અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા જનજાગૃતિ જરૂરી : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નેત્રદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરી વધુમાં વધુ નાગરિકોને નેત્રદાન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી. આ…

ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું પાલન કરવા સૂચના ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા નિયંત્રણ તથા સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના…

અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ; નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ના 1,250 ટેબ્લેટ જપ્ત, રૂ.1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત અમદાવાદ રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના…

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક મામલે સરકારનો કડક નિર્ણય

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે કરી ટેલિફોનિક વાતચીત; ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

‘પૂજા ઘી’ અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ ગાંધીનગર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને ‘પૂજા માટેનું ઘી’ સહિત નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી…

પાલીતાણા હોસ્પિટલમાં ટાંકી વગર ₹50.43 લાખનું બિલ મંજૂર કરાવવાનો પ્રયાસ, આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહી

સ્થળ પર 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જ ન હતી; બિલ રજૂ કરનાર બે ઈજનેરો સામે પોલીસ ફરિયાદ અને ફરજમુક્તિની કાર્યવાહી, ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવા સૂચના પાલીતાણા: પાલીતાણા હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ સ્થળ પર થયું જ ન હોવા છતાં તેના માટે ₹50.43 લાખનું બિલ મંજૂર કરવા વડી કચેરીમાં…

અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડ

IKDRC, અમદાવાદ સિવિલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલનું રાષ્ટ્રીય સ્તરે સન્માન નવી દિલ્હીમાં 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026 સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા અમદાવાદ: ગુજરાતે અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 3 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન…

વિસનગરની જી.ડી. હોસ્પિટલમાં આધુનિક MRI અને CT Scan સુવિધાનો પ્રારંભ

રૂ. 15 કરોડના CSR સહયોગથી 1.5 ટેસ્લા 70 CM MRI અને 32-Slice CT Scan મશીનનું લોકાર્પણ; ગરીબ અને સામાન્ય દર્દીઓને મળશે મોટો લાભ મહેસાણા વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ (જી.ડી. જનરલ હોસ્પિટલ) ખાતે દર્દીઓ માટે આધુનિક તબીબી સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ…

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સીનિયર ડોક્ટર સસ્પેન્ડ

રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વિશેષ તપાસ કમિટીએ સતત કામગીરી…

ગાંધીનગરમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-29/1 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1થી…

આંબરડીમાં રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, ગ્રામજનોને મળશે આધુનિક સારવારનો લાભ અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને પૂર્ણ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી…

સાવરકુંડલાને મળશે રૂ. 55 કરોડની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિટિકલ કેર સહિત તમામ આધુનિક સુવિધાઓ મળશે

રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે જિલ્લાકક્ષાની હોસ્પિટલના વિકાસકામનું ખાતમુહૂર્ત; ગ્રામ્ય વિસ્તારને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રૂ. 55 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. ક્રિટિકલ કેર સહિતની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ બનનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ હોસ્પિટલ કાર્યરત બન્યા બાદ…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ

22 બાળકોના મોત, 7 દર્દીઓ સારવાર હેઠળ; અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અપીલ અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ શંકાસ્પદ કેસો ચાંદીપુરાના નથી. અત્યાર…

ભાવનગર સર ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રીએ સમીક્ષા કરી, અનેક મહત્વના આદેશો જારી

નિર્માણ કાર્યોમાં ઝડપ, હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દીઓ સાથે નમ્ર વ્યવહાર અને રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર ભાર ભાવનગર આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલની કામગીરી તેમજ નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના તબીબી અધિક્ષક, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને સરકાર એલર્ટ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સમીક્ષા બેઠક

રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ નોંધાયા, 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ; અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલ્થ સ્ક્રીનિંગ અને ડસ્ટિંગ અભિયાન તેજ ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે સતર્ક બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ, વાયરસના સંક્રમણની સ્થિતિ, સારવારની તૈયારીઓ અને નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાઓની…

‘ભગત-ભુવા નહીં, સીધા હોસ્પિટલ જાઓ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કરોને આપ્યો જનજાગૃતિનો સંદેશ

સુરતના ઓરણા ગામના PHC ખાતે આશા વર્કરો સાથે સંવાદ; વરસાદી ઋતુમાં સાપ-વીંછી કરડવાના કેસમાં અંધશ્રદ્ધા છોડીને તાત્કાલિક સારવાર લેવા અપીલ સુરત સુરત જિલ્લાના ઓરણા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કર બહેનો સાથે વિશેષ આરોગ્ય જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ દરમિયાન તેમણે વરસાદી ઋતુમાં વધતા સાપ અને વીંછી…

આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાનું કામરેજના ઓરણા PHC પર ઓચિંતું નિરીક્ષણ, સ્વચ્છતા અને કામગીરીથી થયા પ્રભાવિત

દવાઓનો સ્ટોક, આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની કરી સમીક્ષા; ઉત્તમ કામગીરી બદલ સમગ્ર સ્ટાફનું કર્યું સન્માન સુરત રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ શનિવારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની ઓચિંતી મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે દવાઓનો સ્ટોક, સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું. દવાઓના સ્ટોક અને…

સોલા સિવિલ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સેવાઓનો વધારો

આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવા 128-સ્લાઇસ સીટી-સ્કેન, હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન અને કોક્લીયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું લોકાર્પણ અમદાવાદ: રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત 128-સ્લાઇસ સીટી-સ્કેન મશીન, હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન તેમજ કોક્લીયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓપરેશન થિયેટર (ઓટી)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી સુવિધાઓ શરૂ થતાં દર્દીઓને વધુ ઝડપી, આધુનિક અને ગુણવત્તાસભર…