મુંબઈ ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ ફ્રેન્કલિન ઈન્ડિયા મની માર્કેટ ફંડ માટે બેવડા સીમાચિહ્નોની ઊજવણી કરી રહ્યું છે. ફંડ તેની 23મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે અને તેણે રૂ. 3,400 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો વટાવ્યો છે. આ બંને સિદ્ધિઓ પોતાના ટૂંકા ગાળાના સરપ્લસને રોકવા ઇચ્છતા રોકાણકારો માટે એકંદરે ઓછું જોખમ, વધુ તરલતા અને વધુ ઉપજ પૂરી પાડવાની ફંડની અનોખી લાક્ષણિકતા રજૂ કરે છે. વર્ષ 2002માં લોન્ચ થયેલું ફ્રેન્કલિન ઈન્ડિયા મની માર્કેટ ફંડ એક વર્ષ સુધીની મેચ્યોરિટી ધરાવતા ડિપોઝીટ સર્ટિફિકેટ્સ, કોમર્શિયલ પેપર્સ અને ટ્રેઝરી બિલ્સ જેવા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે જે તેને ઓછું જોખમ ધરાવતા ટૂંકા ગાળાના રોકાણ સાધનો ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ બનાવે છે અને ભંડોળની તરલતા તથા મહત્તમ વળતરની સંભાવના પૂરી પાડે છે. ટ્રેલિંગ રિટર્ન્સના આધાર પર ફંડે છેલ્લા 1 વર્ષ, 5 વર્ષ અને 15 વર્ષમાં તથા 30 મે, 2025ના રોજ પૂરા થતા ગાળા માટે તેના બેન્ચમાર્ક નિફ્ટી મની માર્કેટ ઇન્ડેક્સ-એ-1ને આઉટપર્ફોર્મ કર્યું છે. 30 મે, 2025ના રોજ પ્રારંભિક રૂ. 10,000નું રોકાણ અત્યારે લગભગ પાંચ ગણું વધીને રૂ. 49,649 થયું છે. દરમિયાન, પ્રારંભ થયો ત્યારથી દર મહિને રૂ. 10,000ની એસઆઈપીનું મૂલ્ય આ જ ગાળામાં વધીને રૂ. 70 લાખથી વધુનું થયું છે જે ફંડની લાંબા ગાળાની કામગીરી દર્શાવે છે. ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને પોર્ટફોલિયો મેનેજર – ફિક્સ્ડ ઇન્કમ ચાંદની ગુપ્તાએ જણાવ્યું હતું કે અમને લાગે છે કે રોકાણકારો મની માર્કેટ પોર્ટફોલિયોમાં રોકાણ કરીને હળવા વ્યાજ દર વાતાવરણનો લાભ મેળવી શકે છે જે શ્રેષ્ઠ સમયગાળા સાથે લાગુ કરવામાં આવે છે. પોર્ટફોલિયોને શ્રેષ્ઠ સમયગાળાના જોખમ સાથે એક્રુઅલ સ્ટ્રેટેજીનો લાભ મળી શકે છે. મે 2025ના અંત સુધીમાં, આ સ્કીમે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 87.21 ટકા અને સરકારી સિક્યોરિટીઝમાં 12.02 ટકા રોકાણ કર્યું હતું. આ ફંડનું સંચાલન ચાંદની ગુપ્તા અને રોહન મારુ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે, જેઓ ફિક્સ્ડ ઇન્કમ સ્ટ્રેટેજીમાં અનુભવી વ્યાવસાયિકો છે. મજબૂત ટ્રેક રેકોર્ડ, શિસ્તબદ્ધ રોકાણ અભિગમ અને તરલતા તથા મૂડી જાળવી રાખવા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, ફ્રેન્કલિન ઈન્ડિયા મની માર્કેટ ફંડ ટૂંકા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન શોધતા રોકાણકારો માટે એક સારો વિકલ્પ છે.