હીરામણિ નર્સરી-કે.જી. સ્કૂલ વિભાગમાં ભૂલકાંઓની FANCY DRESS COMPETATION યોજાઈ

આજરોજ હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના ભૂલકાંઓ માટે ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં આશરે 150 કરતા વધારે ભૂલકાંઓએ ભાગ લીધો હતો. ભૂલકાંઓ દ્વારા ટીચર, ડોક્ટર, સૈનિક, રાધા, ક્રિષ્ણ, બનાના, ફૂલવાળી, ફળવાળો, ટ્રાફિગ સિગ્નલ, હનુમાન, રામ, ખેડૂત, રાજકીય નેતા, ક્રિકેટર વગેરે સુંદર પાત્રો ભજવ્યા હતાં. કોમ્પિટિશનના અંતે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતાં.

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા કેમલ કલર કોન્ટેક્ટ વર્લ્ડ લાર્જેસ્ટ આર્ટ કોમ્પિટિશનમાં ઈનામો પ્રાપ્ત કર્યા

હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએકેમલ ગ્રુપ દ્વારા ઓલ ઇન્ડિયા કેમલ કલર કોન્ટેક્ટમાં વર્લ્ડ લાર્જેસ્ટ આર્ટ કોમ્પિટિશનમાં હીરામણી  પ્રાઇમરી સ્કુલ (ઇંગ્લીશ મીડીયમ) ના વિદ્યાર્થીઓના ચિત્રો મોકલવામાં આવ્યા હતા. જેમાં હીરામણી સ્કૂલના ઝોનલ લેવલે (રાષ્ટ્રીય કક્ષાએ) પાંચ વિદ્યાર્થીઓ અને ગ્રાન્ડ ફિનાલે લેવલે (આંતરરાષ્ટ્રીય કક્ષાએ)  ત્રણ વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કર્યા છે. દ્વિતીય ઈનામ – ધ્વનિ પટેલ-…

વર્લ્ડ ડાયાબિટીસ ડે – અમદાવાદ શહેરમાં 103 કેન્દ્રો પર ડાયાબિટીસ અંગે જાગૃતિ અભિયાન યોજાયું

અમદાવાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનસાઉથ ઇસ્ટ એશિયા(IDFSEA)ના સહયોગથી અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) ના સમર્થનથી, વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સવારના સમયે જે સ્થળોએ જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય તેવા સમગ્ર અમદાવાદના ૧૦૩ સ્થળોએ સવારના ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન ડાયાબિટીસ સ્ક્રીનીંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિમલ ગાર્ડન ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નાગરિકોએ મફત બ્લડ સુગર સ્ક્રીનીંગ, બ્લડ પ્રેશર ચેક-અપ, વરિષ્ઠ ડોકટરો દ્વારા ડાયાબિટીસ જાગૃતિ સંદેશ, ફિટનેસ પાર્ટનર્સ દ્વારા ઝુમ્બા/ફિટનેસ સત્ર અને નિષ્ણાત ડોકટરો દ્વારા જીવનશૈલી અને આહાર અંગે સલાહ જેવી સેવાઓનો લાભ લીધો હતો. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે મુખ્ય કાર્યક્રમ પરિમલ ગાર્ડન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના માનનીય મેયર  પ્રતિભા જૈન, અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ, AMCના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ભાવિન સોલંકી, AMCના  ઉચ્ચ અધિકારીઓ જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) તેમજ હેલ્થ કમિટીના ચેરમેન સહિત  ડૉ. બન્સી સબૂ, AFPAના ડૉ. પ્રિતેશ શાહ અને ડૉ. મેહુલ શેલત, ક્યોર સાઇટ હોસ્પિટલના ડૉ. પરિમલ દેસાઈ, ડૉ. મોના દેસાઈ અને ડૉ. આદિત દેસાઈ સહિત અમદાવાદ મેડિકલ એસોસીએસનની વર્કિંગ કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.  તમામ 103 કેન્દ્રોમાં ઉત્તમ વ્યવસ્થાપન, સંકલન અને શહેરીજનોમાં જાગૃતિ લાવવા અંગેનું કાર્ય ડૉ. પ્રજ્ઞેશ વછરાજાણીએ સંભાળ્યું હતું.

હીરામણિ પ્રાથમિક શાળામાં ચાચા નહેરુના જન્મદિવસ નિમિત્તે બાળદિનની ઉજવણી કરવામાં આવી

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં બાળદિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ બાળદિન ઉજવણી નિમિત્તે બાળગીત, અભિનયગીત, વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી તેમજ બાળકો દેશની આઝાદીના લડવૈયા એવા મહાન દેશભક્તોને ઓળખે અને તેમનામાંથી પ્રેરણા લે તે હેતુંથી વિદ્યાર્થીએ આઝાદીના લડવૈયાના પાત્રો ખુબ જ સારી રીતે પાત્રો ભજવ્યા હતાં અને…

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા “ક્રિએટર્સ સંગા” ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળ આયોજન

અમદાવાદ યુવા પેઢીમાં સકારાત્મકતા, જાગૃતિ અને સર્જનાત્મક જવાબદારી વધારવા હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા 11 અને 12 નવેમ્બરે “ક્રિએટર્સ સંગા” ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું. દેશભરના 50 કરતાં વધુ લોકપ્રિય ડિજિટલ ક્રિએટર્સ, કલાકાર અને કન્ટેન્ટ મેકર્સ એક સ્થળે ભેગા થયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-સમાજમાં સકારાત્મક બદલાવ કેવી રીતે લાવી શકાય તેના પર ચર્ચા-વિચારણા…

ડાયાબિટિસ કરતા પણ વધુ તેની આડસરો ઘાતક હોય છેઃ બંસી સાબુ

14 નવેમ્બરઃ વર્લ્ડ ડાયાબિટિશ ડેઃ ચાર મોટી સંસ્થાઓનું સાથે મળીને અમદાવાદમાં ડાયાબિટિશ અંગે જાગૃતિ અભિયાનઃ શહેરના 100 જાહેર સ્થળો અને 50થી વધુ ખાનગી ક્લિનિકો પર ડાયાબિટિસનું ચેકઅપ કરી માર્ગદર્શન અપાશે અમદાવાદ ડાયાબિટિસ કરતા પણ વધુ તેની આડસરો ઘાતક હોય છે,એમ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-સાઉથ ઇસ્ટ એશિયા(IDF SEA)ના અધ્યક્ષ બંસી સાબુએ વર્લ્ડ ડાયાબિટિસ ડે પર યોજાનારી જાગૃતિ…

જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને ૧૦૫ કાર્ડિયાક પ્રોસીજરમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ

ડો.પાર્શ્વ વ્હોરા સસ્પેન્ડ, મા યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી ગાંધીનગર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરવા અને ગેરરીતિ આચરવા બદલ આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે….

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારના બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે LOA

• એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત રૂ. ૧,૧૦૦ કરોડથી વધુની બચત થશે• એગ્રીમેન્ટથી રાજ્ય સરકાર દ્વારા પરીવાર દીઠ રૂ. ૨,૬૭૯નું પ્રિમીયમ ચુકવાશે તથા યોજનામાં નવા દાખલ થનાર નવા ૧.૫૧લાખ નાગરીકોનું પ્રિમીયમ પણ માફ કરાશે ગાંધીનગર ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય…

350 કિલો વિસ્ફોટકો રાખનારા ડૉ. આદિલે સહારનપુરના ડોક્ટર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા હનીમૂન પહેલા ધરપકડ થઈ

જમ્મુ અને કાશ્મીર પોલીસે અનંતનાગ જિલ્લામાંથી એક MBBS ડૉક્ટરની ધરપકડ કરી. આ ડૉક્ટર ઉત્તર પ્રદેશના સહારનપુરમાં અંબાલા રોડ પરની એક પ્રખ્યાત હોસ્પિટલમાં કામ કરતો હતો. ડૉ. આદિલ અહેમદે ફરીદાબાદમાં 350 કિલો RDX છુપાવ્યો હતો, જે પણ મળી આવ્યો છે શ્રીનગર જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટર લગાવવાના આરોપમાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્લોક ગાન સ્પર્ધામાં બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે “શ્લોક ગાન” સ્પર્ધાનું આયોજન ચિન્મય મિશન દ્વારા કરવામાં આવ્યું હતું. હીરામણિ પ્રાથમિક શાળાનાંહેનીશ દિક્ષિતકુમાર દરજી (ધોરણ-૬) અને હરવિરસિંહ સંદિપસિંહ જાડેજા (ધોરણ-૬) એ રાજ્યકક્ષાએ બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હેનીશ દિક્ષિતકુમાર દરજીનું ચયન રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે થયું  છે.

વંદે માતરમ્ ગીત ક્રાંતિવીરો માટે ઊર્જાનો સ્ત્રોત હતો: મંત્રી પ્રફુલ પાનશેરિયા

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે શુભમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક ગીતગાન યોજાયું અમદાવાદ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે અમદાવાદની શુભમ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વંદે માતરમ્ ગીતનું સામૂહિક ગાન કર્યું…

ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આધુનિક સાધનોનું આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાવાઘેલા અને ONGC ના જનરલ મેનેજર શિલાદિત્ય સરકારની વિશેષ ઉપસ્થિતિ અમદાવાદ અમદાવાદની ગવર્મેન્ટ (CL&SC) સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ (P&O) વિભાગ માટેના આધુનિક સાધનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા તથા ONGC ના જનરલ મેનેજર (CSR)…

કેન્સર નિવારણ માટે અદ્યતન તકનીકી સુવિધાઓ રાજ્યમાં ઉપલબ્ધઃ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે GCRI ખાતે રૂ. ૪૪ કરોડના ખર્ચે વસાવાયેલા અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ**કેન્સરના ચોકસાઈપૂર્ણ નિદાન અને સારવાર ક્ષેત્રે ગુજરાતનું મોટું કદમ; દર્દીઓને વિશ્વ કક્ષાની સુવિધા મળશે** અમદાવાદ અમદાવાદની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ન્યૂક્લિયર મેડિસિન વિભાગમાં અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના…

પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ચાર હોસ્પિટલો સામે પગલાં લેવાયા

મોડી રાત સુધી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સ્વયં સંકળાયા, આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપ્યા, ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશેઃ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં…

હીરામણિ સ્કૂલમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને,શપથ લઈને વંદે માતરમની 150 મી વર્ષગાઠની ઉજવણી કરાઈ

અમદાવાદ રાષ્ટ્રગીત વંદે માતરમની 150 મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરુપે હીરામણિ સ્કૂલમાં રાષ્ટ્રગીત વંદેમાતરમનું સામુહિક ગાન કરવામાં આવ્યું તથા રોજિંદા જીવનમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ, આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ એવી શપથ લીધી, જેમાં શાળાના 350 વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થાના પ્રમુખ અને…

સીએનું પરિણામઃ અમદાવાદ કેન્દ્રના ફાયનલનું  23.18, ઈન્ટરમિડીયેટનું 12.35 અને ફાઉન્ડેશનનું 18.90 ટકા પરિણામ

અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સપ્ટેમ્બર 2025માં લેવામાં આવેલી સીએ ફાયનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા.  આ અંગે માહિતી આપતા આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2025માં લેવામાં આવેલી સીએ ફાયનલ કોર્સની પરીક્ષામાં બંને ગ્રુપોમાં સમગ્ર ભારતનું પરિણામ 16.23 ટકાનું છે. જે મે 2025માં 18.75 ટકાનું હતું….

કામરેજ વિકાસ તરફ અગ્રેસર: ₹11.73 કરોડના ખર્ચે અનેકવિધ નવા રોડ અને સુધારાને મંજૂરી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની રજૂઆત રંગ લાવી; માર્ગ – મકાન વિભાગે અનેક ગ્રામ્ય રસ્તાઓને મંજૂરી આપી ગાંધીનગર કામરેજ વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપતાં, ગુજરાત સરકારના માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગ દ્વારા ₹11.73 કરોડથી વધુ માતબર રકમના વિવિધ રોડ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલ પાનશેરીયાની સતત રજૂઆતો અને…

પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદથી ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં માટે બેઠક યોજાઇ

ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC, અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ :આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના…

મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી,ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી: અધિકારીઓ-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શનઃ આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે ગાંધીનગર      રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા…

રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો

ગાંધીનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો. આ પવિત્ર પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ “સર્વજન સુખાય અને સર્વજન હિતાય” એવા શુભ સંકલ્પ સાથે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ તકે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…