અનમોલે એનડીએ અને એનએ 2 પરીક્ષા 2023માં ટોપ કર્યું

699 ઉમેદવારોએ આર્મી, એરફોર્સ અને એનડીએના 152મા કોર્સ અને આઈએનએના 114મા કોર્સ માટે ક્વોલિફાય કર્યું નવી દિલ્હી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી પરીક્ષા, 2023નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ ડાઉનલોડ કરી શકાય છે. યુપીએસસી દ્વારા શેર કરવામાં આવેલી યાદી…

વિશ્વના અબજોપતિની યાદીમાં 200 ભારતીયોના નામ સામેલ

આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના 675 બિલિયન ડોલર કરતાં 41 ટકા વધુ છે નવી દિલ્હી  ફોર્બ્સની 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ ડોલર954 બિલિયન છે, જે ગયા વર્ષના ડોલર675 બિલિયન કરતાં 41…

ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી

રૂપાલની ટિકિટ રદ્દ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ,રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી ગાંધીનગર રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. જોકે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક…

બોક્સર વિજેન્દ્ર કુમાર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયો

 વિજેન્દ્ર સિંહ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે ભાજપમાં જોડાયો હોવાનો ભાજપના નેતાનો દાવો નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ વિજેન્દ્ર કુમારે આજે કોંગ્રેસને હાથ તાળી આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ હેડક્વાર્ટર ભાજપના મહાસચિવ વિનોદ તાવડેની ઉપસ્થિતિમાં વિજેન્દ્રને ખેસ પહેરાવાયો છે. કોંગ્રેસે ત્રીજી માર્ચે મથુરા બેઠક પરથી વિજેન્દ્રને ટિકિટ આપી હતી. જોકે હવે તે…

પર્પલ કેપ હોલ્ડર મુસ્તફિઝુર સ્વદેશ ગયો, એક મેચ નહીં રમે

ચેન્નાઈ સુપર કિંગ્સનો મુસ્તફિઝુર રહેમાન વિઝા સંબંધિત સમસ્યાને કારણે બાંગ્લાદેશ પરત ફર્યો ચેન્નાઈ આઈપીએલ 2024માં તેની ચોથી મેચ પહેલા એમ.એસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સને આંચકો લાગ્યો છે. આઈપીએલ 2024 પર્પલ કેપ હોલ્ડર અને સીએસકે ટીમનો મુખ્ય બોલર મુસ્તફિઝુર રહેમાન આગામી મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. આટલું જ નહીં તે આઈપીએલ 2024ની બાકીની આખી સિઝનમાંથી…

વિશ્વના સૌથી વૃદ્ધ જુઆનનું 114 વર્ષની વયે નિધન

ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુકે સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા તે સમયે તેમની ઉંમર 112 વર્ષ 253 દિવસ હતી કારાકાસ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ વ્યક્તિનું નામ જુઆન વિસેન્ટ પેરેઝ મોરા હતું અને તેમની ઉંમર 114 વર્ષ હતી. જુઆન વિસેન્ટ પેરેઝ મોરા વેનેઝુએલાના રહેવાસી હતા. ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુક…

ઈશાનને મુંબઈએ સજા તરીકે સુપરમેનનો પોશાક પહેરાવ્યો

સુપરમેનનો પોશાક આનંદ માટે નહીં પરંતુ સજા તરીકે પહેર્યો છે, જેનો ખુલાસો ઈન્સ્ટા- ટ્વિટર હેન્ડલ પર કરાયો મુંબઈ મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ઈન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિકેટકીપર બેટર ઈશાન કિશન ‘સુપરમેન’નો પોશાક પહેરીને મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. ઈશાનને સુપરમેનના પોશાકમાં જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ…

“તેમની માનસિકતા તેને અન્ય યુવા ઝડપી બોલરોથી અલગ પાડે છે” ભૂતપૂર્વ કોચ વિજય દહિયા જણાવે છે કે તેણે LSG સ્પીડસ્ટર મયંક યાદવને નેટમાં કેવી રીતે જોયો

વિજય દહિયા, ભૂતપૂર્વ ભારતીય વિકેટ કીપર અને લખનૌ સુપરજાયન્ટ્સના સહાયક કોચ, જેમણે LSG ફાસ્ટ બોલર મયંક યાદવને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, ફેનકોડના ‘ધ સુપર ઓવર’ના એપિસોડ દરમિયાન વાર્તા જાહેર કરી હતી. દહિયાએ કહ્યું, “મયંકને ફર્સ્ટ-ક્લાસ બોલર તરીકે વધુ અનુભવ નથી. જો કે આ વર્ષની દેવધર ટ્રોફીમાં, તેણે દરેકને તે શું સક્ષમ છે તેના પર…

સ્લોવેનિયામાં માનવ-માનુષ ફાઇનલમાં નિષ્ફળ રહ્યા

ગાંધીધામ WTT ફીડર ઓકટોસેસ 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતના માનવ ઠક્કર અને માનુષ શાહની સ્ટાર ડબલ્સ જોડી ફાઇનલનો અવરોધ પસાર કરવામાં નિષ્ફળ રહી હતી કેમ કે સ્લોવેનિયાના સ્પોર્ટ્સ સેન્ટર ઓક્ટોસેસ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં કોરિયાના કિમ મિનહાયેઓક અને પાર્ક ગાંઘાયરોનની જોડી સામે મેન્સ ડબલ્સની ફાઇનલમાં તેમનો પરાજય થયો હતો. ગુજરાતના માનવ અને માનુષે પ્રારંભિક ગેમ…

વર્ષોમાં સૌથી નજીકની પિચિચી રેસ: બેલિંગહામ, ડોવબીક અને બુદિમીર 16 ગોલ પર સમાન છે

2001/02 થી લલિગા EA સ્પોર્ટ્સ સીઝનમાં આ અંતમાં સ્કોરિંગ ચાર્ટમાં ટોચ પર ત્રિ-માર્ગીય ટાઇ નથી. 2023/24 LALIGA EA સ્પોર્ટ્સ સીઝનના માત્ર આઠ રાઉન્ડ બાકી છે, સ્પર્ધાના ટોચના ગોલસ્કોરરનો તાજ મેળવવાની રેસ ખુલ્લી છે. આ સિઝનની પિચિચી ટ્રોફી માટે સ્ટેન્ડિંગની ટોચ પર હવે ત્રિ-માર્ગીય ટાઇ છે, જે ટોચના સ્કોરરને આપવામાં આવે છે, કારણ કે રીઅલ મેડ્રિડના…

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ફાઈટર પ્લેન લેન્ડિંગ-ટેકઓફ કરશે

2 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી હાઈવે પર ટ્રાફિક બંધ, 10 દિવસો માટે ટ્રાફિક માટે ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું લખનઉ ભારતીય વાયુસેના (આઈએએફ) એ ગઈ કાલે સોમવારથી 10 દિવસીય ‘ગગન શક્તિ-2024′  સૈન્ય કવાયત શરૂ કરી છે. આ ડ્રિલ હેઠળ દેશના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોજવામાં આવશે, આ વાયુ સેનાની સૌથી મોટી ડ્રિલ છે. એવામાં આજથી…

વિની જુનિયર, લેમિન યામલ, માર્સેલિનો, પાઉ ક્યુબાર્સી, મિકેલ ઓયર્ઝાબાલ અને મિકેલ મેરિનો માર્ચ લાલિગા એવોર્ડ્સમાં આગળ છે

LALIGA દર મહિને શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ રમત, શ્રેષ્ઠ ગોલ અને શ્રેષ્ઠ U-23 ખેલાડીને પુરસ્કાર આપે છે. LALIGA, ગ્લોબ સોકર સાથેના કરારના ભાગરૂપે, દર મહિને “લાલીગા એવોર્ડ્સ, ધ પ્રાઇડ ઓફ અવર ફૂટબોલ” પાંચ શ્રેણીઓમાં ટોચના પર્ફોર્મર્સને ઓળખે છે: શ્રેષ્ઠ ગોલ, શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ રમત અને શ્રેષ્ઠ U23 ખેલાડી. આ પુરસ્કારો પસંદ કરવા…

NMACC એનિવર્સરી શો પ્રસંગે નીતા અંબાણીનું વક્તવ્ય

દિવસ 1 | 30મી માર્ચ | અમિત ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ફોક જર્ની ઓફ ઈન્ડિયા નમસ્કાર. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. NMACCના અમારા પ્રિય મિત્રો, કદરદાનો અને શુભેચ્છકો – આપ સહુનું અહીં ઉષ્માપૂર્ણ અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું! એક વર્ષ પસાર થઈ ગયું અને આ ખરેખર એક અદ્ભુત વર્ષ રહ્યું! અમે NMACCનું ઉદ્દઘાટન કર્યું તે જાણે હજી ગઇકાલની જ વાત હોય…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એ ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાની ઉજવણીનું એક વર્ષ પૂર્ણ કર્યું

અદ્દભૂત સીમાચિહ્નો પોતાના નામે કરવા સાથે કલ્ચરલ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિના જગતમાં મુખ્ય પરિવર્તનકારી તરીકે ઊભરી આવ્યું છે મુંબઈ માર્ચ 31, 2023ના રોજ પ્રારંભ થયેલું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઘણી પ્રથમ ઘટનાઓ સાથે અદ્દભૂત વર્ષ પૂર્ણ કરે છે. સીમાચિહ્નરૂપ ક્ષણોથી ભરપૂર તેની પ્રેરણાદાયી યાત્રામાં, અનોખા મલ્ટિડિસિપ્લિનરી આર્ટ એન્ડ કલ્ચર ડેસ્ટિનેશને 10 લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, 5 વિશ્વ-કક્ષાના…

ISL 2023-24: મોહન બાગાન સુપર જાયન્ટની ટક્કર પહેલા ચેન્નાઈના મુખ્ય કોચ કોયલને લાગે છે કે અમારી પાસે હજુ પણ ટોપ-6ની વાસ્તવિક તક છે

કોલકાતા ચાલી રહેલી ઇન્ડિયન સુપર લીગ (ISL) 2023-24 તેના અંતિમ તબક્કામાં છે અને પ્લેઓફ માટેની દોડ તીવ્ર બની છે, સાત ટીમો હજુ પણ બાકીના બે સ્થાનો માટે સંઘર્ષમાં છે. ચેન્નાઇયિન એફસી તેમાંથી એક છે અને મુખ્ય કોચ ઓવેન કોયલ માને છે કે તેની ટીમ નોકઆઉટ તબક્કા માટે ક્વોલિફાય કરી શકે છે. 18 પોઈન્ટ સાથે ટેબલમાં…

બે પૂર્વ વડાપ્રધાન સહિત ચાર વિભૂતિયોને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન

રાષ્ટ્રપતિ આજે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ્થાને ભારત રત્ન એનાયત કરશે નવી દિલ્હી ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ…

ભાજપમાંથી કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતનું રાજીનામું

રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવતા શેખાવત અમદાવાદ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. એક તરફ ટિકિટને લઈને પક્ષોમાં ખેંચતાણ થઈ રહી છે તો બીજી તરફ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓની નારાજગી પણ સામે આવી રહી છે. ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે…

વૈંકટેશ અય્યરે IPL સિઝનની સૌથી લાંબી સિક્સર ફટકારી

કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા, તેણે 30 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી બેંગલુરૂ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં કેકેઆરએ આરસીબીને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી આરસીબીની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતા નાઈટ…

દિલ્હીના પરિવહન મંત્રીને પણ લીકર પોલીસી કાંડમાં સમન્સ

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. આજે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને કૌભાંડ સંબંધિત…

સાઉથના અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષે નિધન થયું

ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીત્યા હતા, હાર્ટએટકથી મોત થયું ચેન્નાઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થઈ ગયુ છે. તેણે 48 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. એક્ટરના મોતનું કારણ હાર્ટએટેક જણાવાઈ રહ્યુ છે. ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ…