કુડાસણ દુર્ઘટના: ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવારનો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક નિર્દેશ, હોસ્પિટલની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ હરકતમાં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો માટે યુદ્ધના ધોરણે વિશેષ તબીબી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે તાજેતરમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારનું વહીવટી અને આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને…

સુરત નવી સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: ૧૦૦મું સફળ કેડેવર અંગદાન સંપન્ન

સ્વ. ભલાભાઈ હળપતિના પરિવારના માનવતાવાદી નિર્ણયથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું નવજીવન; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પરિવારને પાઠવી સાંત્વના સુરત શ્રાવણ માસના પવિત્ર સોમવાર અને એકાદશીના અવસરે સુરત નવી સિવિલ હોસ્પિટલના અંગદાન અભિયાનમાં એક અત્યંત ગૌરવવંતી અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૦૦ સફળ કેડેવર અંગદાન કરવામાં આવ્યા છે, જે રાજ્યમાં અંગદાન…

કામરેજમાં તાપી નદીના ધોવાણ સામે સુરક્ષા પાળાનું કામ પૂર્ણ

માત્ર 30 દિવસમાં યુદ્ધના ધોરણે તૈયાર કરાઈ સુરક્ષા દીવાલ, નદીકાંઠાના પરિવારોને પૂરના જોખમમાંથી મોટી રાહત સુરત કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે ધોવાણ સામે રક્ષણ આપતી સુરક્ષા પાળાની કામગીરી પૂર્ણ થતાં નદીકાંઠાના પરિવારોને મોટી રાહત મળી છે. આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સ્થળ પર પહોંચી સુરક્ષા પાળાની પૂર્ણ થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગત…

રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી, સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસરની બદલી

વડોદરા SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મળી હતી ગંભીર ફરિયાદો : ડૉ. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર બદલી અમદાવાદ/વડોદરા વડોદરાની સરકારી મેડિકલ કોલેજ અને SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લીધી છે. રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત રજૂઆત બાદ આરોગ્ય અને પરિવાર…

ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ

ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બન્યું ‘નમસ્તે’ શિલ્પ; મંદિર મહોત્સવ પૂર્વે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં મંગળવારે ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બનેલા ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. એવન્યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્થાપિત આ શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર…

‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની 26 ભલામણોના ઝડપી અમલીકરણ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

ભલામણો કાગળ પર નહીં, જમીની સ્તરે પરિણામલક્ષી રીતે અમલમાં આવે તે જરૂરી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી ત્વરિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના હેતુથી સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિષદ દરમિયાન રજૂ થયેલી ૨૬…

નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે ગુજરાતમાં ‘ઝીરો ટોલરન્સ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

FDCAની રાજ્યવ્યાપી કડક કાર્યવાહી: 50 દવા પેઢીઓના લાયસન્સ રદ, 2 ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર; રૂ.93.47 લાખનો 42,988 કિલોથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત ગાંધીનગર: ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર…

ગાંધીનગર જિલ્લાના જામળા ખાતે ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: ૫૫૧ દેશી વૃક્ષોનું વાવેતર

પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવન જ આપણી સાચી સંસ્કૃતિ: મંત્રી પ્રફુલ પાનશેરીયા જામળા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ખાતે આવેલ પવિત્ર આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં રાજ્યકક્ષાના ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિશાળ સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારથનું…

અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ; નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ના 1,250 ટેબ્લેટ જપ્ત, રૂ.1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત અમદાવાદ રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના…

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક મામલે સરકારનો કડક નિર્ણય

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે કરી ટેલિફોનિક વાતચીત; ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા. ૪૩૦૦.૦૪ લાખના ૧૨૯૬ વિકાસ કામોને મંજૂરી

પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને બેઠક; વિકાસકામોમાં ગુણવત્તા, સમયમર્યાદા અને નિયમિત નિરીક્ષણ પર ભાર ભરૂચ: જિલ્લા આયોજન ભવન ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાયબલ સબ-પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની…

ભરૂચમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નું ઉદ્ઘાટન, 4 હજાર ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ

પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો; શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો-સંસ્થાઓનું સન્માન, 25 બાળકોને સાયકલની ચાવી અર્પણ ભરૂચ શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારીમંત્રી…

ભરૂચમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

દિકરીના ઘરે પહોંચી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ, હિરલબેનનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો ભરૂચ : રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત ‘સમરસ સેતુ વિદ્યા અભિયાન’ હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગને મોટી સફળતા મળી છે. વિવિધ કારણોસર ધોરણ 1થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે…

રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ: ૧૩૭ બંધ, ૬ સીલ; ૪૦ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ…

પાલીતાણા હોસ્પિટલમાં ટાંકી વગર ₹50.43 લાખનું બિલ મંજૂર કરાવવાનો પ્રયાસ, આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહી

સ્થળ પર 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જ ન હતી; બિલ રજૂ કરનાર બે ઈજનેરો સામે પોલીસ ફરિયાદ અને ફરજમુક્તિની કાર્યવાહી, ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવા સૂચના પાલીતાણા: પાલીતાણા હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ સ્થળ પર થયું જ ન હોવા છતાં તેના માટે ₹50.43 લાખનું બિલ મંજૂર કરવા વડી કચેરીમાં…

અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડ

IKDRC, અમદાવાદ સિવિલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલનું રાષ્ટ્રીય સ્તરે સન્માન નવી દિલ્હીમાં 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026 સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા અમદાવાદ: ગુજરાતે અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 3 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન…

વિસનગરની જી.ડી. હોસ્પિટલમાં આધુનિક MRI અને CT Scan સુવિધાનો પ્રારંભ

રૂ. 15 કરોડના CSR સહયોગથી 1.5 ટેસ્લા 70 CM MRI અને 32-Slice CT Scan મશીનનું લોકાર્પણ; ગરીબ અને સામાન્ય દર્દીઓને મળશે મોટો લાભ મહેસાણા વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ (જી.ડી. જનરલ હોસ્પિટલ) ખાતે દર્દીઓ માટે આધુનિક તબીબી સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ…

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સીનિયર ડોક્ટર સસ્પેન્ડ

રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વિશેષ તપાસ કમિટીએ સતત કામગીરી…

રાજ્ય આરોગ્ય મંત્રીની સાવરકુંડલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુલાકાત: કરાટે સ્પર્ધામાં દીકરીઓના આત્મરક્ષણ કૌશલ્યને બિરદાવ્યું

70મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો અમરેલી: રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સાવરકુંડલા ખાતે આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિશેષ મુલાકાત લઈને જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‘NELS સ્કિલ લેબ’નું લોકાર્પણ: મેડિકલ શિક્ષણમાં ટેકનોલોજી અને પ્રાયોગિક જ્ઞાનનો અનોખો સમન્વય

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સ્કિલ લેબ ખુલ્લી મુકાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ૧૨૦૦ બેડ હોસ્પિટલ (મેડિસીટી) ખાતે કેન્દ્ર સરકારના અનુદાનથી નિર્મિત અને બી. જે. મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત ‘National Emergency Life Support (NELS) Skill Lab’ નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું…