શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન આરોગ્ય સમિતિ’ના ગઠન અને રોગી કલ્યાણ…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત

​સુરતરાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગગુરુ પ્રદીપ જોટંગીયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ​મુખ્ય…

સેવા, સમર્પણ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ, પ્રફુલ પાનશેરીયાએ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

ગાંધીનગર આજરોજ સ્વર્ણિમ સંકુલ–2, ગાંધીનગર સ્થિત “જનસેવાલય” ખાતે આરોગ્યલાભ પછી પુનઃ સ્ફૂર્તિ સાથે ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તેમજ પ્રોટોકોલ (રાજ્યકક્ષા) વિભાગના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કાર્યભાર સંભાળ્યો. પ્રભુની કૃપા, વડીલોના આશીર્વાદ અને શુભચિંતકોની શુભેચ્છા નવી ઊર્જા આપે છે. હવે વધુ સમર્પણ અને જનકલ્યાણના સંકલ્પ સાથે ગુજરાતની સેવા માટે નવોત્સાહ સાથે…

SIR અભિયાનમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કામરેજ વિધાનસભાની ઉત્તમ કામગીરી

SIR ની આ શુદ્ધિકરણ મતદારની કામગીરીમાં સહયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીએ :- પ્રફુલ પાનશેરીયા અમદાવાદચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત કામરેજ વિધાનસભામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે ટીમ કામરેજના હોદ્દેદારો, કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા અત્યંત…

રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો

ગાંધીનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો. આ પવિત્ર પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ “સર્વજન સુખાય અને સર્વજન હિતાય” એવા શુભ સંકલ્પ સાથે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ તકે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…