વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર બન્યો

મોરબી અને જેતપુરમાં 12 દિવસથી ઉપવાસ, ગુજરાત ભારતીય કિસાન સંઘે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી ગાંધીનગર: રાજ્યમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજલાઈનો અને વીજપોલના કારણે જમીનને થતા નુકસાનના વળતરના મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. મોરબી અને જેતપુર વિસ્તારમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નત્યાગ સાથે ઉપવાસ પર બેઠા છે. આંદોલનને હવે ગુજરાત ભારતીય…

જીએલએસની શતાબ્દી ઉજવણીમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ અંતર્ગત વૃક્ષારોપણ, હરિયાળા ભવિષ્યનો સંકલ્પ

એએમસી કમિશનર બંછાનિધિ પાની અને પત્રકાર અજય ઉમટની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી અમદાવાદ અમદાવાદ સ્થિત ગુજરાત લો સોસાયટી (જીએલએસ)ની શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત જીએલએસ યુનિવર્સિટી દ્વારા એલિસબ્રિજ કેમ્પસમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. શતાબ્દી…

સુરતના નાસીરનગર ડિમોલિશનમાં મંજૂરી વિના 150 જેટલા મકાનો તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત

ગુજરાત હાઈકોર્ટના વેધક સવાલો, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસના આદેશ અમદાવાદ સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ મેગા ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ કબૂલાત કરી છે. સરકારે સ્વીકાર્યું છે કે નાસીરનગરમાં થયેલા દબાણો કોઈપણ સત્તાધીશની મંજૂરી વિના તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવતાં ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC), પોલીસ…

નિકોલમાં નશામાં ધૂત યુવકનો હંગામો, છેડતીની અફવાહ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

પોલીસનો ખુલાસો – છેડતી થઈ હોવાના પુરાવા નથી, માત્ર બાઈક સાથે અથડામણ થઈ હતી; પ્રોહિબિશનનો ગુનો નોંધાયો અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક યુવક દ્વારા જાહેરમાં હંગામો મચાવ્યાની ઘટના સામે આવી છે. ચાણક્ય સ્કૂલ નજીક બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. શરૂઆતમાં યુવકે યુવતીની છેડતી…

ડિજિટલ ગવર્નન્સનો નવો યુગ: ગાંધીનગરમાં ‘પીએમ ફેમિલી કેર ટ્રેકર’ અને ‘હેલ્થ પાસપોર્ટ’નો ઐતિહાસિક પ્રારંભ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો; માતાના ગર્ભથી લઈને ૧૬ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય-શિક્ષણનું આઈટી માધ્યમથી સચોટ ટ્રેકિંગ થશે ગાંધીનગર: દેશના શાસન અને જનકલ્યાણના ઇતિહાસમાં વર્ષ ૨૦૧૪ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વર્ષ સાબિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની શિક્ષણનીતિ, અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસ…

ગુજરાતમાં બાળ લકવા નાબૂદીનો મહાયજ્ઞ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવ્યો રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ

૦ થી ૫ વર્ષના ૮૩.૪૯ લાખથી વધુ બાળકોને અપાશે સુરક્ષા કવચ: ૨૯ અને ૩૦ જૂને આરોગ્ય કર્મીઓ ઘરે-ઘરે જઈને આપશે પોલિયોના ટીપાં ગાંધીનગર ગુજરાતને બાળ લકવા મુક્ત રાખવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્યભરમાં ‘પલ્સ પોલિયો અભિયાન’નો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાનકડા ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપાં…

કામરેજમાં 250થી વધુ દીકરીઓ માટે 10 દિવસીય આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ શિબિરનું સમાપન

યંગ ફાઉન્ડેશનના ઉપક્રમે નેઈલ આર્ટ, ગૂંથણ અને સિવણ કામની તાલીમ; દીકરીઓને આત્મનિર્ભર બનવાનો સંદેશ સુરત, કામરેજ: કામરેજ વિસ્તારમાં ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ‘યંગ ફાઉન્ડેશન’ દ્વારા દીકરીઓ માટે આયોજિત 10 દિવસીય વિશેષ આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ શિબિરનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. શિબિરમાં પાસોદ્રા, કઠોદરા, લસકાણા, યોગીચોક સહિત આસપાસના વિસ્તારોની 250થી…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ એમઓયુ

દર મહિને બે શનિવારે ગુજરાતના 14 પરંપરાગત આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ; દેશ-વિદેશના પ્રવાસીઓને મળશે સમૃદ્ધ લોકસંસ્કૃતિનો પરિચય એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સાંસ્કૃતિક પરંપરાના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે મહત્વપૂર્ણ સમજુતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ દર મહિને…

જીએલએસ યુનિવર્સિટીમાં ‘ધ એન્ટરપ્રેન્યોરિયલ બ્લૂપ્રિન્ટ’નું આયોજન

ઓઓમસી પાવરના ચેરમેન સુશિલ કુમાર જીવરાજકાએ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા સફળ ઉદ્યોગસાહસિકતાના અનુભવો, ‘ડિકોડેડ વિથ ચાંદની કાપડિયા’ પોડકાસ્ટ દ્વારા થયો પ્રેરણાદાયી સંવાદ અમદાવાદ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી જીએલએસ યુનિવર્સિટી દ્વારા ‘ધ એન્ટરપ્રેન્યોરિયલ બ્લૂપ્રિન્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓએમસી પાવરના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ સુશિલ કુમાર જીવરાજકા મુખ્ય વક્તા…

જામનગરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં 163 વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત, શૈક્ષણિક કીટનું વિતરણ જામનગર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લાખાબાવળ, સરમત અને રાવલસર ખાતે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બાલવાટિકા અને ધોરણ-9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 163 વિદ્યાર્થીઓએ…

ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે: આરોગ્ય મંત્રીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

હોસ્પિટલની કાર્યપ્રણાલી, સુવિધાઓ અને માળખાકીય જરૂરિયાતોની વિગતવાર સમીક્ષા; દર્દી-કેન્દ્રીત સેવાઓ પર ભાર જામનગર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હોસ્પિટલની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન હોસ્પિટલની વર્તમાન કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યની…

જામનગર તાલુકાની 8 શાળાઓમાં 175 બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો

કન્યા કેળવણી મહોત્સવ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા જામનગર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ 8 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 175 જેટલા બાળકોને શાળામાં પ્રવેશ અપાવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું….

ચાંગોદર પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડમાં દોષિતોને નહીં છોડાય

દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહી થશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્પષ્ટ જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે…

ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો મળશે, વિદેશી દારૂ પરનો વેટ 65 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો, વિશેષ ફી સંપૂર્ણપણે નાબૂદ

ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાનું બિઝનેસ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નવા જાહેરનામા બહાર પાડી ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી દારૂ પરનો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) 65 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધો છે. સાથે જ દારૂના દરેક સર્વિંગ પર વસૂલાતી વિશેષ ફી પણ સંપૂર્ણપણે દૂર…

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત જામનગરમાં ઉત્સાહભેર ઉજવણી

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 135 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જામનગરરાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત જામનગર તાલુકાના હડમતિયા ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમોમાં નવા શૈક્ષણિક સત્રમાં…

જામનગરના બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ લોકો ઈજાગ્રસ્ત

બાળકો વચ્ચેની ધકામુક્કી બાદ મામલો ઉગ્ર બન્યો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી જામનગર: જામનગરના બેડી વિસ્તારમાં મોહરમની નિયાઝ દરમિયાન બનેલી એક સામાન્ય ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બાળકો વચ્ચે પ્રસાદી લેવા બાબતે થયેલી ધકામુક્કી બાદ બંને પક્ષના લોકો આમને-સામને આવી ગયા હતા. લાકડીઓ અને પથ્થરમારાની ઘટનામાં બંને પક્ષના મળી…

પૂર્વ અગ્નિવીરોને ગુજરાત સરકારની મોટી ભેટ: પોલીસ, એસઆરપી, જેલ અને વન વિભાગની ભરતીમાં 20% અનામત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વયમર્યાદામાં છૂટછાટ પણ મળશે ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્એદ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ…

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી: રાજકોટ રેન્જના દરોડામાં ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

સાયલાના ગુંદીયાવડા ગામે સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ; 3 એક્સવેટર અને 4 ડમ્પર કબજે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન સામે રાજકોટ રેન્જની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરકારી જમીન પર મંજૂરી વિના ચાલી રહેલી ખનીજ ચોરીનો પર્દાફાશ કરતાં ટીમે અંદાજે ₹2.50 કરોડના મુદ્દામાલ…

અમરેલીમાં ગોઝારો અકસ્માત: ધાતરવડી બ્રિજ પરથી ટ્રક ખાબકતાં ભીષણ આગ, ચાલક જીવતો ભૂંજાયો

રાજુલા નજીક સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવ્યું; બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ધાતરવડી બ્રિજ પર શનિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલો ટ્રક અચાનક અનિયંત્રિત બની નીચે ખાબક્યો હતો. અકસ્માત બાદ ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળતાં ટ્રક ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો…

પાવાગઢમાં દુઃખદ દુર્ઘટના: પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત

ભારે વરસાદના કારણે પાટિયાપુલ નજીક સર્જાઈ ઘટના, પાંચ યાત્રિકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા પાવાગઢ વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢમાં શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો અને ભેખડ ધસી પડતાં અનેક શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનામાં બે યાત્રિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે,…