રિલાયન્સ મહાકુંભમાં લાખો યાત્રાળુઓની સેવામાં સમર્પિત

પ્રયાગરાજ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ અને દૈવી કૃપા માટે જીવનમાં એકવાર આવેલી આ યાત્રારૂપી તક ઘણા લોકો માટે પડકારરૂપ બની શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ‘તીર્થ યાત્રી સેવા’ શરૂ કરી છે, જે યાત્રાળુઓની યાત્રાને સરળ બનાવવા તેમજ તેમની સુખાકારી…

ચિન્મય મિશન અમદાવાદ આયોજીત શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક ગાન સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા

અમદાવાદ હીરામણી પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)ના બાળકો દ્વારા ચિન્મય મિશન અમદાવાદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય પાંચનાશ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમદાવાદની વિવિધ શાળાઓના 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી 160 વિદ્યાર્થી ફાઇનલ રાઉન્ડની સ્પર્ધામાં પસંદગી પામેલ હતા જેમાં હીરામણી શાળાના 14માંથી બે વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં વિજેતા બન્યા હતા. આ સ્પર્ધાની…

જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વરધામનો 8 ડિસેમ્બરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે વાસ્તુદોષ ટાળવા ચૌમુખ ભગવાન અને શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવી અમદાવાદ જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વરધામમાં 8 ડિસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સાના માર્ગદર્શનમાં…

શ્રી લાખણેચી માતાની 125 દીવાની આરતી અને અન્નકૂટ

અમદાવાદ અમદાવાદના જુનાવાડજ ખાતે આવેલા રાજ રાજેશ્વરી શ્રી લાખણેચી માતાના મંદિરમાં સમસ્ત લાખણેચી મા સેવક પરિવારઃ ગોતા-વાડજના પરમ પૂજ્ય ભુવાજી શ્રી રણછોડભાઈના માર્ગદર્શનમાં દેવ દીવાળીના રોજ સવા સો દીવાની ભવ્ય આરતી અને 56 ભોગના અન્નકૂટનું આયોજન કરાયું હતું. આ ભવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.

સમગ્ર ગુજરાતની જીવદયા-ગૌસેવા સંસ્થાઓ દ્વારા ગૌમાતાને રાજ્યમાતા બનાવવા તેમજ જીવદયા-ગૌસેવા અંગેના વિવિધ પ્રશ્નોની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરાશે

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતેગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરાશે અમદાવાદ તા 17 ઓક્ટોબર 2024 – શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે ગુજરાત રાજ્યનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ સમસ્ત મહાજન તથા સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા સંસ્થાઓ તરફથી અભિવાદન કરવામાં આવી…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં શ્રીમદ ભગવદગીતા શ્લોક ગાન સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે“શ્લોકગાન”સ્પર્ધાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ સમજાવી  ઉત્સાહ…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં નવરાત્રી નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ

નવરાત્રી મહોત્સવ નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ        હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવના ભાગરૂપે પૂજા થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સંસ્કૃતિમાં પૂજા વિધિનું મૂળ સારું મહત્વ છે. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પૂજામાં ભગવાનની આરતીની થાળીનું કલાત્મક અને ક્રિએટિવ સુશોભન કરવાની પ્રવૃત્તિને…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલો દ્વારા ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં વડીલો દ્વારા ગણપતિભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

હિરામણી સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી

હિરામણી સ્કૂલમાં ધોરણ એક થી સાત પ્રાથમિક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

હીરામણિ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક દ્વારા, પ્રવચન, વકૃત્વ સ્પર્ધા યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. જેમકે ગુરુ વિનાનું જીવન અધૂરું છે. જેવી રીતે માતા-પિતા આપણને સંસ્કાર આપે છે તો બીજી તરફ ગુરુ આ૫ણને જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને…

હીરામણિ નર્સરી – જુનિકે.જી.– સિનિ.કે.જી.માં ભૂલકાંઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી

હીરામણિના નાના ભૂલકાંઓ આપણા દેશની ધાર્મિક પરંપરા તેમજ તહેવારોથી પરિચિત થાય તે માટે હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ દ્વારા રથ બનાવી સ્કૂલ કેમ્પસમાં રથયાત્રા કાઢવામાં આવી હતી.

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ચિત્રસ્પર્ધા તેમજરથના વિવિધ મોડેલ બનાવી રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં રથયાત્રા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1 થી 4 માં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા તેમજ ધો. 5 થી 7 માં રથના વિવિધ મોડેલ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ નકામાં પૂંઠા, બોક્સ, આઈસક્રીમ, સ્ટીક, કપ, ટીકડા દોરી, ટીંલડી વગેરેનો ઉપયોગ કરી કલાત્મક ભગવાન જગન્નાથના વિવિધ રથો બનાવ્યા હતા.

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા આયોજિત ગીતા સ્પર્ધામાં 3000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

અમદાવાદ આધ્યાત્મિક શિક્ષણ અને જ્ઞાનની ઉજવણીમાં, ભાડજ, અમદાવાદ ખાતે હરે કૃષ્ણ મંદિરે એક ભવ્ય ગીતા સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં 3000 થી વધુ ઉત્સાહી વ્યક્તિઓએ ભાગ લીધો. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આયોજિત આ સ્પર્ધાનો હેતુ ભગવદ-ગીતાના ગહન ઉપદેશોનો પ્રચાર કરવાનો હતો, જે તેના આધ્યાત્મિક ઊંડાણ અને વ્યવહારિક શાણપણ માટે આદરણીય કાલાતીત ગ્રંથ છે. આ…

બધા જૈન નહીં, સારા મેન બને એવા મારા પ્રયાસઃ આચાર્ય પુલકસાગરજી મહારાજ

ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય પુલકસાગરજી મહારાજનો અમદાવાદમાં બેથી નવ જૂન દરમિયાન જ્ઞાન ગંગા મહોત્સવ અમદાવાદ દેશ કો ખતરા બેઈમાનોં સે હૈ…, દેશ કી રાજનીતિ ધર્મ ચૂકતી હૈ, તબ મહાભારત હોતા હૈ…, મેરા દેશ સુન રહા હૈ તબ તક ભવિષ્ય સુનહરા હૈ…સબ કો જૈન નહીં, અચ્છે મેન બનાને કે મેરે પ્રયાસ…આ શબ્દો છે ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ…

ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ દ્રારા હરે કૃષ્ણ મુવમેન્ટને પૌષ્ટિક ભોજન વિતરણ માટે 3 વાહનોનું દાન

અમદાવાદ એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગમાં અગ્રણી નામના ધરાવનાર, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ, દ્રારા સામાજિક ઉત્થાન માટે તેમના સમર્પણના ભાગરૂપે હરે કૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદને મદદગાર થયા. એકતા અને સમર્થનનારૂપમાં, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ દ્રારા  વંચિત દર્દીઓને પૌષ્ટિક ભોજન આપવાના સંસ્થાના ઉમદા પ્રયાસમાં મદદ કરવા ત્રણ વાહનોનું દાન કર્યું છે. સલામત અને કાર્યક્ષમ વાહનવ્યવહાર માટે સજ્જ આ વાહનો,હરે કૃષ્ણ…

ભારતીય સમાજમાં સમાનતા તરફના પરિવર્તનને ચિહ્નિત કરવા માટેની ઐતિહાસિક ઘટના – “પટ્ટાભિષેકમ”

રાજેશ શુક્લા, રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર અને સ્વામી નારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પુરષોત્તમ શાસ્ત્રીજી મહારાજ ભારતીય સમાજમાં સમાનતા તરફ ઐતિહાસિક પહેલ કરે છે અમદાવાદ ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, સમતા મૂલક સમાજ કી સ્થાન પ્રોજેક્ટ વર્ષો જૂની પરંપરાઓમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, જે વધુ સમાવિષ્ટ અને સશક્ત ભવિષ્ય…

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહામહોત્સવ

૩૫ મુમુક્ષુઓએ સંસારી વેશ ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગિકાર કર્યો અમદાવાદ અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ ૩૫ જૈન દીક્ષાનો મહોત્સવ દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં…

૩૫ મુમુક્ષુઓ દ્વારા ૬૮ લાખ રૂપિયાનું વર્ષીદાન, ઉપકરણોની ઉછામણી ૫,૨૯,૮૭,૦૦૩ રૂપિયા થઈ

અમદાવાદ ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવમાં રવિવારે અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં હાથી, ઘોડા, ઊંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતાં પહેલાં છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું. સવારે ૬.૩૦ કલાકે મુમુક્ષુ ભાવેશભાઈ ભંડારી અને તેમનાં ધર્મપત્ની જિનલબહેનના નિવાસસ્થાન ઋજુવાલિકા, શાંતિનગરથી શરૂ થયેલી શોભાયાત્રા ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, પાલડી ચાર રસ્તા થઈને સાત કિલોમીટરની યાત્રા કરીને રિવરફ્ર્ન્ટ પર તૈયાર કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી હતી. આ વર્ષીદાનના વરઘોડામાં આશરે ૪૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપરાંત આશરે દસ હજાર ભાવિકો જોડાયા હતા, જ્યારે રાજનગર અમદાવાદના આશરે પાંચ લાખ લોકોએ વિવિધ સ્થળેથી વરઘોડાના દર્શન કર્યા હતા. વર્ષીદાનની યાત્રા અધ્યાત્મ નગરીમાં આવી પહોંચી તે પછી સોમવારે સવારે ૬ વાગ્યે યોજાનારા દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુઓ સાધુ બન્યા પછી જે ૧૮ વસ્ત્રો, પાત્રો, ઉપકરણો વગેરેનો ઉપયોગ કરવાના છે, તેની ઉછામણી બોલાવવાની શરૂઆત થઈ હતી. આ ૧૮ ઉપકરણો પૈકી સાધુજીવનનાં પ્રતિક સમાન ઓઘાની અને મુહપત્તિની ઉછામણી બોલાવવામાં આવતી નથી; પણ તે લાભ મુમુક્ષુના પરિવારને આપવામાં આવે છે. ઓઘા અને મુહપત્તિ સિવાય કામળી, કાપડો, સાડો અથવા ચોલપટ્ટો, પાત્રા, તરપણી, ચેતનો, પુસ્તકની પોથી, નવકારવાળી, દાંડો, દંડાસન, સુપડી, પૂંજણી, ચરવળી, આસન, સંથારો અને ઉત્તરપટ્ટો મળીને કુલ ૧૬ ઉપકરણોની ઉછામણી બોલવામાં આવી હતી. આ ઉપકરણોને કુલ પાંચ જૂથોમાં વહેંચીને તેની ઉછામણી બોલવામાં આવી હતી. આ રીતે કુલ ૩૫ મુમુક્ષુઓ માટે ૧૭૫ ઉછામણી બોલવામાં આવી હતી. તેમાં સૌથી વધુ ઉછામણી રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે ૬૯,૯૧, ૨૨૨ રૂ.ની બોલવામાં આવી હતી. ૩૫ મુમુક્ષુઓ પૈકી જે ટોપ ટેન ઉછામણી બોલાઈ તે નીચે મુજબ હતી : (૧) રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારા : રૂ. ૬૯,૯૧,૨૨૨ (૨) માન્ય વિજયભાઈ શાહ  : રૂ. ૬૫,૦૯,૩૩૭ (૩) વિદિતકુમાર સુમેરમલજી મહેતા : રૂ. ૫૫,૭૫,૨૨૨ (૪) ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી : રૂ. ૪૨,૪૨,૫૫૫ (૫) દેવેશ નંદિષેણભાઈ રાતડિયા રૂ. ૩૪,૮૭,૦૯૬ (૬) હિનલ સંજયભાઈ જૈન : રૂ. ૨૯,૭૯,૦૦૦ (૭) ભવ્ય મહેન્દ્રકુમાર સિસોદિયા : રૂ. ૨૪,૯૬,૦૦૦ (૮) જૈની ગૌતમકુમાર કોઠારી : રૂ. ૨૧,૯૪,૦૦૦ (૯) જિનલબહેન ભાવેશભાઈ ભંડારી : રૂ. ૨૦,૯૫,૦૦૦ (૧૦) હિતજ્ઞકુમાર શ્રેયાંસભાઈ સંઘવી : રૂ. ૧૫,૧૯,૯૦૬

રિવર ફ્રન્ટ ઉપર બનેલી અધ્યાત્મ નગરીમાં 35 જૈન દીક્ષાના ઐતિહાસિક મહોત્સવ માટે 400થી વધુ સાધુ-સાધ્વીજીનો ભવ્ય પ્રવેશ

અમદાવાદ અમદાવાદ શહેરના સદીઓના ઇતિહાસમાં પહેલી વખત યોજાઈ રહેલા 35 દીક્ષાના મહોત્સવ માટે પધારેલા 15 આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ઉપરાંત 35 મુમુક્ષુઓ અને તેમના પરિવારજનો આજે ભવ્ય સામૈયા સાથે રિવર ફ્રન્ટ ઉપર બનેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં પ્રવેશ્યા હતા. તેમની શોભાયાત્રા સુવિધા ચાર રસ્તાથી શરૂ થઈને પ્રીતમ નગર અખાડા થઈને સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચી ત્યારે 12 ગજરાજ ઉપર બિરાજેલા મુમુક્ષુઓ પણ અધ્યાત્મ…

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી રામનવમી મહોત્સવ

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા. 17 એપ્રિલ, 2024 બુધવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદગીરીરૂપે “શ્રી રામનવમી મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી જેનો આશરે 10,000 કરતા પણ વધુ ભકતોએ લાભ લીધો હતો. શ્રધ્ધાળુ ભક્તોએ આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રીરામના પવિત્ર નામનું…