કામરેજમાં શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ: કઠોદરમાં ₹4.85 કરોડના ખર્ચે અત્યાધુનિક સરકારી માધ્યમિક શાળા બનશે

મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ નકશાનું નિરીક્ષણ કર્યું; અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામગીરી માટે માર્ગદર્શન આપ્યું કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણના સ્તરને વધુ ઊંચું લાવવાના મક્કમ નિર્ધાર સાથે, કઠોદર ગામે મંજૂર થયેલી નવી સરકારી માધ્યમિક શાળાના નિર્માણ કાર્યને વેગ આપવા માટે મંત્રીશ્રીએ વિશેષ મુલાકાત લીધી હતી. મજબૂત શૈક્ષણિક…

કૌટુંબિક વિખવાદનો કરૂણ અંજામ, કપડવંજ નજીક કેનાલમાં પરિવારના ચાર સભ્યો ડૂબ્યા, ત્રણનાં મોત

બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં કૂદનારી મહિલાનો પતિ તેમને બચાવવા કૂદી પડ્યો, ડૂબેલા પતિની શોધખોળ જારી એસવીએન,કપડવંજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યો ડૂબ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કૌટુંબિક વિખવાદને કારણે એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, તેમને બચાવવા કૂદેલો પતિ…

ગુજરાતમાં HPV રસીકરણ અભિયાન થકી ૫ લાખથી વધુ દીકરીઓને મળ્યું સુરક્ષા કવચ

રસીકરણ અભિયાનનો લાભ લેવાનો બાકી હોય તેવી ૧૪ વર્ષની તમામ દીકરીઓને સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત રસીનો લાભ લેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો અનુરોધ ગાંધીનગર મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રાજ્યની દીકરીઓને સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાતમાં ‘HPV રસીકરણ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની પાંચ…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં શેલ્બી હૉસ્પિટલના સહયોગથી કેન્સર અવરનેસ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં શેલ્બી હૉસ્પિટલના કેન્સર સર્જન ડૉ.માનસી શાહ દ્વારા કેન્સર અવરનેસ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેન્સરના લક્ષણો, કેન્સરના પ્રકારઅને તેના નિવારણ વિષે માહિતી આપી હતી.

IITE ખાતે GCAS “વિધાર્થી જાગૃતતા અભિયાન” પ્રથમ સત્રનું  આયોજન

ગાંધીનગર ધોરણ ૧૨ના પરિણામ પછી મોટા ભાગના વિદ્યાર્થી અને તેમના વાલીને આના પછી એડમીશન ક્યાં લેવું, કઈ કોલેજ પસંદ કરવી, ફીસ કેટલી હશે, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. આવા બધા પ્રશ્નોના જવાબ માટે આ વર્ષે GCAS દ્વારા “વિદ્યાર્થી જાગૃતતા અભિયાન”ની પહેલ કરવામાં આવી છે. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને જીકાસના સહયોગથી “વિધાર્થી જાગૃતતા અભિયાન”નું…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટની ભૂલ નહીં, ટેકનિકલ ખામી જવાબદાર હોવાનો એફઆઈપીનો ખુલાસો

12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથેની કરૂણ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા   એસવીએન,અમદાવાદ કોઈપણ વિમાન દુર્ઘટના થાય ત્યારે સૌથી પહેલી આંગળી પાઇલટ પર ચીંધવામાં આવતી હોય છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથે કરૂણ દુર્ઘટના ઘટી, જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા,…

જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો નહીં, ડૉ. ગણેશ જેવા લડવૈયા બનો: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયાનું ગાંધીનગર ખાતે સન્માન કરતાં આરોગ્ય મંત્રી પાનશેરીયા ગાંધીનગર શારીરિક અક્ષમતાને મજબૂત મનોબળથી પરાસ્ત કરનાર ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયાનું આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ભાવસભાર સન્માન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ યુવાપેઢીને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું હતું કે, જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો…

6 મેએ સવારે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ, રિઝલ્ટ ચેક કરવા વ્હોટ્સએપ નંબર જાહેર કરાયો

અમદાવદ ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-10 (SSC)નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મેના રોજ GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.   ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની…

શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન આરોગ્ય સમિતિ’ના ગઠન અને રોગી કલ્યાણ…

કામરેજમાં હિન્દુ મહિલાઓને ફસાવવાનું મોટું રેકેટ? આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી

સુરત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ પરિણીત મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનું મોટું રેકેટ ચાલતું હોવાના આક્ષેપો સાથે કામરેજ પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. આ ગંભીર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી….

ધો. 12 સામાન્ય પ્રવાહમાં ઉમેદવાર વધ્યા, પરિણામ ઘટ્યું

અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71%  પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે.  ધો. 12…

ધો. 12નું વિજ્ઞાન પ્રવાહનું 84.33 અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ, 95.41%  સાથે છોકરીઓએ મેદાન માર્યું

અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. જેમાં ઘણી શાળાઓએ સારો દેખાવ કર્યો છે. બોર્ડની આ પરીક્ષામાં રાજ્યના…

એપ્રિલમાં ૪,૧૯૩થી વધુ એકમોની તપાસ; રૂ. ૧.૮૩ લાખનાં ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો નાશ કરાયો

ગાંધીનગર રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી, રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવની સમીક્ષા કરી હતી અને આ સ્પેશિયલ ડ્રાઇવને હજુ વધુ તીવ્ર બનાવવાના આદેશ આપ્યા હતા. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું…

અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે રૂ. ૧.૨૧ કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત

નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં: નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી, તંત્ર દ્વારા અમદાવાદ સહિત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દવાના નમૂનાઓનું સતત પરીક્ષણ કરી ભેળસેળ-વેચાણ કરતાં…

સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે ‘હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન’ હેલ્થ વિષય પર સેમિનાર યોજાયો

ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા “રિસર્ચ એન્ડ પ્રોટેન્શિયલ ઓફ  હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગુજરાતના જાણીતા હોમિયોપેથિક ચિકિત્સક અને ક્લિનિશિયન-ઉદ્યોગસાહસિક ડૉ. શિવંગ સ્વામિનારાયણ દ્વારા મહત્વના વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સત્રમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ, હોમિયોપેથી, કૃષિ, મેનેજમેન્ટ અને આયુષ સ્ટ્રિમ સહિતના ફેકલ્ટીઓએ સક્રિય ભાગ…

ખાડિયાએ કોંગ્રેસની લાજ બચાવી, પહેલી વાર ભાજપની આખી પેનલ હારી ગઈ

કોંગ્રેસના મીના નાયક, બિરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણનો વિજય અમદાવાદ અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો વર્ષો જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લિન સ્વિપ કર્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ઘણાં વર્ષો પછી ખાડિયામાં પહેલીવાર ભાજપની આખી પેનલ હારી ગઈ છે.  …

વિસાવદર તાલુકા પંચાયતમાં આપનું ઝાડું ફરી વળ્યું, 18માંથી 11 બેઠકો પર વિજય

અમદાવાદ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયતના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા વિસાવદરમાં ફરી એકવાર ઝાડુ ફરી વળ્યું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ 11 બેઠકો જીતી છે. સત્તાધારી ભાજપને માત્ર છ બેઠક, કોંગ્રેસાં સુપડાં…

સુરતમાં ભાજપનો 120માંથી 115 બેઠક પર વિજય

2021માં 27 બેઠક જીતનાર આપને માત્ર ચાર બેઠકો મળી, કોંગ્રેસનો 1 બેઠક પર વિજય અમદાવાદ ગુજરાતના રાજકારણમાં શહેરી વિસ્તારો હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યા છે, અને આ વખતે સુરત મહાનગરપાલિકાના પરિણામોએ સાબિત કરી દીધું છે કે આ ગઢ વધુ અભેદ્ય બન્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી સુરત પર શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને સુરતીઓએ આગામી…

ગોધરામાં હવે ભાજપનું એકચક્રી શાસન, 44માંથી 27 બેઠકો પર વિજય, 17 બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય

અમદાવાદ ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં નવો ઈતિહાસ રચી દીધો છે. પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂર્ણ સત્તા હાંસલ કરી છે. અત્યાર સુધીના સમીકરણોમાં અનેક ઉતાર-ચઢાવ જોયા બાદ, આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે. ગોધરાની 44માંથી 27 બેઠકો પર ભાજપનો કબજો ચૂંટણીના આંકડાકીય…

સુરતમાં ભાજપનું એકહથ્થું શાસન, 1995 પછી પહેલી વખત સત્તાવાર વિપક્ષ આઉટ

આપના 4 અને કોંગ્રેસની એક બેઠક મળી હોઈ વિપક્ષ માટેની સાત બેઠકનો આંકડો પણ પાર ન થઈ શક્યો અમદાવાદ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રૅકોર્ડ તોડી નાખ્યા છે. સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. આ વખતે સુરતીઓએ પહેલા કમળ અને પછી ખમણના સૂત્રને સાર્થક કર્યું છે. ભાજપનો…