10 વર્ષની બાળકીને ટોર્ચર કરવાના મામલે ભીડે મહિલા પાયલટ-પતિને ઢીબી નાખ્યા

બાળકી દંપત્તીના ઘરે કામ કરી રહી હતી, આ દરમિયાન ચોરીના આરોપમાં બંનેએ બાળકીને દઝાડીને ટોર્ચર કરી તો બાળકી ભાગી ગઈ અને પોતાના વાલીઓને સમગ્ર જણકારી આપી નવી દિલ્હીરાજધાની દિલ્હીમાં એક મહિલા પાયલોટ અને તેમના પતિની જાહેરમાં મારપીટનો વીડિયો સામે આવ્યો છે. એક સગીર બાળકીને ટોર્ચર કરવાના આરોપમાં ભીડે બંનેની મારપીટ કરી હતી. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી…

નીતિશ માટે બેંગલુરૂમાં અનસ્ટેબલ પ્રાઇમ મીનિસ્ટર ઉમેદવારના પોસ્ટર્સ લાગ્યા

પોસ્ટર્સમાં બિહારમાં તાજેતરમાં પડેલા બ્રિજની તસવીર પણ લગાવવામાં આવી બેંગલુરૂ વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઇ રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલેશ યાદવ સહિતના કેટલાક નેતા બેંગલુરૂ પહોચી ગયા છે. આ વચ્ચે નીતિશ કુમાર…

પૂંછમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા

રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા, માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા જમ્મુ સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પહેલી અથડામણ ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે થઈ હતી ત્યારબાદ રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ…

એટીએસે સીમા હૈદરને તેનો ભાઈ પાક. સેનામાં હોવાના સહિતના પ્રશ્નો પૂછ્યા

સીમા પાસે ચાર ફોન કેમ હતા, તેણે પાકિસ્તાની સિમ કેમ તોડ્યું, તે ભારતમાં કેવી રીતે પ્રવેશી, કરાચીથી નોઈડા પહોંચવામાં કોણે મદદ સહિતના સવાલો પુછાયા લખનૌ પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર પરના સવાલો હજુ પૂરા થયા નથી. યુપીએટીએસએ ફરી એકવાર સીમા હૈદર અને સચિનને ​​પૂછપરછ માટે ઝડપી લીધા છે. આ પહેલા ગઈકાલે પણ…

શરદ પવારે વિપક્ષની એકતા પર શંકા વ્યક્ત કરી

અમને ખ્યાલ છે કે જો ભાજપને હરાવવા હોય તો આપણે એક થવું પડશે, આમાં કેટલીક સમસ્યાઓ છે, જેને અવગણી શકાય નહીઃ પવાર નવી દિલ્હી આજે સતત બીજા દિવસે બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, શરદ પવાર આજે બીજા દિવસે બેઠકનો ભાગ બનશે. આ દરમિયાન…

રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં 21 જુલાઈએ સુનાવણી

સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે. આ…

વિપક્ષની બેઠકને હાર્ડકોર ભ્રષ્ટાચાર બેઠક ગણાવતા નરેન્દ્ર મોદી

જે લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને ભ્રષ્ટ્રાચાર કરે છે તેઓ બેંગલુરુમાં દુકાનો ખોલીને બેઠા હોવાનો વડાપ્રધાનનો આક્ષેપ નવી દિલ્હી લોકસભા ચૂંટણી માટે બેંગલુરુમાં વિપક્ષો દ્વારા એકજૂથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ દરમિયાન વિપક્ષી એક્તા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને હાર્ડકોર…

સરકાર ભારત દાળના નામથી 60 રૂપિયે કિલો ચણાદાળ વેચશે

30 કિલોનું પેકેજ 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે, એનસીસીએફ, કેન્દ્રીય ભંડાર અને મધર ડેરીના સફળ કેન્દ્રોમાં પણ ભારત દાળનું વેચાણ કરવામાં આવશે નવી દિલ્હી ડુંગળી અને ટામેટાના વધતા ભાવ બાદ હવે સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે એક્શન મોડમાં છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે દેશમાં ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો નિર્ણય લીધો છે. સરકારે…

કૂનોમાં ત્રણ ચિતાના ગળા પર ઘામાં કીડા જોવા મળ્યા

ચિત્તાઓને ગળાના ભાગે લગાવાયેલ કૉલર-આઈથી ઈજા થઈ હોવાની આશંકા, જંગલમાં ફરી રહેલા કુલ 10 ચિત્તાઓની તપાસ કરવામાં આવી રહી છે ભોપાલ મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કૂનોમાં ત્રણ ચિત્તા ઓબાન, ફ્રેડી અને એલ્ટનના ગળા પર ઘામાં કીડાઓ જોવા મળ્યાના આહેવાલો છે. ચિત્તાઓને ગળાના ભાગે લગાવાયેલ કૉલર-આઈથી ઈજા થઈ હોવાની આશંકા…

બળવાખોર નેતાઓ અને શરદ પવાર વચ્ચે ચાર દિવસમાં ત્રણ વખત મુલાકાત

મુલાકાત કેમ થઇ તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, એવી ચર્ચા છે કે આ બેઠક બળવો પોકારનારા નેતાઓને એનસીપીમાંથી બરતરફ કરવા અને અયોગ્ય જાહેર કરવાની નોટિસ મામલે યોજાઈ મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી રહી છે. એનસીપીમાંથી બળવો પોકાર્યા બાદથી અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા બાદ…

વિપક્ષો એક થાય તો પણ કેન્દ્ર સંસદમાં વટહુકમને મંજૂરી અપાવી શકશે

દિલ્હી પરના વટહુકમને બંને ગૃહોમાં પાસ કરાવવો જરૂરી છે, રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નથી, તેથી આ મામલે કેજરીવાલને કોંગ્રેસનું સમર્થન મહત્વપૂર્ણ કહેવાય છે નવી દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં લવાયેલા વટહુકમનો વિરોધ કરવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરાયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આંશિક રાહત થઈ છે. આ જાહેરાત બાદ વિપક્ષી દળોની બીજી બેઠકમાં કેજરીવાલના સામેલ થવાનો…

ભારત અને ઈન્ડોનેશિયાની એકબીજાના ચલણમાં વેપાર માટે વાટાઘાટ

બંને દેશોની સરકારો વચ્ચે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે પણ ચર્ચા થઈ રહી છે, જેથી યુપીઆઈ અને અન્ય સમાન સંસાધનોનો ઉપયોગ કરી શકાય નવી દિલ્હી તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે સ્થાનિક ચલણમાં વેપાર અંગેની ડીલ બાદ હવે ભારત અને ઈન્ડોનેશિયા સાથે આવો જ કરાર કરવાની તૈયારી કરી રહ્યો છે. બંને દેશો રિયલ ટાઈમ પેમેન્ટ…

હિમાચલમાં પૂરમાં ફસાયેલા 70000 પ્રવાસીઓને બચાવાયા

આપત્તિ પ્રભાવિત 80 ટકા વિસ્તારોમાં વીજળી, પાણી અને મોબાઈલ સેવાઓ અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી હોવાનો મુખ્યપ્રધાનનો દાવો સિમલાહિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલા પૂરમાં ફસાયેલા સ્થાનિકો અને પ્રવાસીઓને બચાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ આ અંગે આજે માહિતી આપી હતી.તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 70,000 પ્રવાસીઓની બચાવ કામગીરી કરવામાં આવી…

પંજાબમાં પૂરથી 2.40 લાખ હેક્ટર ડાંગરના પાકને નુકસાન, હરિયાણાના 13 જિલ્લામાં જળબંબાકાર

યમુનાનું જળસ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે જો કે હજુ પણ કેટલાય વિસ્તારોમાં ગળાડુબ પાણી ભરાયા છે નવી દિલ્હીઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે પંજાબ અને હરિયાણામાં તારાજી સર્જાઈ છે. પંજાબમાં પૂરને કારણે લગભગ 2.40 લાખ હેક્ટર ડાંગરના પાકને નુકસાન થયુ છે તો બીજી તરફ હરિયાણાના 13 જિલ્લામાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. આ સિવાય…

રાજસ્થાનમાં માલગાડી પાટા પરથી ઊતરી જતા, રેલ સેવા પ્રભાવિત

આ અકસ્માત અસલપુર-જોબાર્ને અને હિરનોડા સ્ટેશન વચ્ચે અપ લાઇન પર થયો હતો જયપુરરાજસ્થાનના જયપુર-ફૂલેરા રેલ માર્ગ પર આજે સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત હિરનોડાથી જોબનેર રેલવે સ્ટેશન વચ્ચે થયો હતો. ઘટના સવારે 5 વાગ્યા આસપાસ બની હતી. અહેવાલ અનુસાર, માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. માહિતી મળતાં જ…

અમે ગુંડાગીરી કર્યા વગર શાંતિપૂર્ણ ચૂંટણીમાં વિશ્વાસ રાખીએ છીએઃ માણિક સાહા

માણિક સાહાએ જુલાઈ બાડીમાં એક સંગઠનાત્મક બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કહી ત્રિપુરાત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ટીએમસીની ખૂબ ટીકા કરી હતી. સાહાએ રાજ્ય સરકારને સલાહ આપતા કહ્યું કે, તેઓ પહેલા એ શીખે કે, લોકતંત્ર શું છે અને કેવી રીતે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવામાં…

એનડીએન બેઠક માટે ચિરાગ પાસવાન-જીતન રામ માંજીને ભાજપનું આમંત્રણ

એનડીએની બેઠકમાં ચિરાગ પાસવાન, જીતન રામ માંઝીની પાર્ટી એચએએમ ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાની આરએલજેડી અને મુકેશ સાહનીની પાર્ટી વીઆઈપી અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે નવી દિલ્હીભાજપે પણ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાને ટક્કર આપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે એનડીએથી અલગ થઈ ગયેલા સાથી પક્ષોને સાથે લાવવાની કવાયત પણ શરૂ કરી રહી છે. તે…

રાફેલે પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડ માટે ટિકિટ અપાવીઃ રાહુ ગાંધી

મોદી એવા સમયે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી છે અને યુરોપિયન યુનિયન સંસદ ભારતના આંતરિક મામલાની ચર્ચા કરી રહી છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટોણો માર્યો છે કે રાફેલે પીએમ મોદીને બેસ્ટિલ…

હેટ સ્પિચ કેસમાં સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનને બે વર્ષની સજા

ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમ ખાને તેમની એક જાહેરસભામાં મુખ્યમંત્રી અને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત અનેક અધિકારીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું રામપુરસમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે. રામપુરની કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. વર્ષ 2019માં રામપુરના શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ…

માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર ન હોય તો પ્લોટ ખાલી સમજવોઃ મહિલાઓમાં આક્રોશ

અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં ગુસ્સો વ્યક્ત કર્યો અને ટીકા પણ કરી હતી, કેટલાક યૂઝર્સે કહ્યું કે આવી વાતો કરનાર વ્યક્તિ ન તો સંત હોઈ શકે અને ન તો કથાવાચક બાગેશ્વરધામચર્ચામાં રહેતાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક નિવેદન આપી મોટો વિવાદ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો…