6 મેએ સવારે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ, રિઝલ્ટ ચેક કરવા વ્હોટ્સએપ નંબર જાહેર કરાયો

અમદાવદ ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-10 (SSC)નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મેના રોજ GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.   ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની…

શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન આરોગ્ય સમિતિ’ના ગઠન અને રોગી કલ્યાણ…

કામરેજમાં હિન્દુ મહિલાઓને ફસાવવાનું મોટું રેકેટ? આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી

સુરત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ પરિણીત મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનું મોટું રેકેટ ચાલતું હોવાના આક્ષેપો સાથે કામરેજ પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. આ ગંભીર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી….

ધો. 12 સામાન્ય પ્રવાહમાં ઉમેદવાર વધ્યા, પરિણામ ઘટ્યું

અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71%  પરિણામ જાહેર થયું છે. આ ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે.  ધો. 12…

ધો. 12નું વિજ્ઞાન પ્રવાહનું 84.33 અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ, 95.41%  સાથે છોકરીઓએ મેદાન માર્યું

અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે. આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. જેમાં ઘણી શાળાઓએ સારો દેખાવ કર્યો છે. બોર્ડની આ પરીક્ષામાં રાજ્યના…

એપ્રિલમાં ૪,૧૯૩થી વધુ એકમોની તપાસ; રૂ. ૧.૮૩ લાખનાં ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો નાશ કરાયો

ગાંધીનગર રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી, રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવની સમીક્ષા કરી હતી અને આ સ્પેશિયલ ડ્રાઇવને હજુ વધુ તીવ્ર બનાવવાના આદેશ આપ્યા હતા. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું…

અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે રૂ. ૧.૨૧ કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત

નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં: નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી, તંત્ર દ્વારા અમદાવાદ સહિત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દવાના નમૂનાઓનું સતત પરીક્ષણ કરી ભેળસેળ-વેચાણ કરતાં…

સ્વર્ણિમ યુનિવર્સિટી ખાતે ‘હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન’ હેલ્થ વિષય પર સેમિનાર યોજાયો

ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા “રિસર્ચ એન્ડ પ્રોટેન્શિયલ ઓફ  હોમિયોપેથી બિયોન્ડ હ્યુમન” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગુજરાતના જાણીતા હોમિયોપેથિક ચિકિત્સક અને ક્લિનિશિયન-ઉદ્યોગસાહસિક ડૉ. શિવંગ સ્વામિનારાયણ દ્વારા મહત્વના વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સત્રમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ, હોમિયોપેથી, કૃષિ, મેનેજમેન્ટ અને આયુષ સ્ટ્રિમ સહિતના ફેકલ્ટીઓએ સક્રિય ભાગ…

ખાડિયાએ કોંગ્રેસની લાજ બચાવી, પહેલી વાર ભાજપની આખી પેનલ હારી ગઈ

કોંગ્રેસના મીના નાયક, બિરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણનો વિજય અમદાવાદ અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો વર્ષો જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લિન સ્વિપ કર્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ઘણાં વર્ષો પછી ખાડિયામાં પહેલીવાર ભાજપની આખી પેનલ હારી ગઈ છે.  …

વિસાવદર તાલુકા પંચાયતમાં આપનું ઝાડું ફરી વળ્યું, 18માંથી 11 બેઠકો પર વિજય

અમદાવાદ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયતના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા વિસાવદરમાં ફરી એકવાર ઝાડુ ફરી વળ્યું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ 11 બેઠકો જીતી છે. સત્તાધારી ભાજપને માત્ર છ બેઠક, કોંગ્રેસાં સુપડાં…

સુરતમાં ભાજપનો 120માંથી 115 બેઠક પર વિજય

2021માં 27 બેઠક જીતનાર આપને માત્ર ચાર બેઠકો મળી, કોંગ્રેસનો 1 બેઠક પર વિજય અમદાવાદ ગુજરાતના રાજકારણમાં શહેરી વિસ્તારો હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યા છે, અને આ વખતે સુરત મહાનગરપાલિકાના પરિણામોએ સાબિત કરી દીધું છે કે આ ગઢ વધુ અભેદ્ય બન્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી સુરત પર શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને સુરતીઓએ આગામી…

ગોધરામાં હવે ભાજપનું એકચક્રી શાસન, 44માંથી 27 બેઠકો પર વિજય, 17 બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય

અમદાવાદ ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં નવો ઈતિહાસ રચી દીધો છે. પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂર્ણ સત્તા હાંસલ કરી છે. અત્યાર સુધીના સમીકરણોમાં અનેક ઉતાર-ચઢાવ જોયા બાદ, આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે. ગોધરાની 44માંથી 27 બેઠકો પર ભાજપનો કબજો ચૂંટણીના આંકડાકીય…

સુરતમાં ભાજપનું એકહથ્થું શાસન, 1995 પછી પહેલી વખત સત્તાવાર વિપક્ષ આઉટ

આપના 4 અને કોંગ્રેસની એક બેઠક મળી હોઈ વિપક્ષ માટેની સાત બેઠકનો આંકડો પણ પાર ન થઈ શક્યો અમદાવાદ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રૅકોર્ડ તોડી નાખ્યા છે. સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. આ વખતે સુરતીઓએ પહેલા કમળ અને પછી ખમણના સૂત્રને સાર્થક કર્યું છે. ભાજપનો…

ભૂજમાં ઓવૈસીના પક્ષના ત્રણ ઉમમેદવાર જીત્યા, કઠલાલમાં સપાના એક ઉમેદવારનો વિજય

અમદાવાદ ગુજરાતમાં 15 નગર નિગમ, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની 9,000 થી વધુ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત ઓવૈસીની પાર્ટી અને અખિલેશ યાદવની સપાએ પણ પોતાની હાજરી નોંધાવી છે. ભૂજમાં ઓવૈસીની એઆઈએમઆઈએમના ત્રણ ઉમેદવાર જીત્યા કચ્છના ભુજમાં વોર્ડ નંબર-1માં અસદુદ્દીન ઓવૈસીની…

રવિન્દ્ર જાડેજાનાં બહેન, પૂર્વ આઈપીએસ હાર્યા

અમદાવાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને કોંગ્રેસ ઉમેદવારનો રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં પરાજય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં જાણીતા ચહેરાઓ પૈકી કેટલાકની હાર તો કેટલાકની જીત થઈ છે… રાજકોટ મનપામાં કોંગ્રેસનાં નયનાબા જાડેજા હાર્યા ઉના નપામાં ભાજપનાં રાજલ બારોટની જીત…

સુરતના વરાછામાં 4 હથિયારધારીઓએ બંદૂકની અણીએ ધોળા દિવસે 50 લાખની લૂંટ કરી

સુરત સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(એસબીઆઈ)ની શાખામાં મોટી લૂંટની ઘટનાથી ચર્ચા મચી છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. ફિલ્મી ઢબે કર્મચારીઓને ધાક ધમકી આપી…

રાજ્યમાં રાજકોટ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ, અમદાવાદ સહિત અનેક સ્થળે તાપમાન 44 ડીગ્રીથી ઉપર

અમદાવાદ ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહેશે અને અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ શહેર 44.8 ડીગ્રી સાથે સૌથી ગરમ હવામાન વિભાગ…

આઈઆઈટીઈમાં પ્લેસમેન્ટ ફેરમાં 22 સંસ્થાના છાત્રોએ ભાગ લીધો

ગાંધીનગર ગાંધીનગર ખાતે આવેલી ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનમાં તારીખ 12 માર્ચ 2026 થી 14 માર્ચ 2026 દરમિયાન પ્લેસમેન્ટ ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ભાગ લેનાર વિદ્યાર્થીમાંથી  ૮૦ ટકા વિદ્યાર્થીઓને શાળા દ્વારા  નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ પ્લેસમેન્ટ ફેર માં ગુજરાતની અલગ અલગ…

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘અર્થ ડે’ ની ઉજવણી

અમદાવાદ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ બિસ્લેરી સાથે મળીને સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘વર્લ્ડ અર્થ ડે’ ની ઉજવણી કરી.  જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો  હતો. આ ઉજવણીનો ઉદ્દેશ્ય આકર્ષક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ અને જવાબદાર જીવનને પ્રોત્સાહન આપવાનો હતો. જેમાં પ્લાસ્ટિક રિસાયક્લિંગ વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું,  વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક કચરાના વધતા પડકારો અને ટકાઉ…

ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે DRDO એ AI- સક્ષમ ઇમેજિંગ સેટેલાઇટ સિસ્ટમ  પ્રજ્ઞા  ગૃહ મંત્રાલયને સોંપી

ભારતની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, DRDO એ ગૃહ મંત્રાલયને એક આધુનિક, AI-સક્ષમ સેટેલાઇટ સિસ્ટમ પહોંચાડી છે. પ્રજ્ઞા નામની આ AI- સક્ષમ સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ આંતરિક સુરક્ષા એજન્સીઓની ચપળતા અને આધુનિકતાને વધારવા માટે વિકસાવવામાં આવી છે એસવીએન,નવી દિલ્હી  સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ભારતની આંતરિક સુરક્ષા વધારવામાં વધુ એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું…