હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલો દ્વારા ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં વડીલો દ્વારા ગણપતિભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

હિરામણી સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી

હિરામણી સ્કૂલમાં ધોરણ એક થી સાત પ્રાથમિક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

હીરામણિ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. જેમકે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને…

હીરામણિ નર્સરી – જુનિકે.જી.– સિનિ.કે.જી.માં ભૂલકાંઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી

હીરામણિના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ચિત્રસ્પર્ધા તેમજરથના વિવિધ મોડેલ બનાવી રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન જગન્નાથના વિવિધ રથો બનાવ્યા હતા.

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા આયોજિત ગીતા સ્પર્ધામાં 3000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

અમદાવાદ આધ્યાત્મિક શિક્ષણ અને જ્ઞાનની ઉજવણીમાં, ભાડજ, અમદાવાદ ખાતે હરે કૃષ્ણ મંદિરે એક ભવ્ય ગીતા સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં 3000 થી વધુ ઉત્સાહી વ્યક્તિઓએ ભાગ લીધો. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આયોજિત આ સ્પર્ધાનો હેતુ ભગવદ-ગીતાના ગહન ઉપદેશોનો પ્રચાર કરવાનો હતો, જે તેના આધ્યાત્મિક ઊંડાણ અને વ્યવહારિક શાણપણ માટે આદરણીય કાલાતીત ગ્રંથ છે. આ…

બધા જૈન નહીં, સારા મેન બને એવા મારા પ્રયાસઃ આચાર્ય પુલકસાગરજી મહારાજ

ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય પુલકસાગરજી મહારાજનો અમદાવાદમાં બેથી નવ જૂન દરમિયાન જ્ઞાન ગંગા મહોત્સવ અમદાવાદ દેશ કો ખતરા બેઈમાનોં સે હૈ…, દેશ કી રાજનીતિ ધર્મ ચૂકતી હૈ, તબ મહાભારત હોતા હૈ…, મેરા દેશ સુન રહા હૈ તબ તક ભવિષ્ય સુનહરા હૈ…સબ કો જૈન નહીં, અચ્છે મેન બનાને કે મેરે પ્રયાસ…આ શબ્દો છે ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ…

ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ દ્રારા હરે કૃષ્ણ મુવમેન્ટને પૌષ્ટિક ભોજન વિતરણ માટે 3 વાહનોનું દાન

અમદાવાદ એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગમાં અગ્રણી નામના ધરાવનાર, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ, દ્રારા સામાજિક ઉત્થાન માટે તેમના સમર્પણના ભાગરૂપે હરે કૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદને મદદગાર થયા. એકતા અને સમર્થનનારૂપમાં, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ દ્રારા  વંચિત દર્દીઓને પૌષ્ટિક ભોજન આપવાના સંસ્થાના ઉમદા પ્રયાસમાં મદદ કરવા ત્રણ વાહનોનું દાન કર્યું છે. સલામત અને કાર્યક્ષમ વાહનવ્યવહાર માટે સજ્જ આ વાહનો,હરે કૃષ્ણ…

ભારતીય સમાજમાં સમાનતા તરફના પરિવર્તનને ચિહ્નિત કરવા માટેની ઐતિહાસિક ઘટના – “પટ્ટાભિષેકમ”

રાજેશ શુક્લા, રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર અને સ્વામી નારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પુરષોત્તમ શાસ્ત્રીજી મહારાજ ભારતીય સમાજમાં સમાનતા તરફ ઐતિહાસિક પહેલ કરે છે અમદાવાદ ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, સમતા મૂલક સમાજ કી સ્થાન પ્રોજેક્ટ વર્ષો જૂની પરંપરાઓમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, જે વધુ સમાવિષ્ટ અને સશક્ત ભવિષ્ય…

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહામહોત્સવ

૩૫ મુમુક્ષુઓએ સંસારી વેશ ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગિકાર કર્યો અમદાવાદ અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ ૩૫ જૈન દીક્ષાનો મહોત્સવ દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં…

૩૫ મુમુક્ષુઓ દ્વારા ૬૮ લાખ રૂપિયાનું વર્ષીદાન, ઉપકરણોની ઉછામણી ૫,૨૯,૮૭,૦૦૩ રૂપિયા થઈ

અમદાવાદ ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવમાં રવિવારે અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં હાથી, ઘોડા, ઊંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતાં પહેલાં છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું. સવારે ૬.૩૦ કલાકે મુમુક્ષુ ભાવેશભાઈ ભંડારી અને તેમનાં ધર્મપત્ની જિનલબહેનના નિવાસસ્થાન ઋજુવાલિકા, શાંતિનગરથી શરૂ થયેલી શોભાયાત્રા ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પાલડી ચાર રસ્તા થઈને સાત કિલોમીટરની યાત્રા કરીને રિવરફ્ર્ન્ટ પર તૈયાર કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી હતી. આ વર્ષીદાનના વરઘોડામાં આશરે ૪૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપરાંત આશરે દસ હજાર ભાવિકો જોડાયા હતા, જ્યારે રાજનગર અમદાવાદના આશરે પાંચ લાખ લોકોએ વિવિધ સ્થળેથી વરઘોડાના દર્શન કર્યા હતા. વર્ષીદાનની યાત્રા અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી તે પછી સોમવારે સવારે ૬ વાગ્યે યોજાનારા દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુઓ સાધુ બન્યા પછી જે ૧૮ વસ્ત્રો, પાત્રો, ઉપકરણો વગેરેનો ઉપયોગ કરવાના છે, તેની ઉછામણી બોલાવવાની શરૂઆત થઈ હતી. આ ૧૮ ઉપકરણો પૈકી સાધુજીવનનાં પ્રતિક સમાન ઓઘાની અને મુહપત્તિની ઉછામણી બોલાવવામાં આવતી નથી; પણ તે લાભ મુમુક્ષુના પરિવારને આપવામાં આવે છે. ઓઘા અને મુહપત્તિ સિવાય કામળી, કાપડો, સાડો અથવા ચોલપટ્ટો, પાત્રા, તરપણી, ચેતનો, પુસ્તકની પોથી, નવકારવાળી, દાંડો, દંડાસન, સુપડી, પૂંજણી, ચરવળી, આસન, સંથારો અને ઉત્તરપટ્ટો મળીને કુલ ૧૬ ઉપકરણોની ઉછામણી બોલવામાં આવી હતી. આ ઉપકરણોને કુલ પાંચ જૂથોમાં વહેંચીને તેની ઉછામણી બોલવામાં આવી હતી. આ રીતે કુલ ૩૫ મુમુક્ષુઓ માટે ૧૭૫ ઉછામણી બોલવામાં આવી હતી. તેમાં સૌથી વધુ ઉછામણી રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે ૬૯,૯૧, ૨૨૨ રૂ.ની બોલવામાં આવી હતી. ૩૫ મુમુક્ષુઓ પૈકી જે ટોપ ટેન ઉછામણી બોલાઈ તે નીચે મુજબ હતી : (૧) રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારા : રૂ. ૬૯,૯૧,૨૨૨ (૨) માન્ય વિજયભાઈ શાહ  : રૂ. ૬૫,૦૯,૩૩૭ (૩) વિદિતકુમાર સુમેરમલજી મહેતા : રૂ. ૫૫,૭૫,૨૨૨ (૪) ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી : રૂ. ૪૨,૪૨,૫૫૫ (૫) દેવેશ નંદિષેણભાઈ રાતડિયા રૂ. ૩૪,૮૭,૦૯૬ (૬) હિનલ સંજયભાઈ જૈન : રૂ. ૨૯,૭૯,૦૦૦ (૭) ભવ્ય મહેન્દ્રકુમાર સિસોદિયા : રૂ. ૨૪,૯૬,૦૦૦ (૮) જૈની ગૌતમકુમાર કોઠારી : રૂ. ૨૧,૯૪,૦૦૦ (૯) જિનલબહેન ભાવેશભાઈ ભંડારી : રૂ. ૨૦,૯૫,૦૦૦ (૧૦) હિતજ્ઞકુમાર શ્રેયાંસભાઈ સંઘવી : રૂ. ૧૫,૧૯,૯૦૬

રિવર ફ્રન્ટ ઉપર બનેલી અધ્યાત્મ નગરીમાં 35 જૈન દીક્ષાના ઐતિહાસિક મહોત્સવ માટે 400થી વધુ સાધુ-સાધ્વીજીનો ભવ્ય પ્રવેશ

અમદાવાદ અમદાવાદ શહેરના સદીઓના ઇતિહાસમાં પહેલી વખત યોજાઈ રહેલા 35 દીક્ષાના મહોત્સવ માટે પધારેલા 15 આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ઉપરાંત 35 મુમુક્ષુઓ અને તેમના પરિવારજનો આજે ભવ્ય સામૈયા સાથે રિવર ફ્રન્ટ ઉપર બનેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં પ્રવેશ્યા હતા. તેમની શોભાયાત્રા સુવિધા ચાર રસ્તાથી શરૂ થઈને પ્રીતમ નગર અખાડા થઈને સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચી ત્યારે 12 ગજરાજ ઉપર બિરાજેલા મુમુક્ષુઓ પણ અધ્યાત્મ…

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી રામનવમી મહોત્સવ

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા. 17 એપ્રિલ, 2024 બુધવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદગીરીરૂપે “શ્રી રામનવમી મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી જેનો આશરે 10,000 કરતા પણ વધુ ભકતોએ લાભ લીધો હતો. શ્રધ્ધાળુ ભક્તોએ આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રીરામના પવિત્ર નામનું…

ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં રામનવમી ઉત્સવ યોજાશે

મંદિરમાં મહાસંકિર્તન તથા પાલકી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે અમદાવાદ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 17 એપ્રિલે સાંજના 6.00 વાગ્યાથી રામનવમી ઉત્સવની શરૂઆત થશે. શ્રીરામનવમી ઉત્સવએ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. આ ઉત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અંલકારથી શણગારવામાં આવશે. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર…

અયોધ્યાની જેમ મથુરામાં પણ ઠાકુરજી આરામથી બિરાજશે

આ દેશ રઘુવરનો છે બાબરના પરિવારનો નથી, વ્રજના સાધુ-સંતો ભેગા મળીને ઠાકુરજીને બિરાજમાન કરશેઃ શાસ્ત્રી મથુરા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એક નિવેદન આપ્યુ છે. તેમણે મથુરામાં કહ્યું કે જે રીતે ભગવાન રામલલા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા અને એક પાંદડું પણ ન હલ્યું તેવી જ રીતે ઠાકુરજી પણ મથુરામાં આરામથી બિરાજશે. તેમણે…

ભારતમાં આજથી રમઝાન મહિનાની શરૂઆત થઈ શકે છે

મજમાહ યુનિવર્સિટી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીએ રમઝાનનો ચાંદ દેખાયાની પુષ્ટી પણ કરી દોહા સાઉદી અરબમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ ગયો છે. ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે હવે એ પણ નક્કી થઇ ગયું છે કે ભારતમાં આવતીકાલથી રમઝાન મહિનાની શરૂઆત થઇ શકે છે અને આજ રાતથી પહેલી તરાવીહની શરૂઆત પણ થઈ શકે…

અબુધાબીના હિંદુ મંદિર માટે ડ્રેસ કોડ, ફોટોગ્રફી અને વીડિયોગ્રાફીના નિયમ જાહેર કરાયા

દિશા-નિર્દેશો અનુસાર ટી-શર્ટ, ટોપી અને ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેરીને આવનાર લોકોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં અબુ ધાબી સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના અબુ ધાબીના પહેલા હિંદુ મંદિરને શુક્રવારે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પથ્થરથી નિર્મિત અબુ ધાબીના આ પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યુ હતુ. મંદિર તંત્રએ પોતાની વેબસાઈટ…

વડાપ્રધાન મોદીએ કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન કર્યું

શ્રી કલ્કી ધામ મંદિર પરિસર 5 એકરમાં ફેલાયેલું હશે, તેનું નિર્માણ કાર્યક્રમ 5 વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું લખનૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેમની સાથે આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન કર્યું…

શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં પૂજારી સેવા માર્ગદર્શિકા માર્ગ મોકળો, 50 પૂજારી હશે

મંદિર ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ કે ધોરણ 6થી 12 સુધીના તમામ બાળકોને મફત પુસ્તક-ડ્રેસ આપવામાં આવશે વારાણસીશ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં ચાર દાયકા બાદ પૂજારી સેવા માર્ગદર્શિકા લાગુ થવાનો માર્ગ વિસ્તૃત થઈ ગયો છે. મંદિરના ટ્રસ્ટની ગુરુવારે આયોજિત 105મી બેઠકમાં આની પર ચર્ચા કરવામાં આવી. સમસ્ત મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યા બાદ પરિષદે સર્વસંમતિથી સંમતિ વ્યક્ત કરી…