા અમદાવાદવિદ્યાર્થીઓમાં જ્ઞાન, વિચારશક્તિ, તર્કશક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક અને…