CELL STAR દ્વારા સ્પેશિયલ સ્ટેમ સેલ ટ્રિટમેન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને knee રિપ્લેસ વિના દર્દીની સારવાર

સ્ટેમ સેલ ટ્રિટમેન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને knee રિપ્લેસ કરાવવું પડે એવી સ્થિતિમાં આવેલા દર્દીઓ પણ સ્વસ્થ થયા, ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિએ પહોંચેલા દર્દીઓને પણ રાહત થઈ અમદાવાદ ગુજરાત સ્થિત સેલ સ્ટાર ( સેલેસ્ટ સ્ટીમસેલ થેરાપી એન્ડ રિસર્ચ ), સેન્ટરે સ્ટેમ સેલ એન્ડ રિજનરેટિવ મેડિસિન્સના ફિલ્ડમાં ક્રાંતિકારી અને નેક્સ્ટ જનરેશન વેલનેસ તથા રિજુવેનેશન થેરાપીથી લીવર, ઢીંચણ, ડાયાબિટિસ અને…

વડાપ્રધાનના જન્મદિને હીરામણી આરોગ્યધામમાં બ્લ્ડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તી યોજાઈ

અમદાવાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે નરહરિ અમીન (સંસદસભ્ય રાજ્યસભા, ગુજરાત) અને પ્રમુખ જનસહાયક ટ્રસ્ટ અને ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન, બેઝીક હેલ્થ પ્રોફાઈલ, આંખોની તપાસ કરી ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી નિમિત્તે હિન્દી કવિતા પઠનનું આયોજન

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી (અંગ્રેજી માધ્યમ) દ્વારા હિન્દી દિવસના ઉપક્રમે હિન્દી કવિતા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ, હિન્દી ભાષામાં વિવિધ વિષયો ઉપર કાવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના આ ઉમંગ અને ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ…

17 સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મદિને મોટેરાના સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ તેના 62મા સ્થાપના દિને રક્તદાન અમૃતમહોત્સવ 2.0 યોજશે અમદાવાદ 17 સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મદિને મોટેરાના સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ તેના 62મા સ્થાપના દિને રક્તદાન અમૃતમહોત્સવ 2.0 યોજશે. બ્લડ એકત્રિત કરવાની આ ઝૂંબેશમાં ફરી એક વખત રેકોર્ડ સર્જાવાની શક્યતા છે. અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેગા ડ્રાઈવમાં 50થી…

નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્યધામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તી યોજાશે

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પ્રસંગે હીરામણિ આરોગ્યધામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તી યોજાશે. નરહરિ અમીન (પ્રમુખ – જનસહાયક ટ્રસ્ટ અને સાંસદ રાજ્યસભા) તથા રાજકુમાર ગુપ્તા (પ્રમુખ – ગુજરાત લોકસેવા ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે તા.17-09-2025, બુધવાર ના રોજ સવારે 9.00 થી સાંજે 5.00 વાગ્યા દરમ્યાન નીચે મુજબની સેવાકીય પ્રવૃત્તીઓ યોજાશે. સદરહુ કાર્યક્રમ અંતર્ગત CBC, S.Creatine, Random Blood…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે સોફ્ટબોર્ડ સ્પર્ધા યોજાઈ

અમદાવાદ 14 મી સપ્ટેમ્બર હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સોફ્ટ બોર્ડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધો.8 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં હિન્દી રાષ્ટ્રભાષા પ્રત્યે રસ-રુચિ કેળવાય તે હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

અમદાવાદ 14 મી સપ્ટેમ્બર હિન્દી સપ્તાહની ઉજવણીના ભાગરુપે હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં હિન્દી કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધો.8 થી 12ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં હિન્દી રાષ્ટ્રભાષા પ્રત્યે રસ-રુચિ કેળવાય તે હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યા ભારતી મિશ્રા…

હીરામણિ સાંધ્યજીવન કુટિર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ તા.08-09-2025 ના રોજના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે, અમદાવાદ મેડિકલ સાયંસીસ દ્વારા એજીંગ પ્રોસેસ સંદર્ભ હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલોને વૃદ્ધની ઉંમર સાથે રોજ બરોજની કસરતો કરવા વિષે ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી હતી.

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ દ્વારાશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. કે.જી. વિભાગના ભૂલકાંઓ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને આયાબેનની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું વિદ્યાર્થીઓના ઉત્સાહ તેમજ શિક્ષકો પ્રત્યેની સન્માનની ભાવના બદલ…

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં 5મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે આ શિક્ષણદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद मे पलतें हैं । આ પંક્તિને ચરિતાર્થ કરતાં શિક્ષકદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 12નાં વિદ્યાર્થીઓએ આચાર્ય, કો-ઓર્ડિનેટર, શિક્ષક, ક્લાર્ક તથા સેવક કર્મચારીની ભૂમિકા ભજવી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મને આપણે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં શિક્ષક તરીકે ઉત્તમ કામગીરી કરી હતી, સાથે શાળાનાં પ્યૂન, ક્લાર્ક, આચાર્ય, કો-ઓર્ડિનેટર અને સી.ઈ.ઓ.ની ભૂમિકા સુંદર રીતે કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને શુભેચ્છાકાર્ડ અને પુષ્પ આપી તેમનું અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા…

હીરામણિ સ્કૂલ ધો.1 થી 7ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ સ્કૂલ ધો.1 થી 7 (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકોદ્વ્રારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી એટલે કે 5 સપ્ટેમ્બર સંદર્ભે શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થી આચાર્યા, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષક, ક્લાર્ક, પ્યૂન, આયાબેન બન્યા હતાં. શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓએ મનગમતા વિષયને ભણાવી આજનો દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો…

વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

અમદાવાદ હીરામણિ શિક્ષણ સંકુલમાં તા.29-08-2025ના રોજ એન્યુઅલ રેજુવેનેટ વાર્ષિક ઈન્ટર સ્કૂલ સાયન્સ પ્રદર્શન-2025 નું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવેલ. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમને કેળવવાના હેતુથી દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળા દ્વારા થાય છે. આ પ્રદર્શનમાં અમદાવાદ શહેરની નામાંકિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની કૂલ 46 શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા 72 પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. જેમાં…

જોધપુર વોર્ડમાં IOC પેટ્રોલ પંપ થી ડી માર્ટ માર્ગ નું સ્વ.પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ નામાભિધાન

અમદાવાદ જોધપુર વોર્ડમાં આવેલ પેટ્રોલ પંપ થી ડી માર્ટ માર્ગને સ્વ પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ નું નામાભિધાન કરવામાં આવ્યું.. Dr ચંદ્રકાંત મહેતા જેઓ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે તેમના સ્વ. પુત્ર પિનાકીન ચંદ્રકાંત મહેતા જેઓ ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ હતા તેથી ડી માર્ટ થી જોધપુર ગામ તરફના માર્ગને સ્વ. પિનાકીન ચંદ્રકાંત…

મનસુખ સુવાગીયા લિખિત ‘જળક્રાંતિ ગ્રંથ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 31મી ઓગષ્ટના રોજ વિમોચન

અમદાવાદ સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી છે, તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખ સુવાગીયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા. 31મી ઓગષ્ટ, 2025ના રોજ રવજી વસાણી અને વલ્લભ કાકડિયાની આગેવાનીમાં લેઉવા પટેલની 19 સંસ્થાઓના ઉપક્રમે…

હીરામણિ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા શિલ્પકલા સ્પર્ધા (ગણપતિજીની મૂર્તિ) બનાવવાનું આયોજન

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વનિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવા કે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે “ગીતા શ્ર્લોક ગાન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્ર્લોકો નું સુંદર ગાન ધોરણ- ૧ થી ૮ નાં ૨૨૩ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ કરી તેનો…

હીરામણિ પ્રાથમિક શાળામાં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ માટી, ક્લે, પાંદડાંનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની વિવિધ મૂર્તિઓ બનાવી હતી, અને તેની સાથે-સાથે આસ્થા ભી સરંક્ષણ ભી ના સૂત્ર સાથે પર્યાવરણ બચાવવાનો સમાજને સંદેશો પાઠવ્યો હતો.

હીરામણિ હાયર સેકંડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ GLS દ્વારા યોજાયેલી યંગ તરંગ ૨૦૨૫સ્પર્ધામાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું

આજરોજGLS (ફેકલ્ટી ઓફ કોમર્સ) દ્વારા યોજાયેલ યંગ તરંગ ૨૦૨૫ સ્પર્ધામાં હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ના વિધાર્થીઓએ એડોમેનિયા સ્પર્ધા ( પ્રોડક્ટ એડવર્ટિઝ ની મૌલિક રજૂઆત) માં ભાગ લઈ ને પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું છે. જે બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન,અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ ભાગ્યેશ જોષી તથા કો ઓર્ડીનેટર્…

બરડા અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વાનતારા – ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા

પોરબંદર (ગુજરાત) બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે. આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક…