સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ફરી વધી, 24 કલાકમાં 35 સેમીનો વધારો; સ્ટોરેજ 79.86 ટકા પર પહોંચ્યું
નર્મદા બેસિનમાં સારા વરસાદની અસરથી ડેમમાં 61,049 ક્યુસેક પાણીની આવક; હાલ પાણીની સપાટી 132.56 મીટરે કેવડિયા ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવકને કારણે જળસંગ્રહમાં વધારો નોંધાઈ રહ્યો છે. બુધવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની પાણીની સપાટી 132.56 મીટરે પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 35 સેન્ટીમીટર વધી છે. હાલ…
